ફટકડી ના ઘણા ઔષધીય ગુણો છે. ઔષધીય ગુણો ના સિવાય તેના જ્યોતિષિય ગુણો પણ છે. જેનો ઉપયોગ કરવાથી જીવન માં લાભ પ્રાપ્ત થાય છે.
ચાલો જાણીએ તેના ઉપાયો..
વાસ્તુ દોષ મુક્તિ:
તમારા મકાન ની બારી કે દરવાજો એવી દિશા માં ખૂલે કે તેણી સામે ખંડહર જેવુ મકાન હોય અથવા તો ત્યાં કોઈ ઉજ્જડ જમીન અથવા પ્લોટ હોય, કે પછી વર્ષોથી બંધ પડેલું મકાન, સ્મશાન અથવા કબ્રસ્તાન હોય તો તે ખૂબ અશુભ ગણાય છે.
આવા મકાનમાં સકારાત્મક ઉર્જાના પ્રવેશ આપવા માટે, કાચ ના કોઈ વાસણ માં કે બારી પાસે ફટકડીના નાના ટુકડા મૂકવા. તેને દર મહિને નિયમિત રીતે બદલતા રહેવું. વાસ્તુ દોષ થી મુક્તિ મળે છે.
બાથરૂમમાં આખું મીઠું કે ફટકડીથી ભરેલ એક વાટકો રાખો. દર મહિને આ વટકા માંથી મીઠું કે ફટકડી બદલતા રહો. હવામાં રહેલા ભેજની સાથે આસપાસની નકારાત્મક શક્તિઓ નો પણ નાશ થાય છે.
બરકત માટે:
દુકાન કે પ્રતિષ્ઠાન ના મુખ્ય દરવાજા પર કાળા કપડામાં ફટકડી ભરીને લટકાવી બરકત અકબંધ રહે છે અને ધન ની આવક થાય છે.
પૈસા મેળવવા માટે:
દરરોજ રાત્રે સૂતી વખતે ફટકડી થી દાંત સાફ કરશો તો તમને ફાયદા થશે. આ સિવાય તમે ક્યારેક ફટકડીનાં પાણીથી સ્નાન પણ કરો. આનાથી શુક્ર ના દોષ દૂર થઈ ને ફાયદો થાય છે.
દેવામાં રાહત માટે:
એક પાન ના પત્તા પર થોડી ફટકડી અને સિંદૂર બાધી ને બુધવાર ના દિવસે પીપળા ના જાડ નીચે કોઈ એક પત્થર થી દબાવી દેવું. આ કાર્ય તમે 3 બુધવાર સુધી કરશો તો લાભ થશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team