અમદાવાદ ગાંધીનગરની શાન છે આ મંદિર, તો ચાલો જાણીએ અહીંના મુખ્ય ઐતિહાસિક સ્થળો વિશે

Image source

ગાંધીનગરમાં આવેલુ અક્ષરધામ મંદિર ગુજરાતના મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્રો માંથી એક છે. ૧૯૯૨ માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર ભગવાન સ્વામિનારાયણ ને સમર્પિત છે અને અહી તેમની સોનાની મૂર્તિ રાખેલ છે. આ મંદિરની દીવાલ પર ગુલાબી પથ્થર લગાવેલા છે જેના પર સૂર્યના કિરણો પડવાથી ચમકતા રહે છે.

કળાના અદ્ધભૂત નમૂના :

Image source

  •  આ મંદિર લીલાછમ વૃક્ષોથી સુશોભિત છે.
  • બાળકોને રમવા માટે બગીચામાં ઉતમ સુવિધા.
  •  અહી રહેલા ઝરણાં અને નદી આ સ્થળને વધુ આકર્ષિત બનાવે છે.
  •  અક્ષરધામ મંદિરમાં કલા, વાસ્તુકલા, શિક્ષણ, સંશોધન અને પ્રદર્શનોના વિવિધ પાસા એક સાથે જોઈ શકાય છે.

ચંડોલા તળાવ :

Image source

ચંડોલા તળાવ અહીંના ઐતિહાસિક સ્થળોમાં પ્રખ્યાત છે. જોવામાં ખુબજ સુંદર આ તળાવનું નિર્માણ મુગલ સુલતાન અમદાવાદ તાજ ખાન અલીની પત્નીએ કરાવ્યું હતું.

સાબરમતી આશ્રમ :

Image source

સાબરમતી નદીના કિનારે આવેલું સાબરમતી આશ્રમ પણ અહીંના મુખ્ય ઐતિહાસિક સ્થળોમાં પ્રખ્યાત છે. મહાત્મા ગાંધી દ્વારા તેની સ્થાપના ૧૯૧૫ માં કરી હતી. આ આશ્રમ સંગ્રહાલય , પુસ્તકાલય ઐતિહાસિક સભાગૃહ રૂપે જોવા મળે છે.

અહમદ શાહ મસ્જિદ :

Image source

અમદાવાદના સ્થાપક સુલતાન અહમદ શાહનું નામ આ પ્રાચીન મસ્જિદના નામે રાખવામાં આવ્યું છે. શહેરમાં સૌથી જૂની મસ્જિદ માંથી ગણવામાં આવતી આ મસ્જિદ તેની શાનદાર વાસ્તુકલા માટે પ્રખ્યાત છે. ૧૪૧૪ માં સ્થાપિત આ મસ્જિદને કાળા અને સફેદ સંગેમરમરથી સુંદર બનાવવામાં આવ્યુ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment