મંદિરમાં જઈએ ત્યારે શા માટે ઘંટ વગાડવામાં આવે છે?? તમને કારણ ખબર છે?

  • સામાન્ય રીતે આપણે બધા મંદિરમાં જઈએ ત્યારે ઘંટ વગાડીએ છીએ, પણ એ પાછળનું કારણ ખબર છે? આ રોચક તથ્યને જાણવા માટે બસ અહીં ક્લિક કરો..

વિશ્વના કોઇપણ મંદિરની અંદર જઈને જુઓ તો તમને ઘંટી જોવા મળે જ છે. નાનું મંદિર હશે તો પણ ઘંટી તો હશે. પણ શું તમને આ ઘંટી વગાડીને મંદિરની અંદર પ્રવેશ કરવાનું અથવા મંદિરની અંદર શા માટે ઘંટી રાખવામાં આવે છે તેનું તથ્ય ખબર છે? ઘણાખરા લોકોને ઘંટી વગાડવા પાછળનું રહસ્ય નથી ખબર. તો ચાલો, આજના આર્ટીકલમાં આવી જ માહિતી જાણીએ. તો તમે આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

સામાન્ય રીતે મંદિરમાં ભગવાનની આરતીની સમય નક્કી હોય છે અને મુજબ ભગવાનની આરતી અને ગુણગાન ગવાતા હોય છે. કદાચ તમે એ દરમિયાન પણ નોંધ્યું હશે કે આરતી સમયે પણ ઘંટ વગાડવામાં આવે છે. તો એ પાછળ એવું કહેવાય છે કે, ઘંટના અવાજથી ભગવાનમાં ચેતના જાગૃત થાય છે. ભગવાન તેના માટે ભક્ત પર પ્રસન્ન થાય છે. એમ, ઘંટ વગાડીને કરેલી આરતી કે પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે.

આમપણ ભગવાન બહુ મોટો વૈજ્ઞાનિક છે, પૃથ્વી પર દરેક નાની-નાની વસ્તુનો ખ્યાલ રાખીને સર્જન કર્યું છે. એવી રીતે આપણે ઘણા જિંદગીના પડાવમાંથી નીકળવું પડે છે અને અંતે ગઢપણને પણ સહન કરવું પડે છે. આ જીવનચક્રને પાર કર્યા વિના કોઈ બાકી રહેતું નથી. હા, એક વાત છે માણસની આયુ લાંબી-ટૂંકી હોય શકે છે જેને કારણે કોણ-કઈ સ્થિતિમાંથી બહાર નીકળશે એ કહી ન શકાય. પણ મોટાભાગના લોકો માટે બચપન-જુવાની-ગઢપણ આ ત્રણેય અવસ્થાનું જીવનચક્ર સરખું હોય છે.

મુખ્ય વિષય પર વાત કરતા – પુરાણમાં પણ મંદિરમાં રહેલી ઘંટીનો મહિમા દર્શાવે છે. મંદિરની ઘંટીના રણકારથી વાતાવરણમાં શુધ્ધતા આવે છે. દેવી-દેવતાઓની શક્તિને જાગૃત કરવા માટે ઘંટીનો રણકાર જરૂરી છે. એટલે તો મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર પર જ ઘંટને રાખવામાં આવે છે. મંદિરની આરતી વખતે ઝાલર, નગારૂં, ઘંટ વગેરેનો આરતીનાદ એકસાથે થતા વાતાવરણ પણ પ્રફુલ્લિત થઇ જાય છે.

ઘંટીના અવાજથી વાતાવરણમાં કંપન પેદા થાય છે, જે નુકસાનકર્તા સુક્ષ્મ જીવાણુંને નાશ કરી નાખે છે. આ કારણે મંદિરની આસપાસનું વાતાવરણ સ્વચ્છ-શાંત અને આરામદાયક લાગે છે. જ્યાં ઘંટીનો રણકાર રોજ સંભળાતો હોય ત્યાં આસપાસનો માહોલ એકદમ સકારત્મક ઉર્જાથી ભરેલો હોય છે. ત્યાં સુખ-સમૃદ્ધિ આવે છે અને સાથે ભગવાનનો વાસ પણ થાય છે.

તો આટલા બધા કારણો છે, જેને કારણે મંદિરમાં ઘંટ રાખવામાં આવે છે અને સાથે મુખ્ય પ્રવેશદ્વાર પર ઘંટ વગાડીને ભક્તો અંદર પ્રવેશ કરે છે. મંદિર એટલે પોઝીટીવ એનર્જીનો સ્તોત્ર કહેવાય તો એ સ્ત્રોત હંમેશા ચાર્જ રાખવા માટે ઘંટનો રણકાર અતિ જરૂરી છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment