ભારતની આ સાતમી અજાયબી વિશે જાણીને તમે પણ કોઈને પ્રેમ કરવા લાગશો

કુદરતે કેવી અદ્દભૂત પૃથ્વી બનાવી છે. ઝાડ-જંગલ, પશુ-પક્ષી, સરોવર-દરિયા વગેરે અને વગેરે. કેવો જબરદસ્ત કારીગર છે – ઈશ્વર. કદાચ જો આવું અદ્દભૂત સર્જન ન હોત તો કઈ રીતે માનવ જીવન પસાર કરતો હોત..? એ પ્રશ્ન મનમાં ક્યારેક આવે પણ ખરો.

કુદરતી સર્જન તો બેમિસાલ છે જ. તેની હરોળમાં માનવ સર્જિત રચનાઓ પણ બેનમૂન છે. વિશ્વમાં એવી સાત અજાયબી છે. જેને ખુબસુરતી માટે વિશ્વવિખ્યાત ખ્યાતી મળી છે. તમને ખબર છે આ સાત અજાયબી કઈ-કઈ છે?

1. ચીનની લાંબી દીવાલ (ચીન)

2. પેટ્રા (જોર્ડન)

3. ક્રિસ્ટ ધ રેડિમર (મૂર્તિ) (બ્રાઝીલ)

4. માચુ પિચુ (પેરૂ)

5 ચિમેન ઈત્ઝા (મેક્ષીકો)

6. રોમન કોલોસિયમ (ઇટલી)

7. તાજમહેલ (ભારત)

8. વિશાળ પિરામીડ (ઇઝીપ્ત) – એક નવી અજાયબી પણ સામેલ થઇ ચુકી છે.

આ સાત અજાયબીમાંથી તાજમહેલ ભારતમાં સ્થિત છે. તેની એવી રહસ્યમય વાતો છે, જે બહું ઓછા લોકો જાણે છે. હાલમાં પણ આ સ્થળ પહેલા જેટલું જ પ્રખ્યાત છે.

મુગલ બાદશાહ શાહજહાંએ તેમની બેગમ મુમતાઝ માટે આ વિશાળ રચના બનાવી હતી. તેના પ્રેમની નિશાની આખી દુનિયામાં અમર રહે તેવું માનતા. એ માટે તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી આખા વિશ્વમાં આજે પણ પ્રેમી લોકો માટેની એક નિશાની માનવામાં આવે છે. તો જાણીએ તાજમહેલનાં એવા આશ્ચર્યજનક તથ્યો જે લગભગ તમે ક્યારેય જાણ્યા નહીં હોય.

(૧) મુમતાઝ મહેલનાં મકબરાની છત પર એક છેદ છે. જો કે, એ છેદ પાછળ ઘણી પ્રકારની કહાનીઓ બહાર આવી છે. પણ થોડી નવી વાત જાણીએ. તાજમહેલ બની ગયા બાદ બધા મજૂરોનાં હાથ કાપી નાખવામાં આવ્યા હતાં. જેથી વિશ્વમાં બીજા કોઈ તાજમહેલનું નિર્માણ ન થાય. ત્યારે બાકીના નિર્માણ વખતે અમુક મજૂરોએ તેના બાંધકામમાં કોઈ ખામી રાખી છે. જે આજ સુધી કોઈ સુલજાવી શક્યું નથી. ત્યારથી લઇ હાલમાં પણ આ મકબરો ભેજથી તરબર રહે છે.

(૨) તાજમહેલની એકદમ બાજુમાં યમુના નદી વહે છે. જો આ નદી ન હોત તો પણ મહેલનું નિર્માણ થઇ શક્યું ન હોત. કેમ કે, નિર્માણ સ્તંભ એવા લાકડામાંથી થયેલ છે જેને સતત ભેજની જરૂર પડે. એ ભેજથી લાકડું મજબૂત બનીને રહે છે. લાકડાને નદીનાં પાણીમાંથી આ ભેજ મળી રહે છે.

(૩) તાજમહેલનાં ચારેય મીનાર એકબીજાની તરફ ઝુકેલ છે. એવું એટલા માટે છે કે, જયારે કોઈ કુદરતી કારણ કે અન્યથી મુખ્ય ઈમારતને કઈ નુકસાન ન થાય.

(૪) તાજમહેલ કુતુબમીનારથી પણ લંબાઈમાં ઉંચો છે. કુતુબમીનારને ભારતનો સૌથી લાંબો મીનાર માનવામાં આવે છે. સત્ય વાત એ છે કે, કુતુબમીનારની ઉંચાઈ 239 ft છે. જયારે તાજમહેલનાં મીનારની ઉંચાઈ 243.5 ft છે.

(૫) તાજમહેલના આગળના ભાગમાં ફુવારા લાગેલા છે. જે બધા એકસાથે એક સરખું જ કામ કરે છે. એમ ફુવારાની નીચે એક ટાંકી બનેલ છે. એ જુના સમયની અદ્દભૂત કારીગરી છે. એ ટાંકીમાં પાણી ભરતા આપોઆપ એટલું પ્રેસર ઉત્તપન્ન થાય છે. જેનાથી બધા ફુવારા આપમેળે કામ કરે છે. જેનાં માટે કોઈ મશીન કે મોટર લગાવવામાં આવી નથી.

(૬) દ્રિતીય વિશ્વયુદ્ધ અને ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સર્વેક્ષણ વિભાગે વાસમાંથી બનાવેલ ઘેરો બનાવી તેને લીલા રંગની ચાદરથી ઢાંકીને આખા તાજમહેલને ઓઢાડી દીધો હતો. જેને કારણે દુશ્મનોથી બચાવી શકાય.

(૭) તાજમહેલની કલાકૃતિ માટે ૨૮ પ્રકારનાં પથ્થરોનો ઉપયોગ થયો હતો. આ પથ્થર ચીન, તિબેટ અને શ્રીલંકાથી મંગાવવામાં આવ્યા હતાં. અંગ્રેજોએ આ પથ્થરોને કાઢી નાખ્યા હતાં. જેથી કોતરણી કામની દ્રષ્ટિએ ભારતને આગળ પડતું સ્થાન મળે નહીં.

(૮) ૧૬૩૨ થી ૧૬૫૩માં જયારે તાજમહેલ બન્યો ત્યારે હાલનાં ૩૨ મિલિયન જેટલો ખર્ચ થયો હતો.

(૯) શાહજહાંનું એક સપનું હતું કે ખુદ તેમનાં માટે પણ એક “કાળો તાજમહેલ” બનાવવો. પણ તેમનાં જ દીકરા ઓંરંગઝેબ દ્વારા કેદ કરવાને કારણે તેનું આ સપનું પુરું થઇ શક્યું નહીં.

(૧૦) તાજમહેલ સાથેની પહેલી સેલ્ફી “જ્યોર્જ હેરીશન” નામના વ્યક્તિએ લીધી હતી. જયારે સેલ્ફીનો જમાનો પણ ન હતો.

(૧૧) દિવસનાં અલગ અલગ સમય મુજબ તાજમહેલનો રંગ બદલાય છે. સવારનાં સમયે ગુલાબી દેખાય છે.

સાંજે દુધિયા સફેદ અને ચાંદની રાતમાં સોનેરી દેખાય છે.

(૧૨) તાજમહેલને નિહાળવા માટે એક દિવસમાં ૧૨,૦૦૦ જેટલા લોકો આવે છે. આટલા લોકો દુનિયાની કોઈ ઈમારતને જોવા માટે આવતા નથી.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment