નારિયેળના આ ટુચકાથી થશે દરેક સમસ્યાઓનું સમાધાન, થશે લાભ

સામાન્ય રીતે હિંદુ ધર્મમાં નારીયેલ નું ઘણું જ મહત્વ છે. આયુર્વેદની દ્રષ્ટીએ તેના ઘણા ફાયદા છે. જો તમે પણ તમારા જીવનમાં ચાલતી સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો નારીયેલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. નારીયેલ ના અમુક ટુચકા કરવાથી તમારું જીવન આનંદમય બનશે. આવો જાણીએ આ ટુચકાઓ વિશે ..

image source

જીવન માં સફળ થવા માટે

જો તમને સફળતા નથી મળી રહી તો તેના માટે તમે એક નાનું નાળિયેર લઈને તેને લાલ સુતરાઉ કપડા માં લપેટી લો. હવે તેને વહેતા પાણીમાં વહાવી દો. આવું કરવાથી નિષ્ફળતા દૂ થઈને સફળતા પ્રાપ્ત થવા લાગશે.

image source

પૈસા ની બચત માટે

જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો તેના માટે તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીના મંદિરમાં જઇ એક ચોટલી વાળું નારીયેલ લઈ તેની સાથે ગુલાબ, કમળની ફૂલમાળા, સવા મીટર ગુલાબી સફેદ કપડું લઈને લક્ષ્મીજીને અર્પણ કરી માતા ની આરતી ઉતારો. આ ઉપાય કરો છો તો તેનાથી તમને આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મળશે.

image source

વેપાર-ધંધા માં લાભ પ્રાપ્ત કરવા

જો તમારે વેપાર ધંધામાં સતત નુકશાની આવે છે તો તેના માટે ગુરુવારના દિવસે એક નારીયેલ લઈને તેને સવા મીટર પીળા કપડામાં લપેટી લો જેની સાથે થોડી મીઠાઇ અને એક જોડી જનોઈ બાંધીને વિષ્ણુ મંદિરમાં પોતાના સંકલ્પ સાથે અર્પણ કરી દો. તમારા વેપારમાં ફાયદો મળવા લાગશે.

image source

બીમારી દૂર કરવા માંટે

જો તમે કોઈને કોઈ બીમારીથી પરેશાન રહો છો તો તેના માટે એક સારું પાણીવાળું નારીયેલ લઈ તેને પોતાની ઉપરથી ૨૧ વખત ફેરવીને અગ્નિમાં નાખી દો. પણ હા આ ઉપાય મંગળવારે અને શનિવારના દિવસે જ કરવાનો છે. આવું કરવાથી સારું ફળ મળશે.

image source

કરજ થી છુટકારો મેળવવા

જો તમારા પર ભારે કરજ છે તો તો તેના માટે એક નારીયેલ ઉપર ચમેલીનું તેલ અને સિંદુર ભેળવી સાથીયાનું ચિન્હ બનાવો. તેની સાથે લાડુ અથવા ગોળ-ચણા લઈને હનુમાનજીના મંદિરમાં જઈને તેમના ચરણોમાં તે નારીયેલ અર્પણ કરીને પ્રાથના કરો તેનાથી તરત લાભ પ્રાપ્ત થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: Shivani & FaktGujarati Team

Leave a Comment