આયુર્વેદ, સ્વાસ્થ્ય સારસંભાળની એક પ્રાચીન પદ્ધતિ છે અને તે ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી હેઠળ આવે છે.
આયુર્વેદ અનુસાર – વાળની સ્થિતિ એ વ્યક્તિની શારીરિક સ્થિતિનું પ્રતિબિંબ છે.
આયુર્વેદમાં આહાર-વિહાર એ બે મુખ્ય પરિબળો છે જે આપણા શરીર અને વાળના સ્વાસ્થ્યને અસર કરે છે. અનિયમિત આહાર ની ટેવ, ખોટા ભોજનથી, રોગ, વિટામીન કે ખનીજની ઉણપ, વાળની ગુણવત્તાને અસર કરે છે તેમજ ખોડો, પ્રારંભિક ટાલ પડવી અને વાળના અકાળે સફેદ થવા જેવી સમસ્યાઓ પેદા કરે છે.
આયુર્વેદ વાળને સ્વસ્થ રાખવા માટે કેટલીક મૂળભૂત સૂચનાઓ પૂરી પાડે છે. લાંબા અને રેશમી વાળ માટે આ સરળ ઉપાયો અજમાવો.
1. નિયમિત રૂપે માથાની ચામડીને માલિશ કરો.
વાળને ઔષધીય તેલથી માલિશ કરવાથી માથાના ચામડીની ત્વચાને પોષણ મળે છે. માથું અને તેની ચામડી પર ગરમ તેલથી માલિશ, ખાસ કરીને કેશ્યા જેવા ઔષધિઓ સાથે ફેલાયેલા તેલનું માલિશ, તેને પોષણ આપે છે. માથાના ચામડીની શુષ્કતા ઓછી કરે છે તેમજ પરિભ્રમણ વધારે છે. નારિયેળનું તેલ કે તલનું તેલ, ઉમાલકી, બ્રામ્હી, ભૃંગરાજ એ જપા જેવી ઔષધિથી યુક્ત વાળમાં રંગ તેમજ ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.
આયુર્વેદિક હર્બલ હેર ઓઇલ વાળને અનુકૂળ ઔષધિઓનું મિશ્રણ છે. અઠવાડિયામાં 2-3 વખત નહાતા પહેલા 1-2 કલાક માથાની ચામડીનું માલિશ કરવું એ રાહત મેળવવા માટે એક અદ્ભુત સારવાર છે.
2. માથું અને તેની ત્વચાની નિયમિત રૂપે સાફ રાખવી.
માથું અને તેની ત્વચાને ખંજવાળ તેમજ ભીંગડાથી બચવા માટે તેની સફાઈ રાખવી. ઔષધીય શેમ્પૂથી વાળને સાફ કરો. શેમ્પૂનો વધુ પડતો ઉપયોગ, ખાસ કરીને ડ્રાય શેમ્પુ માથાની ત્વચા અને વાળમાં શુષ્કતાનું કારણ બની શકે છે. વાળને ધોવા માટે હૂંફાળા તેમજ તાજા પાણીનો ઉપયોગ કરો અને ત્યારબાદ પ્રાકૃતિક કન્ડિશનર લગાવો. સ્વાભાવિક રીતે વાળને સુકાવા દો, હેર ડ્રાયર થી ન સૂકવવા. નિયમિત રીતે દ્વિમુખી વાળને કપાવો તેમજ કુદરતી નુકસાનથી બચો. વાળની સામાન્ય રીતે સફાઈ તેમજ ઓળવા જરૂરી છે. તેનાથી માથાની ત્વચામાં તેલ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ ઉત્પન્ન થાય છે. આ કુદરતી રીતે ઉત્પન્ન થયેલું તેલ વાળને સ્વસ્થ અને ચમકીલા રાખે છે.
3. નિયમિત આહારની આદત.
ભોજન એ હવાની અવરજવર વાળા અને શાંત ઓરડામાં કરવું જોઈએ તેમજ ભોજન દરમિયાન બીજું કોઈ કાર્ય ન કરવું જોઈએ. યોગ્ય પાચન માટે ભોજન કરતી વખતે વધારે પાણી ન પીવું. પાણી ભોજન કર્યાના અડધો કલાક પહેલા પીવું જોઈએ. તેલયુક્ત, મસાલેદાર તેમજ માસાહારી ભોજન કર્યા પછી હૂંફાળું પાણી પીવું.
આ નિયમોનું પાલન કરવાથી તમે તમારા શરીરમાં ઝેરીલા પદાર્થોનું નિર્માણ અટકાવી શકો છો. શેર પોષક તત્વોની આપણા શરીરના સ્નાયુઓ અને પેટીઓ વિડિયો પહોંચતા અટકાવે છે. તેથી ચા, કોફી, આલ્કોહોલ, માંસ અને ધૂમ્રપાનની ટેવનો વધુ પડતો વપરાશ અટકાવવો જોઈએ. તળેલું, મસાલેદાર ખાટા અને એસિડિક ખાદ્ય યુક્ત ભોજન હાનિકારક હોય છે. રાસાયણિક અથવા કૃત્રિમ દવાઓ ટાળો. તેથી આપણા આહાર પર ધ્યાન આપવું જરૂરી છે.
4. પૌષ્ટિક આહાર:
અકાળે વાળને ખરતા અને સફેદ થતા અટકાવવા માટે પોષક તત્વો નું એક સંતુલિત વર્ગીકરણ જરૂરી છે. વાળ માટે લાભદાયક ખાદ્ય પદાર્થોની યાદીમાં સફેદ તલના બીજ, તાજા નારિયેળ, લીલા શાકભાજી, અનાજ સમૃદ્ધ આહાર, ખજૂર, કિસમિસ, દહી, કઠોળ, બીજ અને બદામનું અંકુરીત મિશ્રણ તેમજ પી અને તેલ જેવા સ્વસ્થ ચરબી નો સમાવેશ થાય છે. આયુર્વેદમાં મસાલા અને સુગંધિત ઔષધિઓની સાથે ભોજન બનાવવાની સલાહ આપે છે જે પાચનમાં સુધારો કરે છે અને શરીરની પેશીઓને ડિટોક્સ કરે છે. આયુર્વેદ મુજબ હરિદર્વ (હળદર), મરીચ (કાળા મરી) મેથી, ધાણા અને અગ્નિ (પાચક શક્તિ) ને પ્રોત્સાહન આપે છે. ઉમાલકી, હરતાકી, હીંગ, ભિંગરાજ જેવા ઔષધિ અને મોસમી ફળ, ખાસ કરીને સાઇટ્રસ ફળો પાચન શક્તિમાં સુધારો કરે છે. બધા વય જૂથોના લોકોની પાચનની શક્તિમાં સુધારો કરે છે અને તમામ દોષોમાં પ્રતિરક્ષા સુધારે છે.
5. પૂરતી ઊંઘ:
આયુર્વેદ મુજબ ઊંઘ સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. અપૂરતી તેમજ અનિયમિત ઊંઘ શરીર માટે હાનિકારક હોય છે.ઊંઘ દરમિયાન આપણા શરીરની પેશીઓ વિકસે છે અને પ્રણાલિઓનું પુનર્ગઠન થાય છે.
આપણે રાત્રે દસ વાગ્યા પહેલા સૂઈ જવું જોઈએ અને ભોજન સૂવાના બે કલાક પહેલા કરી લેવું જોઈએ. ઓછા મસાલાવાળુ, હળવું રાત્રી ભોજન ઉપરાંત એક ગ્લાસ દૂધ (ભોજન કર્યાના એક કલાક પછી) સારી, ઘાટી ઊંઘ આપે છે. પૂરતી ઊંઘ ની ઉણપ નબળા વાળનું કારણ બની શકે છે.
6. તણાવ પ્રબંધન:
સતત તણાવમાં જીવવાથી વાળનું વધારે ખરવું, અકાળે સફેદ થવું, શુષ્ક અને નીરસ તેમજ નિર્જીવ થવા સ્વાભાવિક છે. બ્રાહ્મી, માંડુકપાણી, અશ્વગંધા અથવા જટામાંસીમાં કોઈપણ ઔષધિથી ભરપૂર ચા, તણાવ માટેની તેની કુદરતી ક્ષમતાને સમર્થન આપે છે. થોડો સમય આરામ કરવો જરૂરી છે, અને યોગ અને ધ્યાનનો અભ્યાસ કરવો તણાવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ઔષધીય હર્બલ તેલથી ખોપરી ઉપરની ચામડી પર માલિશ માનસિક વિશ્રામમા મદદ કરે છે અને બદલાતા મૂડના નિયંત્રણમાં પણ મદદરૂપ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team