ઘણાં માતાપિતા બાળકને તેના હાડકાં અને માંસપેશીઓને તાકાત મળે તે માટે મસાજ કરે છે, પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે ત્યારે જ તેને મસાજ ના ફાયદા મળે છે.
શરીર ને માલિશ કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભ મળે છે અને તેથી જ નવજાત બાળક ને મસાજ કરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તમારે શક્ય તેટલું વહેલું તમારા બાળકની માલિશ કરવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે તે બાળકના વિકાસમાં મદદ કરે છે.
કોઈપણ વસ્તુ નો ત્યારે જ લાભ મળે છે જ્યારે તે યોગ્ય રીતે કરવામાં આવે અને તે માલિશ માંટે પણ સમાન છે. માલિશ કરવાથી બાળકના હાડકાં અને સ્નાયુઓને તાકાત મળે છે, પરંતુ બાળકના નાજુક અવયવોની માલિશ કરવા માટે ખૂબ કાળજી લેવી પડે છે.
જો તમે પણ તમારા બાળક ને રોજ મસાજ કરો છો, તો પછી અહીં જાણો કે તમે તેનાથી મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકો.
યોગ્ય તેલ ની પસંદગી
શિશુ ના મસાજ માટે, તમારે જાડા તેલને બદલે હળવા તેલનો ઉપયોગ કરવો જોઇએ કારણ કે તે ત્વચાને સરળતાથી શોષી લે છે. તમે કુદરતી તત્વો સાથે આયુર્વેદિક તેલનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે તે માલિશ દરમિયાન તમારા બાળકની સંવેદનશીલ ત્વચા તેલ ને શોષી લે છે.
એવું તેલ પસંદ કરવું જેમાં ઔષધિઓનો ઉપયોગ થતો હોય અને તમારા બાળકના હાડકાં, સ્નાયુઓ અને ત્વચાને પોષણ આપે છે.
વાતાવરણ શાંત રાખવું
તમે તમારા બાળકને માલિશ કરી રહ્યા છો તે સ્થળ, ત્યાં શાંત વાતાવરણ હોવું જોઈએ. ઓરડાનુ તાપમાન પણ ગરમ હોવું જોઈએ. તે બાળકને આરામદાયક લાગે છે અને મસાજ દરમિયાન કોઈ અવરોધ ઊભો નથી થતો.
રૂમમાં કોઈ પણ પ્રકારનો અવાજ ન હોવો જોઈએ. તમારા બાળક સાથે વાત કરો અથવા માલિશ કરતી વખતે લોરી ગાઓ. તે બાળકને શાંત અને ખુશ રાખે છે.
નખ કાપીને રાખો
જો તમારા ઘરમાં નાનું બાળક છે, તો તમારા નખને કાપી ને રાખો. આનાથી બાળકને ઇજા થઈ શકે છે. કોઈપણ શાર્પ જ્વેલરી પહેરવાનું પણ ટાળો.બાળક ને મસાજ શરૂ કરતા પહેલા, નખ કાપીને, રીંગ અથવા બ્રેસલેટ વગેરે કાઢી ને રાખવી. આ વસ્તુઓ બાળકની નાજુક ત્વચા માટે યોગ્ય નથી.
નવશેકું તેલ વાપરો
તેલને ખૂબ હળવુ ગરમ કરો અને ત્યારબાદ તેના થી માલિશ કરવાનું શરૂ કરો. તેલના થોડા ટીપાં લો અને બંને હાથની હથેળી પર મેશ કરો. પછી હળવા હાથથી બાળક ને મસાજ કરો. તે બાળકને આરામ આપે છે અને ત્વચા તેલને સરળતાથી શોષી લે છે.
ક્યારેક ઉતાવળમાં માલિશ ન કરો. કુદરતી તેલ આયુર્વેદિક તેલમાં જોવા મળે છે અને તેમાં કૃત્રિમ સુગંધ કે રંગનો ઉપયોગ થતો નથી, તેથી આ તેલ બાળકના સ્વાસ્થ્ય માટે એકદમ સલામત છે.
સ્નાન કરવું જરૂરી છે
કેટલાક માતાપિતા મસાજ કર્યા પછી બાળકને કપડાં માં લપેટે છે અથવા સુવડાવી દે છે, જ્યારે કેટલાક મસાજ કર્યા પછી તરત જ બાળકને નવડાવાનું પસંદ કરે છે.
ખાસ નોંધ : ઉપરોક્ત કોઈ પણ ઉપાય કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.
તમે આમાંથી કંઇ પણ કરો, પરંતુ મસાજ પછી બે કલાક બાળક ને સુવડાવી દો. હળવા નવશેકા પાણીથી સ્નાન કરવું ફાયદાકારક છે કારણ કે તે તેલને સરળતાથી દૂર કરે છે અને બાળકની ત્વચા નરમ બને છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team