ડાયટીશિયન અને ફિટનેસ એક્સપર્ટ નું એવું માનવું છે કે આપણે રાત ના સૂતા પહેલા લગભગ 2-3 કલાક પહેલા જ ભોજન કરી લેવું જોઈએ. જેથી કરી ને આપણું ખાવાનું સારી રીતે પછી જાય.
સામાન્ય રીતે લોકો પોતાના વધતાં વજન થી હેરાન થઈ જાય છે. એટલે તેઓ અલગ અલગ રીતે પોતાની ડાયેટ નું પ્લાનિંગ કરતાં હોય છે, કસરત કરતાં હોય છે, ઘી-તેલ ખાવાનું બંધ કરી દે છે. પણ શું તમે જાણો છો કે તમારા વધતાં વજન નું મુખ્ય કારણ શું છે? ચાલો જાણીએ આજ ની આ પોસ્ટ માં..
મોટા ભાગ ના લોકો રાત નું ખાવાનું ખાઈ ને સૂઈ જતા હોય છે. જે આપણાં લાઇફ સ્ટાઇલ ની સૌથી મોટી ભૂલ છે.
રાત ના સૂતા પહેલા લોકો પોતાના રૂમ નું તાપમાન એકદમ ઓછું કરી દે છે. Ac ના ઠંડા પવન સામે શરીર નું નોર્મલ તાપમાન જાળવી રાખવું થોડું અઘરું થઈ જાય છે. જેનાથી શરીર નું વજન વધે છે.
રાત નું ખાવાનું ખાધા પછી સૂઈ ન જવું. ઓછા માં ઓછું 20-30 મિનિટ જેટલું ચાલવું જોઈએ. જેનાથી ખાવાનું સરળતા થી પચી જાય છે. અને વજન વધવાની સંભાવના ઓછી થઈ જાય છે.
લોકો રાતે વધુ કેલેરી લઈ લે છે જેના કારણે વજન જડપ થી વધે છે. જ્યારે એવું માનવામાં આવે છે કે રાત ના ખાવામાં ઓછી કેલેરીયુક્ત ભોજન લેવુ વધુ સારું ગણાય છે. કારણકે દિવસ ની સરખામણી એ રાત ના ઓછી કેલેરી બર્ન થાય છે. એટલે રાત નું ખાવાનું પચતું નથી અને વજન વધ્યા કરે છે.
ઘણા લોકો ખાધા પછી મીઠાઇ ખાવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે જે લોકો નું વજન જડપ થી વધે છે તેમણે રાત ના કોઈ મીઠાઇ ખાવી નહીં. કારણકે રાત ના સુગર ખૂબ જ ધીમી ગતિ થી પચે છે.એટલે રાત ના મીઠું(સ્વીટ) ન ખાવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
હલો મે નવી ચેનલ બનાવી છે તો તેમાં તમારા લખાણ ની કોપી કરીને વિડીયો બનાવી શકાય?
માફ કરશો પરંતુ નહીં લઈ શકો આપ….