મ્યુનસારી :
મ્યુનસારી પ્રાકૃતિક ખુબસુરતીનું એક જીવિત ઉદાહરણ છે. આ શહેરને કુદરતની બેનમુન કલાકારી મળી છે. આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું અહીં ફરવા જેવી શાનદાર જગ્યાઓ વિષેની માહિતી :
‘દેવોની ભૂમિ’ ના રૂપમાં પ્રસિદ્ધ ઉત્તરાખંડ પોતાની ખુબસુરતી માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં અમુક ફરવા માટેની એવી જગ્યાઓ છે, જ્યાં વિદેશના પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન આવતા રહે છે. ઉત્તરાખંડમાં એવી જ એક સ્પેશિયલ જગ્યા છે જેનું નામ છે ‘મ્યુનસારી.’
મ્યુનસારી, ઉત્તરાખંડનું એક હિલ સ્ટેશન છે, જે ખુબસુરતીના મામલામાં કોઈ વિદેશી જગ્યાથી કમ નથી! સમુદ્ર તળથી લગભગ 2300 મીટરની ઉંચાઈ પર સ્થિત આ જગ્યાને કુદરતની કલાકારીનું વરદાન મળેલ છે. ચારેબાજુ ગાઢ જંગલ અને બરફની ચાદરથી છવાયેલ પહાડી વિસ્તાર ખરેખર જોવા જેવા. તમને પણ અવનવા સ્થળ પર ફરવાનો શોખ હોય તો એ માટે મ્યુનસારીની પસંદગી કરવી જોઈએ. આ આર્ટિકલમાં મ્યુનસારીના પ્રમુખ સ્થળ વિષે જાણીએ :
પંચચૂલી પર્વત :
મ્યુનસારીમાં ફરવા અને જોવા જેવા સ્થળમાં આ લોકપ્રિય સ્થળ છે. પંચચૂલી એક પર્વત જગ્યા છે. આ પર્વત વિષે કહેવામાં આવે છે કે આ પાંચ પર્વતના શિખરથી બનેલ એક જગ્યા છે. એવું પણ માનવામાં આવે છે મહાભારત કાળમાં આ પર્વત પર પાંડવોએ સ્વર્ગારોહણની શરૂઆત કરી હતી. અને એ પણ માનવામાં આવે છે કે આ પાંચ શિખર એ પાંચ પાંડવોનું જ પ્રતિક માનવામાં આવે છે. બરફથી ઢંકાયેલ આ પર્વતોને જોઇને બેહદ આનંદ આવે છે. આ પર્વત ઇન્ડો-તિબ્બત બોર્ડર માટે પણ બહુ જ મહત્વનો છે.
કલામુની ટોપ :
મ્યુનસારીથી લગભગ 15 કિલોમીટરની દૂરી પર આવેલ ક્લામુની ટોપ અહીંનું પ્રમુખ સ્થળ છે. પ્રાકૃતિક દ્રશ્યો માટે આ જગ્યા એકદમ ખાસ માનવામાં આવે છે. જો તમને પર્વતનું ચોંટી પર જઈને બેસવાનો શોખ હોય તો અહીં જઈને પૂર્ણ કરી શકો છો. આ પર્વત પર બેસીને આખા મ્યુનસારીના પ્રાકૃતિક નજારાને જોઈ શકાય છે. અહીં જવા માટે મુખ્ય શહેરથી ઓટો કે ટેક્સીથી જઈ શકાય છે. અહીંના સ્થાનીય લોકો માટે આ જગ્યા પવિત્ર છે કારણ કે અહીં માતા કાલીનું એક મંદિર પણ આવેલ છે.
બ્રીથી વોટરફોલ :
મ્યુનસારીમાં પ્રકૃતિને નિહાળવાનો મોકો મળે છે. એ મ્યુનસારીમાં જ બ્રીથી વોટરફોલ આવેલ છે, જેની યાત્રા એકદમ સુહાની રહે છે. અદ્દભુત દ્રશ્યો સાથેનો આ વોટરફોલ લોકોની પ્રિય જગ્યા છે અને અહીં બેસ્ટ પીકનીક સ્પોટ પણ છે. અહીં પ્રવાસીઓ આવીને ટ્રેકિંગ પર કરી શકે છે અને આસપાસ વિભિન્ન પ્રકારના ઝાડ-ફૂલ પણ નિહાળી શકે છે.
થમરી કુંડ :
મ્યુનસારી શહેરથી લગભગ દસ કિલોમીટર દૂર થમરી કુંડ આવેલ છે. થમરી કુંડને તાજા પાણીની ઝીલ તરીકે માનવામાં આવે છે. આ ઝીલ સાથે ધાર્મિક માન્યતા પણ જોડાયેલ છે. એવું માનવામાં આવે છે કે વધારે દિવસો સુધી વરસાદ ન આવે તો અહીં ઈન્દ્રદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઝીલની આજુબાજુ અલ્પાઇનના ઝાડ આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. આ ઝીલના પાણીથી પક્ષીઓ પણ આકર્ષણ પામે છે. અહીં ઘણીવાર કસ્તુરી મૃગ પાણી પીવા માટે આવે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે ભારતમાં કસ્તુરી મૃગ બહુ જ ઓછું જોવા મળે છે.
આશા છે કે આજના આર્ટિકલની માહિતી આપને પસંદ આવી હશે, આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. અમે દરરોજ અહીં અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.
#Author : Ravi Gohel