તણાવ દૂર કરવા માટે મેડીટેશન એક રામબાણ ઉપાય છે, તો ચાલો જાણીએ તેનાથી થતાં ઉપાયો વિશે

Image source

ક્યારેક ક્યારેક એવો અનુભવ થાય છે કે કોવિડ ૧૯ પછીની દુનિયામાં આપણું જીવન કોઈ સુરંગ ક્ષેત્રમાં ચાલવા જેટલું મુશ્કેલ થઈ ગયું છે. જીવાણુ તો પહેલા પણ આપણી આસપાસ અને આપણા શરીરની અંદર રહેતા હતા. પરંતુ આપણા માંથી મોટાભાગના લોકોને આનાથી પહેલા કોઈપણ પ્રકારના સંક્રમણનો આટલા ભયનો અનુભવ નહીં થયો હોય.

આ મહામારી ને લીધે લોકો ના માનસિક સ્વાસ્થ્ય પર જે ભાર પડ્યો છે તેને ઓછું ન સમજવું જોઈએ. આમ તો રોગો એ આપણા જીવનનો એક સામાન્ય ભાગ છે પરંતુ હકીકત એ છે કે આ એક નવો વાઇરસ અને નવો રોગ છે જેણે આપણી સ્વાસ્થ્ય સેવાઓ ને કિનારા ઉપર ધકેલી દીધી છે, ચિકિત્સા અને સામુદાયિક સમર્થન એવું નથી જેવું સામાન્ય દિવસોમાં હોય છે. આનાથી વધુ કોવીડ ૧૯ થી બચવા માટે દર સમયે સાવધાની રાખવાની જરૂર છે. તેથી યાદ રાખવું કે થાક ભરેલો અનુભવ થઈ શકે છે.

મહત્વનો સવાલ એ છે કે અંતે આ બધી વસ્તુઓને સંભાળવાની રીત કઈ છે? દરેક નું તણાવ પૂર્વક સ્થિતિઓનો સામનો કરવાની પોતાની જુદી રીત હોય છે અને આગળ વધવા અને તેમનો સામનો કરવા ઉપરાંત આપણી પાસે કોઈ પણ વિકલ્પ નથી. પરંતુ તેનો સામનો કરવાની ઘણી સ્વાસ્થ્યપ્રદ રીતો છે કેમકે આ દરમિયાન શું તમે ખૂબ વધારે તણાવ લેશો કે ચિંતા કરશો તો તમારી હાલત વધારે ખરાબ થઈ જશે. એવામાં તમે ધ્યાન એટલે કે મેડીટેશન ના માધ્યમ દ્વારા મહા મારી સાથે જોડાયેલી આ ચિંતાને થોડી ઓછી કરી શકો છો.

ધ્યાના ઘણા રૂપો છે જેણે વૈશ્વિક સ્તરે ઘણી પ્રતિષ્ઠા મેળવી લીધી છે. આ સૂચન આપવા માટે ઘણા પાકા સબૂતરહેલા છે કે ધ્યાન કરવાથી મગજ અને શરીર બંને મળીને તણાવની સારી રીતે સંભાળી શકે છે અને સામના પૂર્વક સ્થિતિઓ સામે લડવા માટે લચીલાપણું પણ વધારે છે. આ સૂચનો ના પણ ઘણા પ્રમાણ રહેલા છે કે ધ્યાન શારીરિક રોગોના લક્ષણો ને પણ ઓછા કરી શકે છે.

ધ્યાન ની ખાસિયત એ છે કે તેને કોઈ પણ કરી શકે છે અને તેને દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે કેમકે તેને કરવા માટે તમારો ફક્ત અમુક મિનિટનો જ સમય લાગે છે. આમ તો ધ્યાનના ઘણા પ્રકાર છે, પરંતુ તેનો કેન્દ્રીય વિચાર એ છે કે મનનું આમતેમ ભટકી ને ચિંતન સ્મરણ કરવાની પ્રવૃતિઓને ઓછું કરી શકાય તેનો હેતુ નકારાત્મક વિચારોને ખરાબ વિચારોને લીધે થતા નુકસાનને ઓછું કરવું છે અને તેના માટે મનને વધારે ગ્રહણશીલ બનવું જોઈએ જેથી જ્યારે તણાવ ઉત્પન્ન થાય ત્યારે તેનાથી વધારે રચનાત્મક રીતે કેવી રીતે સામનો કરવો તે મનને ખબર હોય.

ધ્યાનને આભાસ કે પ્રતિબિંબ નું એક અત્યંત વ્યક્તિગત રૂપ માનવામાં આવે છે અને તમે શરૂઆતમાં તેને કોઈ પણ પ્રકારે જોઈ શકો છો જે રીતે તમને સ્વસ્થ લાગતું હોય. ધીમે ધીમે તમને સમજમાં આવવા લાગશે કે તમે આ વ્યાયામથી શું માંગો છો અને તમે તમારા વિચારોમાં ઊંડાણ સુધી ઉતરી શકો છો.

ધ્યાનની બારીકાઈથી ગભરાવું નહીં:

જ્યારે તમે પહેલીવાર ધ્યાન કરવાનું ચાલુ કરો છો તો સાચી રીતે ધ્યાન કેવી રીતે કરવું અને તમારા સમયનો સાચો અને ઉત્પાદક ઉપયોગ કરવા વિશે ચિંતા કરવી એ સ્વાભાવિક છે. તમે તે વિશે પણ વિચારી શકો છો કે આખરે તેને કરવાની સાચી રીત કઈ છે અને શું તેને કરવા માટે કોઈ નિર્દેશિત વિડિયો નું પાલન કરવું જોઈએ. જોકે આવી નાની-નાની વસ્તુઓને તમારા રસ્તામાં ન આવવા દો વસ્તુઓને સાચી રીતે કરવાનો તણાવ તમારા ધ્યાન કરવાના સમગ્ર અનુભવને તમારાથી છીનવી લેશે.

તેના બદલે,તે વિશે વિચારવું કે તમે ધ્યાન કરવાનો નિર્ણય કેમ કર્યો અને પોતાને પોતાના વિચારોની સાથે સમય આપો પરંતુ ગેર નિર્ણયાત્મક અને ગેર રક્ષાત્મક રીતે. યાદ રાખો કે આ તમારો સમય છે અને કોઈને પણ તે જાણવાની જરૂર નથી કે તમે શું વિચારી રહ્યા છો કે કરી રહ્યા છો….. એવું સમજો કે તમે ફક્ત પોતાની પાસેથી વ્યક્તિગત પૂછપરછ કરી રહ્યા છો

ધીમી શરૂઆત કરો અને પોતાને પડકાર આપો:

ધ્યાનનો એક ફાયદો એ છે કે તમે તેને પોતાની શરતો પર અને પોતાના લક્ષ્યને પોતાની રીતે નિર્ધારિત કરી સંપૂર્ણ રીતે શરૂ કરી શકો છો. તમે ઈચ્છો તો અંદાજે ત્રણથી પાંચ મિનિટ ના સમયની સાથે શરૂ કરી શકો છો અને પછી ધીમે ધીમે જેમ તમને આનંદ મળે તે રીતે સમય વધારી શકો છો. આ એક સારો વિચાર છે કે તમે ધીમે ધીમે તેની શરૂઆત કરો જેથી તમે પોતાની ભયભીત ન કરી શકો અને ધીમે ધીમે એ વાતનો અંદાજો લગાવી લો કે આ વિધિથી તમારી કઇ કઇ આશાઓ છે.

નિયમિત સમય નક્કી કરી લો જેથી તમને ધ્યાન કરવામાં મદદ મળે:

જોકે આ વિચાર જુદા જુદા લોકો માટે જુદો હોઇ શકે છે, કેટલાક લોકો પોતાના દૈનિક જીવનમાં એક સાચી સંરચના ના વિચાર ને પસંદ કરી શકો છો. આમ થવાથી દૈનિક જીવનમાં બની રહેલા બનાવો ને ઔપચારિકતા અને હેતુ મળે છે અને સમય પ્રબંધન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ મા પણ મદદ મળી શકે છે. તેથી જો તે લોકો માંથી છો જેમને સંરચના ગમતી હોય તો દિવસ દરમિયાન એક સમય નક્કી કરી લો જ્યારે તમે ફક્ત ધ્યાન કરો. બીજાને પણ આ મદદરૂપ લાગી શકે છે. ધ્યાન એક મુહુર્ત વગરની, પ્રાયોગિક ગતિવિધિ છે તેથી તેની સાથે જોડાયેલી અમુક પ્રારંભિક શિક્ષા, આ પ્રક્રિયાને સરળ બનાવી શકે છે.

તમારે નક્કી કરવાનું છે કે દિવસના કયા સમયે ધ્યાન કરવા માટે તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે. કેટલાક લોકો સુતા પહેલા વિચારવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક તેને સવારે ઊઠતાં જ સૌથી પહેલાં કરવાનું પસંદ કરે છે. શરૂઆતમાં ધ્યાન કરવા માટે બેસવું મુશ્કેલ બની શકે છે -તમને આશ્ચર્ય કે અનિશ્ચિત અનુભવ થઈ શકે છે કે શું કરવાનું છે. કે પછી તમને કસરતમાં અમુક મિનિટ આપવાની લાલચ પણ આવી શકે છે દરરોજ ૩૦ મિનિટ નો સમય ધ્યાન માટે કાઢવો અને એક જ સમયે દરરોજ ધ્યાન કરો.આમ કરવાથી જ્ઞાન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.

આરામદાયક જગ્યા અને સ્થિતિ શોધો:

ધ્યાન કરનારા કેટલાક લોકો બિલકુલ સીધી પોઝિશનમાં બેસીને ધ્યાન કરવાની માંગણી કરે છે. પરંતુ તે સંપૂર્ણ રીતે તમારા આધાર છે કે તમે કેવી રીતે તેની શરૂઆત કરો છો. એવી જગ્યા પસંદ કરો, જેમાં તમને આરામ મળે અને જ્યાં તમે અમુક સમય માટે આરામદાયક અને એકાંતમાં રહી શકો. તે તમારી પથારી હોઈ શકે છે, તમારી મનપસંદ ખુશી કે પછી કોઈ ઉદ્યાન કે પગદંડી જ્યાં જવા માટે તમે શોખીન છો. આરામદાયક અને પરિચિત પહેરવેશમાં એ તમને સારી રીતે શાંત થવામાં મદદ કરશે અને તમે તે વાત પર વિચાર કરી શકશો કે તમે આ સ્થળ કેમ પસંદ કર્યું અને તે તમારા શરીર અને મગજ માટે શું કરે છે.

તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો:

ઘણા બધા લોકો ધ્યાન અને મેડિટેશનને ઊંડા શ્વાસ લેવાની સાથે જોડે છે. જો તમે પણ ધ્યાન કેન્દ્રિત કરવા કે ધ્યાન લગાવવા માટે કોઈ વસ્તુની શોધમાં છો તો શરૂઆત કરવા માટે તમારા શ્વાસ થી ઉત્તમ વિકલ્પ બીજો કોઈ નથી. તમારા નાક ના માધ્યમથી ઊંડા શ્વાસ લો, પોતાના શ્વાસને ત્યાં સુધી રોકી ને રાખો જ્યાં સુધી તમે આરામથી આવું કરી શકો છો અને પછી ધીમે ધીમે તેને તમારા મોઢા થી બહાર કાઢી દો.

અનુસંધાન થી જાણવા મળે છે કે નાક ના માધ્યમથી દાસ લેવાથી શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ ની ઉપલબ્ધતા વધી જાય છે. નાઈટ્રિક ઓક્સાઇડ સંપૂર્ણ શરીરના કોષોમાં વધારે ઓકસીજન પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે, મુડ ને નિયંત્રિત કરે છે અને હૃદયના ધબકારાને ધીમા કરે છે. શ્વાસથી શરીરના વ્યાયામ વિશે વિચારો અને દર વખતે તમને કેવો અનુભવ કરાવે છે તે વિશે પણ વિચારો.

કોઈ પણ પરિચિત શબ્દ કે મંત્રનો જપ કરો:

ધ્યાન સાથે જોડાયેલા પોતાના અનુભવોને પુરા કરવા માટે એક બીજી સરળ રીતે છે કે તમે તમારા મનમાં કોઈ એક પરિચિત શબ્દ કે મંત્ર વિશે વારંવાર વિચારો. ચિંતા ન કરો જો તમારું મન આમતેમ ભટકે છે – આવું થવું એ સ્વાભાવિક છે અને એવું હંમેશા થશે. પોતાના ભટકતા મનને ફરીથી ધ્યાન માં લાવવા માટે મંત્રનો ઉપયોગ કરો અને તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. એકવાર તે ધ્યાનને શરૂ કરવા માટે એક ઉપયોગી ઉપાય છે કેમકે તે મનને શાંત અને વ્યવસ્થિત કરવાની એક સરળ રીત છે. ચિંતા ન કરવી જો તમે ધ્યાનની વચ્ચે મંત્રનો જપ કરવાનું ભૂલી જાઓ – આ એ ધીમી અને વિકસિત થતી પ્રક્રિયા છે.

પોતાના વિચારો લખો:

કેટલાક માટે, આ ધ્યાનની સંપૂર્ણ પ્રક્રિયા નો એક ખુબજ મહત્વપૂર્ણ ભાગ છે. લખવું એ પોતાનામાં જ એક ધ્યાન સંબંધીત અભ્યાસ છે કેમકે આ તમને પોતાના વિચારો માટે ઘણી ઊંડાણ થી વિચારવાનું અને તેને વિશ્લેષણાત્મક રીતે રજુ કરવાની તક આપે છે. ધ્યાન તમારા દ્રષ્ટિકોણ કે પરિપેક્ષ્ય માં ધીમે ધીમે ફેરફાર લાવી શકે છે. પરંતુ તેના પર સંપૂર્ણ રીતે આધારિત ન રહેવુ કે પછી ધ્યાનની જગ્યા એ તેને જ ન આપી દે.

લખવાથી તમને વિચારસરણીના આ સમય નુ વિસ્તરણ કરવામાં મદદ મળશે અને ધ્યાનની આ પ્રક્રિયામાં થોડું ઊંડે ઉતરવાની તક પણ મળશે. એક બીજો લાભ એ છે કે કલમ તમારા અનુભવોને બાંધી શકે છે; લખાણ ધ્યાન સત્રોની વચ્ચે એક સેતુનું કામ કરી શકે છે અને તમારા અન્વેષણોને એક સંરચના આપી શકે છે.

શરીરના વિશિષ્ટ અંગો પર ધ્યાન કેન્દ્રિત કરો:

એકવાર “”બોડી સ્કેન”” કરો. તેમાં શરીરના જુદા જુદા ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે. જો સ્નાયુઓમાં કોઈ તણાવ હોય, તો તે સ્નાયુ શરીરના બીજા ભાગો સાથે કઈ રીતે જોડાયેલી છે અને પછી તે સ્નાયુને ધીરે ધીરે જકડવા અને ખોલવાથી કેવો અનુભવ થાય છે. અહીં ધ્યેય એ છે કે તમારે તમારા શરીર અને મગજ માટે સાવચેત કે જાગૃત થવાનું છે. તમે ધીરે-ધીરે તમારા શરીરના જુદા જુદા ભાગ સુધી આગળ વધી શકો છો.

પોતાની સાથે ધ્યાન કરવા માટે કોઈ મિત્ર ની પસંદગી કરો:

આ ઉપાય કેટલાક લોકો માટે કામ કરી શકે છે -જો કોઈ એવી વ્યક્તિ હોય જે દરરોજ તમારી દિનચર્યા વિશે પૂછે અને તીન તપાસ કરે તો તે તમને તમારા ધ્યેય પ્રાપ્ત કરવા પ્રત્યે વફાદાર થવા અને પ્રેરિત રહેવા માં મદદરૂપ સાબિત થઈ શકે છે.તમે બંને એકસાથે આ પ્રક્રિયાને પ્રતિબિંબિત કરવા અને તેનાથી વધારે લાભ મેળવી શકો છો.તમે એવા સમયની પસંદગી કરી શકો છો જે તમને અને તમારા મિત્ર બંને માટે સારો હોય. નિશ્ચિત કરો કે તે વ્યક્તિ છે જેની સાથે તમે આરામદાયક હોય તેની સાથે જ ધ્યાન કરો અને તેની સાથે ફક્ત એટલો જ અનુભવ કરો જેટલો તમે ઇચ્છો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment