જય સોમનાથ – શું તમે સોમનાથનાં બાણ સ્તંભ વિષે જાણો છો?

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલાં બાણ સ્તંભની વિશેષતાઓનાં વિષયમાં જાણો છો ?

એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુજ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . ૧૨ જયોતિર્લિગો માં સૌથી પહેલું  જ્યોતિર્લિંગ છે. સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ …. એટલું સમૃદ્ધ છે કે  ઉત્તર પશ્ચિમથી અવવાંવાળાં પ્રત્યેક આક્રાન્તાની પહેલી નજર સોમનાથ પર જ પડતી હતી. અનેકો વખત સોમનાથ મંદિર પર હુમલાઓ થયાં અને એને લુંટવામાં આવ્યું !!! સોના,ચાંદી,હીરા, માણેક, મોતી આદિ ગાડીઓ ભરી ભરીને આક્રાંતાઓ પોતાની સાથે લઇ ગયાં…… આટલી બધી સંપત્તિ લુંટ્યા પછી પણ દર વખતે સોમનાથનું શિવાલય એજ વૈભવસાથે ઉભું રહ્યું !!!  પરંતુ માત્ર આ વૈભવને કારણે જ  સોમનાથનું મહત્વ નથી !!!

સોમનાથનું મંદિર ભારતનાં પશ્ચિમ સમુદ્ર તટ  પર છે અને હજારો વર્ષોનાં જ્ઞાત ઇતિહાસમાં આ અરબી સમુદ્રે કયાર્ય પણ પોતાની મર્યાદા નથી લાંઘી !! ના જાણે કેટલાંય આંધી – તોફાનો આવ્યાં, ચક્રવાત આવ્યાં પરંતુ કોઈ પણ અંધી,તોફાન, ચક્રવાતથી મંદિરને કોઈ જ હાની નથી થઇ !!!

આ મંદિરનાં પ્રાંગણમાં એક સ્તંભ (થાંભલો ) છે  એ “બાણસ્તંભ” નામથી ઓળખાય્ય છે. એ સ્તંભ કયારથી ત્યાં સ્થિત છે એ બતાવવું લગભગ કઠીન જ છે. આશરે છઠ્ઠી શતાબ્દીમાં આ બાણસ્તંભનું ઇતિહાસમાં નામ આવે છે. પરંતુ એનો અર્થ એ નથી કે બાણ સ્તંભનું નિર્માણ છઠ્ઠી શતાબ્દીમાં જ થયું હોય !!! એનાથી સેંકડો વર્ષ પહેલાં આનું નિર્માણ થયું છે  એવું માનવામાં આવે છે …… આ એક દિશાદર્શક સ્તંભ છે જેનાં પર સમુદ્રની તરફ ઈંગિત કરતું એક બાણ છે…… આ બાણસ્તંભ પર લખ્યું છે  —–” આસમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિરમાર્ગ “ …… એનો અર્થ એમ થાય છે કે  —- ” આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં એક પણ આવરોધ કે બાધા નથી આવતી “ ……અર્થાત  —- “આ સમુચી દૂરીમાં જમીનનો એક પણ ટુકડો નથી “

જ્યારે લોકો પહેલી વખત આ સ્તંભ વિષે વાંચે છે તો એમનું માથું ચકરાવામાં પડી જાય છે !!! આ જ્ઞાન આટલા વર્ષો પહેલાં ભારતીયોને હતું ? આ કેવી રીતે સંભવ છે ?  અને કદાચ પણ સાચું છે તો કેટલાં સમૃદ્ધશાળી જ્ઞાનની વૈશ્વિક ધરોહર આપને સમજાવી હતી !!! સંસ્કૃતમાં લખેલી આ પંક્તિનાં અર્થમાં અનેક ગૂઢ અર્થ સમાહિત છે ….. આ પંક્તિનો સરળ અર્થ એ છે કે ——– ” સોમનાથ મંદિરનાં બિંદુથી લઈને દક્ષિણધ્રુવ સુધી (અર્થાત એંટાર્ટિકા સધી) એક સીધી રેખા ખેંચવામાં આવે તો વચમાં કોઈ પણ ભૂખંડ નથી આવતો….!!!”

શું સાચું છે ?   આજના આ તંત્ર વિજ્ઞાનનાં યુગમાં એ શોધવું સંભવ તો છે ,પણ એટલું આસન તો નથી જ !!! ગુગલ મેપમાં જો શોધવામાં આવે તો ભૂખંડ નથી દેખાતો પણ નાનાં -નાનાં ભુખાન્દોને જોવાં માટે મેપને એન્લાર્જ કરવો પડે……ધીરજ રાખીને જુઓ તો એક પણ ભૂખંડ નથી જ આવતો અર્થાત પૂર્ણરૂપે એમ માનવું જ પડે કે આ શ્લોકમાં સત્યતા છે !!!

પરંતુ તો પણ મૂળ પ્રશ્ન જેમનો તેમ જ રહે છે ….. જો એવું માની લઇને પણ ચાલીએ કે સન ૬૦૦માં બાણસ્તંભ નું નિર્માણ થયું હતું તો પણ એ જમાનામાં પૃથ્વીણો દક્ષિણી ધ્રુવ છે એજ્ઞાન આપણી પાસે આવ્યું ક્યાંથી ? સારું ….. દક્ષીણ ધ્રુવ જ્ઞાત હતું , એ માની પણ લઈએ તો સોમનાથ મંદિરથી છેક દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં ભૂખંડ નથી આવતો એ “મેપિંગ” કર્યું કોણે? કેવી રીતે કર્યું?

બધું જ અદભૂત !!!  આનો અર્થ એ થાય કે “બાણસ્તંભ”નાં નિર્માણકાળમાં ભારતીયોને પૃથ્વી ગોળ છે એનું જ્ઞાન હતું. એટલું જ નહીં પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે (અર્થાત ઉત્તર ધ્રુવપણ છે) ઈ પણ જ્ઞાન હતું !!!આ કેવી રીતે સંભવ બન્યું ? આને માટેપૃથ્વીના “એરિયલ વ્યુ” માટે કયું સાધન ઉપલબ્ધ હતું ? અથવા પૃથ્વીનો વિકસિત નકશો બન્યો હતો ?

નકશા બનવવાનું એક શાસ્ત્ર હોય છે જેને અંગ્રેજીમાં “કાર્ટોગ્રાફી” (આ મૂળત: ફ્રેંચ શબ્દ છે)કહેવાય છે !!! આ પ્રાચીન શાસ્ત્ર છે ઈસુની પહેલાં ૬ થી ૮ હજાર વર્ષ પૂર્વેની ગુફાઓમાં આકાશનાં ગ્રહો અને તારાઓનાં નકશા મળ્યાં હતાં…. પરંતુ પૃથ્વીનો પહેલો નકશો કોને બનાવ્યો એના પર એકમત નથી !!!

આપણા ભારતીય જ્ઞાનનું કોઈ સબુત ન હોવાંથી આ કરને આ સન્માન “એનેકઝિમેં ડર” આ ગ્રીક વૈજ્ઞાનિકને આપવામાં આવે છે. એમનો કાર્યકાલ ઇસવીસન પૂર્વે ૬૧૧ થી ૫૪૬ વર્ષ હતો પણ એમણે બનાવેલો નકશો અત્યંત પ્રાથમિક અવસ્થામાં હતો !!! એ કાળમાં જ્યાં જ્યાં મનુષ્યનાં વસવાટનું જ્ઞાન હતું બસ એટલો જ હિસ્સો નકશામાં દર્શાવવામાં આવતો હતો.  એટલાં માટે એ નકશામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બતાવવાનું કોઈ કારણ હતું જ નહીં. આજની દુનિયાને વાસ્તવિક રૂપે કરીબ લાવવાંવાળો નકશો “હેનરિકસ માર્ટેલસ”એ સાધારણટ: સન ૧૪૯૦ની આસપાસ તૈયાર કર્યો હતો !!! એવું માનવામાં આવે છે કે કોલંબસ અને વાસ્કોડિગામા એ આ નકશાનાં આધારે જ પોતાની સમુદ્રી સફર નક્કી કરી હતી !! ” પૃથ્વી ગોળ છે ” આ પ્રકારનો વિચાર યુરોપનાં કેટલાંક વૈજ્ઞાનિકોએ વ્યક્ત કર્યો હતો. “એનેકિસમેંડર” ઇસવીસન પૂર્વે ૬૦૦ વર્ષ એ પૃથ્વીને સિલેંડરનાં રૂપમાં માની હતી. “એરિસ્ટોટલ” (ઈસવીસનપૂર્વે ૩૮૪ -૩૨૨ ) એ પણ પૃથ્વીને ગોળ માની હતી.


પરંતુ ભારતમાં આ જ્ઞાન બહુજ પ્રાચીન સમયથી હતું જેનું પ્રમાણ પણ આપણને મળે છે.  આ જ્ઞાનનાં આધાર પર આગળ જઈને આર્યભટ્ટે સન ૫૦૦ની આસપાસ આ ગોળ પૃથ્વીનો વ્યાસ ૪૯૬૭ યોજન છે. (અર્થાત નવાં માપદંડો અનુસાર ૩૯૬૬૮ કિલોમીટર છે ) એ પણ દ્રઢતાપૂર્વક બતાવ્યું. આજની અત્યાધુનિક તકનીકી સહાયથી પૃથ્વીણો વ્યાસ ૪૦૦૬૮ કિલોમીટર માનવામાં આવે છે. એનો અર્થ એ થયો કે આર્યભટ્ટનાં આકલમાં માત્ર ૦.૨૬ %નું જ અંતર આવે છે જે ને નજરઅંદાજ કરી જ શકાય તેમ છે. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં આર્યભટ્ટ પાસે આ જ્ઞાન આવ્યું ક્યાંથી ?

સન ૨૦૦૮મ જર્મનીના વિખ્યાત ઇતિહાસવિદ જોસેફ શ્વર્ટસબર્ગે એ સાબિત કરી આપ્યું કે ઈસ્વીસન પૂર્વે બે -અઢી હજાર વર્ષ પહેલાં જ ભારતમાં નકશાશાસ્ત્ર અત્યંત વ્કસિત હતું !!! નગર રચનાનાં નકશા એ સમયમાં ઉપલબ્ધ તો હતાં પરંતુ નૌકાયાન માટે જરૂરી એવાં પણ નકશા પણ ઉપલબ્ધ હતાં ….ભારતમાં નૌકાયાનશાસ્ત્ર પ્રાચીનકાલથી જ વિકસિત હતું  સંપૂર્ણ દક્ષિણ એશિયામાં જે પ્રકારે હિંદુ સંસ્કૃતિનાં ચિહ્ન પગ પગ પર જોવાં મળે છે એનાથી એ જ્ઞાત થવાય છે કે ભારતનાં જહાજ પૂર્વ દિશામાં જાવા,સુમાત્રા,ય્વન્દ્વીપને પાર કરીને જાપાન સુધી પ્રવાસ કરતાં હતાં. સન ૧૯૫૫આ ગુજરાતના “લોથલ”માં અઢી હજાર વર્ષ પૂર્વનાં અવશેષ મળ્યાં છે એમાં ભારતનાં પ્રગટ નૌકાયાનનાં પણ અનેક પ્રમાણો મળ્યાં છે !!!


સોમનાથ મંદિરનાં નિર્માણકાળમાં દક્ષિણ ધુવ સુધી દિશાદર્શન એ સમયનાં ભારતીયોને હતું એ  નિશ્ચિત છે. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન સામે આવે છે કે દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં સમુદ્રમાં કોઈ અવરોધ નથી  એવું પાછળથી શોધવામાં આવ્યું હતું …… અથવા દક્ષિણ ધ્રુવથી ભારતનાં પશ્ચિમ તટ પર વિના અવરોધ સીધી રેખા જ્યાં મળે છે ત્યાં પહેલું જયોતિર્લિંગ સ્થાપિત કર્યું ?

એ જે હોય તે હોય પણ એ જ્ઞાનનો ઉપયોગ સૌથી પહેલાં ગુજરાતમાં થયો છે એ માટે તો ગુજરાતે ગૌરવ જ લેવું જોઈએ !!! જય સોમનાથ !!!
———- જનમેજય અધ્વર્યુ

Leave a Comment