હાથમાં આ કારણે બાંધવામાં આવે છે લાલ દોરો, જાણો વૈજ્ઞાનિક અને જ્યોતિષ કારણ

સનાતન પરંપરાનું પાલન કરનારાઓ તેમના હાથમાં લાલ રંગનો દોરો પહેરે છે. દોરા ને મોલી પણ કહેવામાં આવે છે. ખરેખર, પૂજા દરમિયાન લાલ અથવા પીળા  રંગનો દોરો હાથમાં બાંધવામાં આવે છે. આ સિવાય કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં લાલ રંગનો દોરો બાંધવામાં આવે છે. અથવા જ્યારે આપણે કોઈ નવી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે લાલ રંગ નો દોરો બાંધીએ છીએ. ચાલો જાણીએ શાસ્ત્રોમાં તેનું શું મહત્વ છે અને તેની પાછળ વૈજ્ઞાનિક કારણ શું છે.

image source

શાસ્ત્રો અનુસાર દોરા બાંધવા નું મહત્વ

દોરા કાચા માલ સુતરાઉ માંથી બને છે. દોરા લાલ રંગ, પીળો રંગ, બે રંગો અથવા પાંચ રંગ ના હોય છે. શાસ્ત્રો અનુસાર, દોરા બાંધવાની પરંપરા દેવી લક્ષ્મી અને રાજા બાલી દ્વારા શરૂ કરવામાં આવી હતી એવું માનવમાં આવે છે. દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેને કાંડા પર બાંધવાથી જીવનમાં અનેક સંકટો દૂર થાય છે . તેનું કારણ એ છે કે દોરા બાંધવાથી વ્યક્તિને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવનો આશીર્વાદ મળે છે. ધાર્મિક મહત્વ હોવા ઉપરાંત, દોરા ને બાંધવું પણ વિજ્ઞાનિક રૂપે ખૂબ ફાયદાકારક છે.

image source

દોરા બાંધવાનું વૈજ્ઞાનિક કારણ

તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. શરીર વિજ્ઞાન અનુસાર, શરીરના ઘણા મોટા અંગો સુધી પહોંચેલી નસો કાંડામાંથી પસાર થાય છે. દોરાને કાંડા પર બાંધીને, આ ચેતાની ક્રિયા નિયંત્રિત થાય છે. આ ત્રિદોષ એટલે કે વટ, પિત્ત અને કફનું નિયત્રંણ રાખે છે. શરીરની રચનાનું મુખ્ય નિયંત્રણ કાંડામાં છે. આનો અર્થ એ છે કે દોરાને કાંડા સાથે બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. માનવામાં આવે છે કે દોરાને બાંધવાથી બ્લડપ્રેશર, હ્રદયરોગ, ડાયાબિટીઝ અને લકવો જેવા ગંભીર રોગોથી મોટા પ્રમાણમાં રક્ષણ મળે છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દોરો પહેરવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાંડા પર લાલ દોરો પહેરવાથી કુંડળીમાં મંગળ મજબૂત થાય છે. ખરેખર, જ્યોતિષમાં મંગળનો શુભ રંગ લાલ રંગ  છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ પીળા રંગનો દોરો બાંધે છે, તો તે ગુરુ બૃહસ્પતિને તેમની કુંડળીમાં મજબૂત બનાવે છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં સુખ અને ખુશી આવે છે. કેટલાક લોકો કાંડાને કાળો દોરો પણ બાંધે છે જે શનિ ગ્રહ માટે શુભ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment