દરેક પ્રકારની ચામડીના રોગો માટે છે રામબાણ ઈલાજ, અપનાવો આ ઘરેલું નુસખાઓ

આધુનિકતા સાથે ચામડીના રોગોનું પ્રમાણ વિશ્વમાં પહેલાં કરતાં વધ્યું છે, એ વિશે બે મત નથી. આ ચામડીના રોગો ઉત્પન્ન થવાનાં મૂળ કારણોમાં આજકાલ છૂટથી વપરાતાં આધુનિક ઔષધોની સાઈડ ઈફેક્ટસ, સૌંદર્ય પ્રસાધનોનો બેફામ ઉપયોગ, વાયુ, પાણી અને આહારનું પ્રદૂષણ, સિન્થેટિક વસ્ત્રો, ફૂગ-ફંગસ, યૌનરોગો, વિરુદ્ધ આહાર-વિહાર અને અમુક અંશે માનસિક કારણોને પણ જવાબદાર ગણાવી શકાય.

image source

આ ઉપરાંત અનિયમિત ખાવા પીવાનું, દુષિત આહાર, શરીરની સફાઈ ન થવી અને પેટમાં કૃમિ પડી જવા અને લાંબા સમય સુધી પેટમાં રહેવાને કારણે તેમનું મળ નસો દ્વારા અવશોષિત કરીને લોહીમાં ભળવાથી જાત જાત ના ચામડીના રોગ સહીત શારીરિક બીજી બીમારીઓ ફેલાવા લાગે છે જે માનવ માટે ઘણી નુકશાનકારક હોય છે.

image source

ચામડીનો રોગ સારવાર :–

ધાધર, ખરજવા માં આંબળાસાર ગંધક કે ગૌમૂત્રના અર્કમાં ભેળવીને રોજ સવાર સાંજ લગાવો. તેમાં ધાધર એકદમ થી ઠીક થઇ જાય છે.

શુદ્ધ કરેલ આંબળાસર ગંધક એક રત્તીને ૧૦ ગ્રામ ગૌમૂત્ર ના અર્ક સાથે ૯૦ દિવસ સતત પીવાથી તમામ ચામડીના રોગોમાં ફાયદો થાય છે.

એક્જીમાં  –

કાળા મરી, મરદાશંખ, કલાઈવાળું નોસાદર ૧૦-૧૦ ગ્રામ ઝીણું વાટી લો. હવે તેમાં ઘી ભેળવીને એક્જીમાં ઉપર દિવસમાં ત્રણ વખત લગાવવાથી થોડા દિવસોમાં જ એગ્જીમાં મૂળમાંથી દુર થઇ જશે.

આંબળાસાર ગંધક ૫૦ ગ્રામ, મોમ (મધ વાળું) ૧૦ ગ્રામ, સિંદુર શુદ્ધ ૧૦ ગ્રામ. પહેલા ગંધકને તલના તેલમાં નાખીને ધીમા તાપ ઉપર ગરમ કરો. જયારે ગંધક તેલમાં જાય તો તેમાં સિંદુર અને બીજી દવાઓ પાવડર કરીને ઉમેરી દો. સિંદુરનો રંગ કાળો થાય ત્યાં સુધી તેને પકાવો અને આગની નીચે ઉતારીને ગરમ ગરમ જ તે વાસણમાં ઘૂંટીને મલમ જેવું બનાવી લો. આ મલમ એગ્જીમાં, ધાધર, ખજવાળ, અપરસ વગેરે બધા ચામડીના રોગોમાં ફાયદાકારક છે. સારું થવા સુધી બન્ને ટાઈમ લગાવો.

image source

ધાધર, ખરજવું, ખંજવાળ, એગ્જીમાં, અકોતા, ઉપરસ નો મલમ :-

ગંધક ૧૦ ગ્રામ, પારો ૩ ગ્રામ, મસ્તર ૩ ગ્રામ, તુતીય ૩ ગ્રામ, કબીલા ૧૫ ગ્રામ, રાલકામ ૧૫ ગ્રામ. આ બધાને ખરલમાં વાટીને સારી રીતે ભેળવી દો કપડાથી ચાળી ને એક બોટલમાં રાખીં દો. ધાધર રોગ માં કેરોસીનમાં લેપ બનાવીને લગાવો, ખરજવામાં સરસીયાનું તેલ સાથે ભેળવીને સવાર સાંજ લગાવો. અકોતા એગ્જીમાંમાં લીમડાનું તેલ ભેળવીને લગાવો. આ દવા ૧૦ દિવસમાં બધા ચામડીના રોગોમાં એકદમ આરામ આપે છે.

image source

ચામડીના રોગનો નાશ કરનાર અર્ક :-

શુદ્ધ આંબળાસાર ગંધક, બ્રહ્માદંડી, પવાર, ના બીજ, સ્વર્ણછીરીના મૂળ, ભૃંગરાજ નું પંચાંગ, લીમડાના પાંદડા, બાબચી, પીપરની છાલ આ બધાને ૧૦૦ -૧૦૦ ગ્રામના પ્રમાણમાં લઈને અને ૧૦ ગ્રામ નાની ઈલાયચી જે વાટીને સાંજે ૩ લીટર પાણીમાં પલાળી દો. સવારે આ બધાનો અર્ક કાઢી લો. આ અર્ક ૧૦ ગ્રામના પ્રમાણમાં સવારે ખાલી પેટ સાકર સાથે પીવાથી બધા ચામડીના રોગોમાં લાભ કરે છે. તેના પ્રયોગથી લોહી શુદ્ધ થાય છે, તેના સેવનથી ચહેરા ની ઝાઈયો, આંખોની નીચેની કાળાશ, મુંહાસે, ફોડકીઓ, ધાધર, ખંજવાળ, અપ્રસ, અકોતા, કુષ્ઠ વગેરે બધા ચામડીના રોગો માં સંપૂર્ણ લાભ મળે છે.

નોંધ : ઉપરોક્ત કોઇ પણ ઈલાજ કરતા પેહલા ડોક્ટર ની સલાહ આવશ્યક છે

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment