ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ જે છે દેશનું પહેલું સોલાર ગામ

ગુજરાતનું મોઢેરા સૂર્યમંદિર સંપૂર્ણ દુનિયામાં ખૂબ જ મશહૂર છે તથા ચાલુક્ય વંશના રાજા ભીમપ્રથમે 1026 27 માં અહીં સૂર્યમંદિર બનાવ્યું હતું. હવે તેમના ખાતામાં એક મોટી ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે, હવે મોઢેરા દેશનું સૌથી પહેલું એવું ગામ બની ચૂક્યું છે, જે સંપૂર્ણ રીતે સૌર ઊર્જાથી ચાલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તેનું એલાન કર્યું છે, અને તેની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગામમાં 3900 કરોડ રૂપિયાની પરિયોજના નો પાયો નાખ્યો.

મોઢેરા ગામ ગુજરાતના મહેસાણા ગામથી માત્ર 25 km દૂર આવેલ છે ત્યાં જ રાજધાની ગાંધીનગરથી તે 100 કિલોમીટર દૂર છે, પુષ્પાવતી નદીના કિનારે બનેલ આ ગામનું ભૌગોલિક ભાગ લગભગ 200436 હેક્ટર છે આ સૌર ઉર્જા થી ચાલનાર દેશનો પહેલું ગામ છે આ ગામમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, તેની સાથે જ એક કિલો વોટના 1300 થી વધુ સોલર સિસ્ટમ લોકોના ધાબા ઉપર લગાવવામાં આવ્યા છે અને તેનાથી આ ઘરની વીજળી ની જરૂરિયાત પૂરી થશે આ દરેક સોલાર સિસ્ટમની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમથી જોડાયેલી છે આ પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું છે “સોલરાઈઝેશન ઓફ મોઢેરા સન ટેમ્પલ એન્ડ ટાઉન. ”

દિવસના સમયે સોલાર પેનલમાંથી ગામની ઊર્જાની જરૂરિયાત પૂરી થાય છે ત્યાં જ સાંજના સમયે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાંથી ઉર્જા આકૃતિ કરવામાં આવશે આ ભારતનો પહેલું ગ્રીડ કનેક્ટેડ મેગા વોટ ઓવર સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઘરોમાં વીજળી સપ્લાય આપશે. આ ગામ માટે સોલાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેનું યોગદાન છે. રાજ્ય તથા કેન્દ્ર બંને સરકારે મળીને 80 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કર્યું છે, સંપૂર્ણ પ્રોજેક્ટ બે ભાગમાં ડેવલપ કરવામાં આવ્યો છે, રાજ્ય સરકારે તેની માટે 12 હેક્ટરની જમીન પણ ફ્લોટ કરી છે.

ગુજરાત સરકારે કહ્યું હતું કે તે મોઢેરામાં સોલાર પ્રોજેક્ટને ડેવલપ કરશે ત્યાં જ આ ગામને રિન્યુએબલ એનર્જી ડેવલપ કરનાર ભારતનું પહેલું ગામ બનાવવા માંગે છે, તેના આધારે જ તે બતાવવા માંગે છે કે રીન્યુએબલ એનર્જીના ઉપયોગથી ગ્રાસ રૂટ લેવલ પર લોકોને કેવી રીતે એમ્પવર કરી શકાય. અને તેના જ આધારે મોઢેરા ગામના લોકો પોતાની વીજળીના બિલ ઉપર 60 થી લઈને 100% સુધીની બચત કરી શકે છે. આ ગામના જયદીપભાઇ પટેલ જણાવતા હતા કે તેમને પહેલા વીજળી નું બિલ 2000 રૂપિયા આવતું હતું હવે માત્ર ₹300 જ વીજળીનું બિલ આવે છે.

આ સમગ્ર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખૂબ જ ખાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે 2030 સુધી અક્ષરત ઊર્જાના આધારે ભારતની 50% ઊર્જાની જરૂરિયાત પૂરી થવા લાગે. પ્રધાનમંત્રીએ આ સંકલ્પને પૂરો કરવા માટેની દિશામાં આ પ્રોજેક્ટ એક મોટું પગલું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ વાત જણાવી છે, તેમને કહ્યું કે આ વાતની પ્રસન્નતા છે કે ગુજરાતને ફરી એક વખત સ્વચ્છ અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે પ્રધાનમંત્રીના આ વિઝનને સંપૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે.

1 thought on “ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ જે છે દેશનું પહેલું સોલાર ગામ”

Leave a Comment