જેને રસી લીધી છે તેવા પ્રવાસીઓ ને આવકારવા માટે થાઈલેન્ડ છે તૈયાર, ખુબ જ જલ્દી ખુલશે 

Image Source

થાઇલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટેનું પ્રિય વિદેશી પર્યટન સ્થળ છે. થાઇલેન્ડના પર્યટન મંત્રાલયે કહ્યું છે કે, ટૂંક સમયમાં તેના દેશના દરવાજા એવા પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે જેમને રસી લીધી છે.

Image Source

થાઇલેન્ડ ભારત સરકાર સાથે એર બબલ તૈયાર કરવા માટે વાતચીત કરી રહ્યું છે જેથી બંને દેશો વચ્ચે ફ્લાઇટ ફરી શરૂ થઈ શકે.  થાઇલેન્ડ આ મહિનાથી તબક્કાવાર રીતે રસી અપાવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો, અને તેમના દેશમાં આવવાની મંજૂરી આપવાનું શરૂ કરશે. થાઇલેન્ડ પણ ફુકે , ક્રાબી અને પતાયાની મુલાકાતીઓ માટે ક્વોરન્ટાઇન ની અવધિ ઘટાડીને એક અઠવાડિયાની કરવાની તૈયારી કરી રહ્યું છે.

થાઇલેન્ડ, નવી દિલ્હીના ટૂરિઝમ ઓથોરિટીના ડિરેક્ટર વાચિરાચી સિરીસમ્પેને કહ્યું હતું કે ભારત અને થાઇ સરકાર વચ્ચે એર બબલ ને લઈને ચર્ચા ચાલી રહી છે. તેમને આશા છે કે તેને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે. થાઇલેન્ડ ભારતીય પ્રવાસીઓ નું સ્વાગત કરવા માટે આગળ વધી રહ્યું છે.  હમણાં સુધી માલદીવ, સેશેલ્સ, સંયુક્ત આરબ અમીરાત, રશિયા જેવા કેટલાક દેશ છે જ્યાં પ્રવાસીઓને હવે જવાની મંજૂરી મળી છે. ભારત પણ આ લાઇનમાં સમાવિષ્ટ છે.

વચિરાચી સિરીસ્મપને કહ્યું કે થાઇલેન્ડ વિદેશી પ્રવાસીઓને તબક્કાવાર મંજૂરી આપવા જઈ રહ્યું છે. જે પ્રવાસીઓને રસી મળી છે તેને મંજૂરી આપવામાં આવશે. થાઇલેન્ડની મુલાકાત લેનારા પ્રવાસીઓ માટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો મહત્વપૂર્ણ છે. ઉપરાંત, મુલાકાતીઓ માટે $ 1 ની ઓછામાં ઓછી હેલ્થ પોલિસી હોવી જોઈએ.

પ્રથમ તબક્કામાં, એપ્રિલથી જૂન દરમિયાન રસી અપાયેલા પ્રવાસીઓને થાઇલેન્ડ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોટલોમાં પ્રવાસીઓને એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જેને રસી લીધી છે તેવા પ્રવાસીઓ ને આવકારવા માટે થાઈલેન્ડ છે તૈયાર, ખુબ જ જલ્દી ખુલશે ”

Leave a Comment