કોરોનાને કારણે હાલ લોકોમાં ભયનો માહોલ છે. લોકો એટલા ડરી ગયા છે. હવે તેઓ સંપુર્ણ તકેદારી રાખી રહ્યા છે. ત્યારે આજે અમે તમને આયુર્વેદિક હેંડ મોઈશ્ચરાઈઝર વીશે માહિતી આપવા જઈ રહ્યા છે. જે તમે ઘરેજ બનાવી શકો છો. સાથેજ આનો વપરાશ જો તમે નિયમીત રીતે કરશો તો કોરોના જેવી ગંભીર બિમારીથી પણ તમને રક્ષણ મળી રહેશે.
ખાસ કરીને આપણે લોકો આજકાલ ઘરે હાથ વારંવાર સેનેટાઈઝ કરીએ છે. લોકોના મનમાં એવી ધારણા બેસી ગઈ છે. કે સેનેટાઈઝરથી કોરોના સામે રક્ષણ મળી રહેતું હોય છે. જોકે તમને ખ્યાલ ન હોય જણાવી દઈએ કે એક્સપર્ટ્સનું કહેવું એવું છે. કે તમે હાથને વાંરવાર સેનેટાઈઝ કરો તેના કરતા તમે હાથને સાબુથી ધોવાનું રાખશો તે વધારે સારુ રહેશે પરંતુ લોકો સેનેટાઈઝરજ વધારે યુઝ કરે છે.
તે સિવાય મોટા ભાગના લોકો હવે કોરોનાની બીજી લહેરમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સનું મહત્વ સમજી ગયા છે. લોકો હવે માસ્ક પહેરીનેજ રાખે છે સાથેજ હવે લોકો ક્યાય પણ એક સાથે ભીડમાં જોવા નથી મળતા. કારણકે લોકોમાં હવે કોરોનાને લઈને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
વારંવાર હાથ ધોવાથી હાથની સ્કીન પણ ઘણી વખત ફાટી જાય છે. સાથેજ મોઈશ્ચરાઈઝરની અસર પણ વધારે સમય સુધી ટકી નથી રહેતી . જેથી આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર જણાવા જઈ રહ્યા છે. જે ઉપચાર મોઈશ્ચરાઈઝરના ઉપયોગ કરતા સસ્તો છે. સાથે ઘણોજ અસરકારક પણ છે.
સાધન સામગ્રી
બજારમાં મળતા મોઈશ્ચરાઈઝર ઘણા મોંઘા હોય છે. સાથેજ અમુક તો કોરોનાથી રક્ષણ પણ નથી આપતા કારણકે ઘણા કેસમાં એવું હોય છે. કે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવા છતા લોકો કોરોનાની ઝપેટમાં આવી જાય છે. ત્યારે આજે અમે તમને એક ઘરેલું ઉપચાર જણાવા જઈ રહ્યા છે. જે પુરી રીતે આયુર્વેદિક છે સાથેજ આ ઉપચારથી સ્કીનને પણ ઘણો ફાયદો મળી રહેશે.
- એક કપ સરસીયાનું તેલ
- પીપળાના પાંદડા
- કેરીના પાંદડા
કેવી રીતે બનાવશો આયુર્વેદિક મોઈશ્ચરાઈઝર ?
લોખંડના તાસળામાં સરસીયાનું તેલ નાખો બાદમાં તે તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારે તેમા કેરીના પાંદડા નાખજો બાદમાં તેને 5 મિનીટ સુધી ધીમી આંચે ગરમ થવા દેજો. ત્યારબાદ તેમા પીપળાના પાન પણ નાખજો અને ગેસ બંધ કરી દેજો. ગેસ બંધ કર્યા બાદ જ્યારે તેલ ઠંડુ પડી જાય ત્યારે તેને ચાયણીમાં ગાળીને એક બોટલમાં સ્ટોર કરી રાખજો. સાથેજ એવી બોટલમાં રાખજો કે જેમાથી તે તેલ સરળતાથી નીકળી શકે.
માત્ર 2 કે 3 ટીપા પૂરતા છે.
આપને જણાવી દઈએ કે સરસિયાના તેલમાંથી બનેલું આ આયુર્વેદિક હેંડ સેનેટાઈઝર તમારા હાથ માટે વધારે સારુ રહેશે. સાથેજ તમારે વધારે માત્રામાં લગાવું પણ નહી પડે કારણકે આ તેલના 2 કે 3 ટીપા જેટલોજ યુઝ તમારે કરવાનો રહેશે
જો તમે સાબુથી હાથને બે થી ત્રણ વખત ધોશો તો પણ તેની અસર તમારા હાથમાં રહેશે. બજારમાં તમને જે પ્રોડક્ટ મળતી હોય છે. તે એટલી અસરકારક નથી હોતી. સાથેજ જ્યારે તમે સાબુથી તમારા હાથ ધોશો ત્યારે તો તે પુરી રીતે ધોવાઈ જાય છે.
કોરોના સામે પણ રક્ષણ મળશે
તમને જાણીને નવાઈ લાગશે કે આ મોઈસ્ચરાઈઝર કોરોના સામે પણ તમને રક્ષણ આપશે. કારણકે સરસિયાના તેલમાં અને પીપળા તેમજ કેરીના પાંદડાઓમાં એંટી માઈક્રોબિયલ પ્રોપટીઝ રહેલી હોય છે. આ ત્રણેય ભેગા થાય ત્યારે પ્રાકૃતિક રૂપે તમને વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળી રહેતું હોય છે. જ્યારે તમે સાબુથી હાથ ધોશો ત્યારે પણ મોઈશ્ચરાઈઝર તામારા હાથમાંજ રહેશે. જેના કારણે તમને કોરોના સામેતો રક્ષણ મળશે સાથેજ તમારી સ્કીન પણ સારી રહેશે.
રાતે આ રીતે ઉપયોગ કરજો
આ તેલની શરીર પર માલિશ પણ કરી શકાય છે. જેમા રાતે સુતા પહેલા તમે માલીશ કરી શકો છો. આ તેલ માલીશ કરવાથી શરીરની સ્કીનને ઘણો ફાયદો થતો હોય છે. વાયરસથી તો તમને સુરક્ષા મળી રહેશે. સાથેજ તમારી સ્કીન પણ સોફ્ટ રહેશે. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે આ મોઈશ્ચરાઈઝર નાહ્યા પછી તમારા શરીર પર લગાવો છે. તો તમારે તડકામાં ન જવું જોઈએ કારણકે આવું કરવાથી તમારી સ્કીન ડાર્ક થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team