શરીરનો થાક દૂર કરવા અને ચમકીલી ત્વચા માટે નહાવાના પાણીમાં ઉપયોગ કરો આ વસ્તુઓનો

Image Source

શરીરની સાર સંભાળ માટે દરરોજ સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવાથી શરીર સાફ અને સ્વચ્છ રહે છે. આવી સ્થિતિમાં દરરોજ સ્નાન કરવું જરૂરી હોય છે. દરરોજ સ્નાન કરવાથી શરીરની સાથે-સાથે મગજ પણ તાજગીસભર રહે છે. દરરોજ સ્નાન કરવા છતાં પણ લોકોમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે, તેથી ત્વચાની સુંદરતા જોવા મળતી નથી.

આવી સ્થિતિમાં સ્નાન કરતી વખતે અમુક વસ્તુઓનો ઉપયોગ કરવાથી ત્વચામા સુંદરતા આવે છે. તેમજ શરીરનો થાક દૂર કરવા માટે તમે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ સ્નાન કરતી વખતે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાથી ત્વચાની સુંદરતા અને શરીરનો થાક દૂર થાય છે.

Image Source

લીમડાના પાંદડા:

શરીરનો થાક દૂર કરવા અને સુંદર ત્વચા માટે લીમડાના પાંદડા ખૂબ જ અસરકારક છે. લીમડાના પાનનો ઉપયોગ કરવા માટે ૮ થી ૧૦ પાંદડાને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને પાણી ગાળી લો. આ પાણીને સ્નાન કરવાના પાણીમાં ભેળવી દો. લીમડાના પાણી થી સ્નાન કરવાથી ત્વચા સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. ચેહરા અને શરીરના સોજા ઓછા કરવા માટે પણ આ પાણી ખૂબ જ અસરકારક છે.

Image Source

ફટકડી અને સિંધવ મીઠું:

સ્નાન કરવાના પાણીમાં એક ચમચી ફટકડી અને સીંધવ મીઠું ભેળવી દો. ફટકડી અને સિંધવ મીઠું ભેળવવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. સાથે સાથે શરીરનો થાક પણ દૂર થાય છે. જે લોકોના સ્નાયુઓમાં દુખાવો થાય છે તેઓને સ્નાન કરવાના પાણીમાં ફટકડી અને સિંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી દુખાવામાં રાહત મળે છે.

Image Source

ગુલાબ જળ:

ગુલાબ જળનો ઉપયોગ ત્વચા માટે કરવામાં આવે છે. જો તમે શરીર માંથી આવતા પરસેવાની દુર્ગંધથી પરેશાન છો તો તમે ગુલાબ જળનો ઉપયોગ સ્નાન કરતી વખતે કરી શકો છો. ચમકીલી અને દાગ રહિત ત્વચા માટે સ્નાન કરવાના પાણીમાં ગુલાબ જળ ભેળવો. આ પાણી વડે સ્નાન કરવાથી શરીરના પરસેવાની દુર્ગંધ પણ દૂર થઈ જશે.

Image Source

ગ્રીન ટી:

સ્નાન કરવાના ૨૦ મિનિટ પહેલા પાણીમાં ૪ થી ૫ ગ્રીન ટી બેગ નાખીને મૂકી દો. ગ્રીન ટી મા એન્ટી ઓક્સિડન્ટ ગુણ મળી આવે છે જે ત્વચા માટે એન્ટી એંજીંગનું કામ કરે છે.

Image Source

બેકિંગ સોડા:

બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. સ્નાન કરવાના પાણીમાં ચાર ચમચી બેકિંગ સોડા નાખીને નહાવું. તેનાથી તમારા શરીરનો થાક દૂર થશે.

Image Source

કપૂર:

કપૂરનો ઉપયોગ સ્નાન કરવાના પાણીમાં કરવાથી ઘણો ફાયદો થાય છે. શરીર અને માથાના દુખાવાને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ યોગ્ય માનવામાં આવે છે. સ્નાન કરવાના પાણીમાં બે થી ત્રણ કપૂરના ટુકડા ભેળવો. ત્યાર બાદ આ પાણીથી નહાવું. આમ કરવાથી શરીર અને માથાનો દુખાવો ઓછો થાય છે.

દરેક ને ખાસ વિનંતી છે કે ઉપરોક્ત જણાવેલ કોઈ પણ ઉપાય કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment