ફળોને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે તે જ કારણે લોકોમાં હંમેશા તેના પ્રતિ એક વિશેષ આકર્ષણ પણ જોવા મળે છે અમુક લોકોને મળ્યા પણ વધુ પસંદ આવે છે તો અમુક લોકોને તેની ખટાશ માં મજા આવે છે આ લેખમાં અમે તમને એવા જ એક ફળ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે આપણને રસીલા અને ખાટા-મીઠા સ્વાદના કારણે લોકોમાં ખૂબ જ મશહૂર છે અમે વાત કરી રહ્યા છીએ તે શેતુરની. આ લેખમાં શેતૂરના લાભ અને સેતુના ગુણથી જોડાયેલી અમુક જાણકારી મેળવીશું.
આ લેખમાં સૌથી પહેલા આપણે સ્વાસ્થ્ય, વાળ અને ત્વચા માટે શેતૂરના ફાયદા વિશે જાણીશું.
શેતૂરના ફાયદા
જેતપુરમાં ઘણા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ગંભીર સમસ્યાઓ માટે ઉપયોગી ઔષધી સાબિત થાય છે અને સાથે સાથે તેનો ઉપયોગ ચા અને વાળ માટે પણ ફાયદાકારક છે ધ્યાન રાખો કે શેતુર નીચે આપેલી કોઈ પણ બીમારી નો સંપૂર્ણ ઇલાજ નથી તે માત્ર અમુક હદ સુધી તેનાં લક્ષણોને ઓછો કરી શકે છે.
1 લોહીના પરિભ્રમણમાં સુધારો લાવે
લોહીના પરિભ્રમણ ના સુધારા માટે શેતૂરના લાભ મેળવી શકાય છે ખરેખર તો શેતૂરમાં સાયનાઇડિંગ 3-ગ્લુકોસાઇડ નામનું ફાયટોન્યુટ્રિઅન્ટ હોય છે. લોહીને શુદ્ધ કરવાની સાથે, તે રક્ત પરિભ્રમણને પણ સુધારી શકે છે.આ કારણોસર, આપણે કહી શકીએ કે શેતૂરનું સેવન કરવાથી માત્ર લોહીમાં રહેલી અશુદ્ધિઓ જ દૂર નથી થઈ શકતી, પરંતુ રક્ત પરિભ્રમણની પ્રક્રિયા એટલે કે રક્ત પરિભ્રમણને પણ નિયંત્રિત કરી શકાય છે.
2 માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક
માનસિક સ્વાસ્થ્ય માટે સેતુરને ઉપયોગમાં લાવી શકાય છે વિશેષજ્ઞો અનુસાર શેતુરમાં સાયટોપ્રોટેક્ટીવનો અર્થ એ છે કે તે કોષોને નુકસાનથી રક્ષણ આપે છે અને તેની ન્યુરોપ્રોટેક્ટીવ અસર છે જે નર્વસ સિસ્ટમને લગતી સમસ્યાઓ દૂર કરે છે. આ બે અસરો સંયુક્ત રીતે માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે.આ કારણોસર, આપણે કહી શકીએ કે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શેતૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3 બ્લડશુગરને નિયંત્રિત કરે
શેતુરમાં હાઇપર ગ્લાઇસેમીક નો પ્રભાવ જોવા મળે છે જે શરીરમાં ઈન્સ્યુલિનની સક્રિયતાને વધારી શકે છે અને લોહીમાં સુગર ની વધુ માત્રાને ઓછી કરવામાં સહાયક સાબિત થાય છે તે જ કારણે ડાયાબિટીસના રોગીઓ માટે સેતૂરનું સેવન ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
4 પાચનક્રિયાને કરે મજબૂત
વિશેષજ્ઞો અનુસાર શેતૂરના પાન માં અમુક એવા તત્વો જોવા મળે છે જે પાચન માટે ખુબ જ જરુરી છે તે પાચક રસ ને બનવાની પ્રક્રિયાને તીવ્ર કરી શકે છે ત્યાં જ ફળ સિવાય કાચાં ફળ થી બનેલા પાવડર નું સેવન પાચન ક્રિયાને મજબૂત કરે છે તેવામાં એ માની શકાય કે બગડેલી પાચનશક્તિને ફરીથી સારી કરવા માટે શેતૂર નો લાભ મદદગાર સાબિત થઈ શકે છે.
5 એનિમિયામાં સહાયક
એનિમિયાની સમસ્યામાં સેતુ નો ઉપયોગ કરી શકાય છે જણાવવામાં આવ્યું છે કે શેતૂરમાં હિમોગ્લોબીન માસ્તરની વધારતા એન્ટી હેમોલીટિક નો પ્રભાવ જોવા મળે છે જે એનીમિયાના જોખમ સૌથી ઓછું કરવા માટે સહાયક છે આ જ કારણથી કહી શકાય કે એનિમિયાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ શેતુરનું સેવન ગુણકારી સાબિત થઈ શકે છે.
6 રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે
વિશેષજ્ઞોના અનુસાર શેતૂરmagic અને મેંગેનીઝની સારી માત્રા જોવા મળે છે તેમાં ઝીંક મુખ્ય રૂપથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે મદદ કરી શકે છે ત્યાંજ મેંગેનીઝ કોશિકાઓના મુક્ત કણોને એટલે કે ફ્રી રેડિકલ્સ ના પ્રભાવથી મુક્ત કરે છે એવામાં એ માની શકાય કે શેતૂરમાં ઉપસ્થિત આ બંને તત્વો સંયુક્ત રૂપથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે મદદ કરે છે.
7 હાડકાંની મજબૂતી માટે
હાડકા થી સંબંધિત એક શોધમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે તુરખા થી ભરપુર હોય છે કેલ્શિયમ હાડકા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જે તેને મજબૂતી આપવાની સાથે સાથે બોન ટીસ્યુ ના નિર્માણ કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે કે રશિયન શેતૂરના દરેક પ્રકારમાં ઉપસ્થિત હોય છે તે જ કારણથી તે કહેવું ખોટું નહી હોય કે શેતૂરહાડકા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે.
8 હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી
શેતુરમાં વધુ માત્રામાં ડાયટરી ફાઇબર અને લીનોલિક એસિડ હોય છે તેના કારણે તેમાં હાયપોલિપિડેમિક એટલે કે લોહીમાં ઉપસ્થિત ચરબીને ઓછું કરવાનો પ્રભાવ જોવા મળે છે જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકે છે. ત્યાં જ તેતર ઉપર કરેલ અન્ય એક શોધમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે તેના પાનમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતા એન્ટી હાઇપર ટેન્શનનો પ્રભાવ જોવા મળે છે તે બંને હૃદય સંબંધિત જોખમ ને ઓછું કરે છે તેથી જ તે કહેવું ખોટું નહી હોય કે શેતુર હૃદયના સ્વાસ્થ્ય અને યોગ્ય રાખવા માટે સકારાત્મક પરિણામ આપી શકે છે.
9 વજન ઓછું કરવામાં મદદગાર
જેમ કે આપણે લેખમાં પહેલાં જણાવી ચૂક્યા છીએ કે શેતુરનું સેવન લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરી શકે છે. ત્યાં જ તે શરીરમાં ઉપસ્થિત ચરબીને તોડીને તેની ચયાપચયની પ્રક્રિયાને કરવામાં પણ સહાયક છે તેનાથી શરીરનું વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે તેથી જ એવું માનવામાં આવે છે કે શેતુરના સેવન થી વજનને નિયંત્રિત કરવામાં સહાયતા મળે છે.
10 કેન્સરના જોખમને ઓછું કરે
શેતૂરમાં પોલિફીનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. કેન્સર થી સંબંધિત એક શોધમાં તે જાણવા મળ્યું છે કે શેતૂર માં ઉપસ્થિત આ તત્વો કેન્સરના જોખમને ઓછું કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે એવામાં એવું કહેવું ખોટું નહી હોય કે કૅન્સર જેવી ગંભીર સમસ્યાઓથી બચવા માટે શેતૂરનો ઉપયોગ કરી શકાય છે પરંતુ કેન્સર માટે સેતુ નો ઉપયોગ ઉપચાર ના રૂપમાં કરવો જોઈએ નહીં કેન્સર થવા પર ડોક્ટર દ્વારા બતાવેલ ટ્રીટમેન્ટ કારગર સાબિત થઈ શકે છે.
11 તાવ અને ઠંડી થી કરે બચાવ
શરદી અને ખાંસીની સમસ્યાને ઓછી કરવા માટે તેનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે એક રિસર્ચ અનુસાર શેતૂરમાં વિટામિન સી અને ફ્લેવોનોઈડ્સ ની તારી માત્રા જોવા મળે છે જે શરદી અને ખાંસી જેવા લક્ષણો અને ઓછું કરવા માટે મદદગાર છે.
તે સિવાય લેખમાં પહેલા પણ જણાવ્યું કે શેતૂર માં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા ના ગુણ જોવા મળે છે તેનાથી શરીર ના રોગો સામે લડવામાં તાકાત મળે છે ત્યાં જ સામાન્ય તાવ શરદી અને ખાંસીની સમસ્યા પણ દૂર કરી શકે છે આ જ કારણે કહી શકાય કે તાવ અને શરદી થી દૂર રહેવા માટે શેતૂર ને ઉપયોગમાં લેવું જોઈએ.
12 આંખોની રોશની વધારે
આંખોથી જોડાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે તે શેતુર ને ઉપયોગમાં લઇ શકાય છે કારણ એ જ છે કે શેતુર માં વિટામિન-એ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને તે આંખોની રોશની વધારવા ની સાથે સાથે જ તેની ઉપર આવતા તણાવને પણ દૂર કરી શકે છે રેટીના સંબંધિત દોષને પણ દૂર કરવા માટે મદદગાર છે.
13 ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે
તેતર નો જ્યુસ પીવાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બનાવી શકાય છે ખરેખર તો તેમાં ત્વચા માટે જરૂરી વિટામીન અને મિનરલ પણ જોવા મળે છે ત્યાંજ ત્વચાની સારી સંભાળ માટે તૈયાર કરવાની ક્રીમ માં પણ એક આવશ્યક સામગ્રીના રૂપમાં તેનો ઉપયોગ કરી શકાય છે આ જ કારણથી એવું માનવામાં આવે છે કે તેના જ્યૂસનું સેવન આપણી ત્વચા માટે લાભકારી સાબિત થઇ શકે છે ત્યાં જ તેના જ્યુસ અથવા પેસ્ટને ચહેરા ઉપર લગાવવાથી પણ ખૂબ જ સારો પ્રભાવ જોવા મળે છે.
14 ચહેરા ઉપરના ડાઘ ધબ્બાને દૂર કરે
આ લેખમાં પહેલાં જ જણાવ્યું કે શેતુ નો ઉપયોગ થવા માટે લાભકારી સાબિત થઇ શકે છે ત્યાં જ તે વિટામિન સીનો પણ શોધે છે વિટામીન સી એક એવું તત્વ છે જે ત્વચાને સાફ કરવા અને ડાઘ ધબ્બાને દૂર કરવા માટે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવા માટે સહાયક સાબિત થાય છે આ જ કારણે આપણે કહી શકીએ કે ડાઘ ધબ્બાને દૂર કરવા માટે શેતુરના જ્યૂસનું પાણી પીવાની સાથે જ તમે તેને ચહેરા પર પણ ઉપયોગ કરી શકો છો.
15 વધતી ઉંમરના પ્રભાવને રોકે
શેતૂરમાં વિટામિન સીનો સારો સ્ત્રોત જોવા મળે છે તે તો તમને જાણકારી મળી જ ગઈ પરંતુ તમને એ પણ જણાવી ચૂક્યા છીએ કે વિટામિન સી ના કારણે તે તો નો જ્યુસ ત્વચાને સાફ કરવા અને દાગ ધબ્બાને દૂર કરવામાં પણ મદદ કરે છે તેની સાથે જ વિટામિન સી એન્ટિએજિંગ પ્રભાવના કારણે વધતી ઉંમરના લક્ષણોને પણ રોકવા માટે સક્ષમ છે એવામાં ચહેરા ઉપર સમય કરતા પહેલા આવતી કરચલીઓ થી બચવા માટે તેના અર્થ અને ડાયરેક્ટ ચહેરા ઉપર લગાવો ખૂબ જ ફાયદાકારક છે.
16 વાળને મજબૂત કરે છે
જેતપુરમાં ઘણા એવા મિનરલ અને વિટામિન હોય છે જે આપણા વાળના યોગ્ય વિકાસ માટે સહાયક માનવામાં આવ્યા છે. તે જ કારણે વાળને મજબૂત રાખવા માટે શેતૂરના જ્યૂસને વાળનાં જડમાં મસાજ કરવાની સલાહ આપવામાં આવે છે આ આધાર પર એવું માની શકાય કે શેતૂર નો ઉપયોગ વાળને મજબૂત કરવામાં સહાયક છે.
17 વાળના પ્રાકૃતિક રંગને બનાવી રાખે
વાળ માટે શેતૂરના ફાયદા ઓ માંથી એક એ પણ છે કે વાળમાં માત્રાને વધારવા માટે કામ કરે છે જે વાળના રંગ માટે જવાબદાર છે એવામાં તે ઉંમર પહેલા આવતા સફેદ વાળને રોકવામાં પણ મદદ કરે છે તેની માટે તેના જ્યૂસ પીવાની સાથે જ સ્કાલ્પમાં લગાવવામાટે તેનો ઉપયોગ કરો.
શેતૂરના પોષક તત્વો
- 100 ગ્રામ દીઠ પોષક તત્વોની માત્રા
- પાણી 87.68 ગ્રામ
- ઉર્જા 43 કેસીએલ
- પ્રોટીન 1.44 ગ્રામ
- કુલ લિપિડ (ચરબી) 0.39 ગ્રામ
- કાર્બોહાઈડ્રેટ્સ 9.8 ગ્રામ
- ફાઇબર (કુલ આહાર) 1.7 ગ્રામ
- ખાંડ 8.1 ગ્રામ
- કેલ્શિયમ 39 મિલિગ્રામ
- આયર્ન 1.85 મિલિગ્રામ
- મેગ્નેશિયમ 18 મિલિગ્રામ
- ફોસ્ફરસ 38 મિલિગ્રામ
- પોટેશિયમ 194 મિલિગ્રામ
- સોડિયમ 10 મિલિગ્રામ
- જસત 0.12 એમજી
- કોપર 0.06 એમજી
- સેલેનિયમ 0.6µg
- વિટામિન સી 36.4 મિલિગ્રામ
- થાઇમિન 0.029 એમજી
- રિબોફ્લેવિન 0.101 એમજી
- નિઆસિન 0.62 એમજી
- વિટામિન B-6 0.05 મિલિગ્રામ
- ફોલેટ (DFE) 6µg
- વિટામિન A (RAE) 1µg
- વિટામિન A (IU) 25IU
- વિટામિન ઇ 0.87 મિલિગ્રામ
- વિટામિન K 7.8µg
- ફેટી એસિડ્સ (સંતૃપ્ત) 0.027 ગ્રામ
- ફેટી એસિડ્સ (મોનોઅનસેચ્યુરેટેડ) 0.041 ગ્રામ
- ફેટી એસિડ્સ (પોલીસેચ્યુરેટેડ) 0.207 ગ્રામ
શેતૂરનો ઉપયોગ
- આપણે શેતૂર ને સારી રીતે પાણીમાં ધોઈને ખાઈ શકીએ છીએ.
- તમે તેને ફ્રૂટ ચાટ માં ઉમેરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
- તેનો જ્યુસ બનાવીને પણ કહી શકીએ છીએ.
- તમે તેની સ્મુધી બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
- અમુક સ્થાન ઉપર શેતુરની ચાનું પણ સેવન કરવામાં આવે છે.
ક્યારે ખાવું જોઈએ
- સવારે અથવા સાંજે નાસ્તાના સ્વરૂપે તમે તેના જ્યૂસનું સેવન કરી શકો છો.
- સાંજે તેનું ફ્રૂટ ચાટ અથવા સ્મુધી બનાવીને તેનું સેવન કરી શકો છો.
- માત્રા : શેતૂરના ફળ ની માત્રા ની વાત કરીએ તો તેને લગભગ 67 મિલીગ્રામ સુધી પ્રતિદિન તેનું સેવન કરી શકાય છે.
શેતુરની પસંદગી અને તેને સ્ટોર કેવી રીતે કરવું
- શેતૂર ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે મોટા અને ઘાટ્ટા રંગના હોય.
- હંમેશા કાળા રંગના શેતૂરની પસંદગી કરો પીડા અથવા લીલા શેતૂરમાં આપણને ખબર પડે કે તે હજુ સુધી સંપૂર્ણ રીતે પાક્યા નથી.
- હંમેશા તાજા સેતુની પસંદગી કરો ધ્યાન રાખો કે તે વધુ મુલાયમ ન હોય.
- ધ્યાન રાખો કે શેતૂર ઢીલા અને સુકાઈ ગયેલા ન હોય.
સ્ટોર કરવા માટે
- શેતુરને હંમેશા હવાદાર સ્થાન ઉપર રાખો.
- શેતુરને રૂમના તાપમાનમાં ખુલ્લી ટોપલીમાં મૂકો ધ્યાન રાખો કે તેના ઉપર વધુ તાપ ન પડે.
- શેતૂરને બીજાં ફળોની સાથે સ્ટોર ન કરો તેનાથી તે જલદી બગડી શકે છે.
- શેતુરને માત્ર અમુક કલાક સુધી જ રૂમના તાપમાન માં રાખી શકાય છે.
- શેતુરને રેફ્રિજરેટરમાં બે દિવસ માટે સ્ટોર કરી શકાય છે.
- ફ્રિજમાં સ્ટોર કરવા માટે સેતુને પેપરથી ઢાંકેલી પ્લેટમાં મુકો અને પ્લાસ્ટિકના રેપથી ઢાંકો જ્યારે પણ શેતૂર નું સેવન કરવાનું હોય ત્યારે તેને ધોઈ ને ખાવા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team