ચાર ભારતીય આહાર કે જે છે ગુણો ની ખાણ

આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે ભોજન નુ સર્વોચ્ચ મહત્વ હોય છે. આ જ કારણ છે કે નિષ્ણાતો અને ડોકટરો હંમેશાં સંતુલિત અને પોષક આહાર ખાવા પર ભાર આપતા હોય છે. જો કે અહીંનો ખોરાક ફક્ત આરોગ્ય સાથે જ સંબંધિત નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિનો પણ એક અભિન્ન અંગ છે. ભારતીય ખોરાક તેના સ્વાદ અને પોષણ માટે વિશ્વભરમા જાણીતું છે. આ સાથે, ભારતીય ખોરાકમા ઘણા શારીરિક સ્વાસ્થ્ય લાભો પણ છે. જો કે, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આહારમા કયા ખોરાકનો સમાવેશ કરવો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો ચાલો આપણે તેમના વિશે જાણીએ.

Image by Reinout Dujardin from Pixabay

આહારમા કરો જેકફ્રૂટ નો સમાવેશ

જેક્ફ્રૂટની ગંધથી મોટેભાગે લોકો તેમના નાક તેમજ ભમરને સંકોચી લેતા હોય છે,પરંતુ તેમાં વિદ્યમાન પોષક તત્વો તમારો અભિપ્રાય બદલી શકે છે. સામાન્ય રીતે, શાકાહારી લોકો માટેજેકફ્રૂટમાંસ ની અવેજી તરીકે ખાવામા આવે છે. ખરેખર તેને રાંધ્યા બાદ તે માંસ જેવું જ લાગે છે. તે પ્રોટીન, સ્ટાર્ચ, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કોપર અને પોટેશિયમનો એક ઉત્તમ સ્રોત છે. જોકે તેમા ૮૦ ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે. પરંતુ તેમા રહેલા કાર્બોહાઈડ્રેટની માત્રાને તમે અવગણી શકો છો, કારણ કે તેમાં ઉચ્ચ ફાઇબર (૧૧ ટકા) અને કુદરતી સ્ટાર્ચ હોય છે. તે ગ્લાયકેમિક ઇન્ડેક્સ (ખાદ્ય પદાર્થમા કાર્બોહાઇડ્રેટની માત્રા ને માપવા માટે નો સૂચક) ને ઘટાડે છે.

Image by Aline Ponce from Pixabay

પાલક નો કરો સમાવેશ

પાલક ખાવામા જેટલું સ્વાદિષ્ટ છે તેટલું જ ગુણવત્તા થી પણ સમૃદ્ધ છે. તે પોટેશિયમ અને મેગ્નેશિયમનો સારો એવો સ્રોત છે જે તમારી મેટાબોલિક મા વધારો કરે છે, સ્નાયુઓ અને ચેતાતંત્ર ને સ્વસ્થ બનાવે છે, હૃદયને સ્વસ્થ રાખે છે, રોગપ્રતિકારક શક્તિને વધુ સારી રીતે કાર્ય કરવામામદદરૂપ થાય છે અને બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. . આ ઉપરાંત, પાલકવિટામિન કે, વિટામિન બી, ફાઇબર અને ફોસ્ફરસથી ભરપુર હોય છે.

Image by Steve Buissinne from Pixabay

હળદર છે શ્રેષ્ઠ

સદીઓથી હળદરનો ઉપયોગ આપણા સારા સ્વાસ્થ્ય માટે થાય છે. જોકે હળદર ને વધુ પ્રમાણ મા ઉપયોગ કરી ને આપણી મેદસ્વીપણા નેઘટાડવી એ યોગ્ય રીત નથી, તેમ છતાં, હળદરજાડાપણાને લગતા સોજા ને ઘટાડવામાં મદદગાર હોવાનું કહેવામા આવે છે. હળદરમા અમુક માત્રામા પોલીફેનોલ્સ, કર્ક્યુમિન હોય છે, જે એન્ટી-ઇન્ફ્લામેટરી તેમજ મોટાપા ને ઘટાડવાનુ કામ કરે છે. તેથી, જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમારે તમારા આહારમા હળદર નો મર્યાદિત માત્રામા ઉમેરો કરવો જોઈએ. જો કે, હળદરમા ઘણા અન્ય ગુણધર્મો નો પણ સમાવેશ થાય છે.

Image Source

દહીં છેફાયદાકારક

દહીંને ખાસ કરીને ઉનાળા નું સુપરફૂડ તરીકે ઓળખવામા આવે છે, પરંતુ તમે આખું વર્ષ તેનું સેવન કરી શકો છો અને તેના ફાયદાઓનો લાભ લઈ શકો છો. આશરે૩/૪ કપ દહીંમા ૧૦૦-૧૫૦ કેલરી હોય છે અને નિયમિત શરીર ને જોઈતા ની ૨૦ ટકા જેટલું કેલ્શિયમ પણ મળી રહે છે. જો તમે તેને નિયમિતપણે તમારા આહારમા શામેલ કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે, તમારા પાચન મા સુધારો કરે છે, હૃદય તેમજ ફેફસાંને લગતી સમસ્યાઓ ઘટાડે છે, હાડકાં તેમજ દાંતને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તે વજન ઘટાડવા તેમજ તણાવ ઘટાડવામામદદગાર સાબિત થાય છે.

અહીં જણાવેલ તમામ આહાર અસંખ્ય ગુણોથી ભરપુર છે. તેને તમારા આહારમા સમાવેશ કરો અને સ્વસ્થ રહો. આ સિવાય, અનેક રોગોથી દૂર રહો.

Leave a Comment