લોકડાઉનને લીધે ઘણા લોકોએ ઘરમાં કરિયાણાની તમામ ચીજવસ્તુઓ જમા કરી લીધી છે. ગ્રોસરીમાં, રસોડાની બધી વસ્તુઓ આવી જાય છે જેમાંથી ખોરાક રાંધવામાં આવે છે. રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલા પણ ગ્રોસરીના લીસ્ટમાં જ આવે છે. તે ફક્ત મસાલા જ છે જે ખોરાકની સુગંધને વધારે છે. પરંતુ ઘણી વાર એવું થાય છે કે જ્યારે કેટલાક મસાલાઓ ખોલતી વખતે, કંઈક ફુઈ અથવા ફંગસ જેવું લાગે છે. એવામાં મસાલા ખરાબ થઈ જાય છે. આવો જાણીએ કે આ મસાલાઓને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરી શકાય છે.
રસોડામાં કરો બ્લીચિંગ અથવા લીમડાના તેલનો ઉપયોગ –
ઘણા લોકો રસોડામાં ખૂણા, તિરાડો તરફ ધ્યાન જ નથી આપતા. આ ખુણાઓની સાફ સફાઈ માટે લીમડાનું તેલ અથવા બ્લીચીંગ નો ઉપયોગ કરો.
હવા ચુસ્ત ડબ્બાઓમાં કરો સંગ્રહ –
ઘણી વાર હવામાનમાં હાજર ભેજને લીધે મસાલામાં ફૂગ લાગી જતી હોઈ છે. તેથી તેમને હવા ચુસ્ત કન્ટેનરમાં રાખો જેથી ભેજને કારણે મસાલાઓનો ટેસ્ટ અને તેની ગુણવત્તા જળવાય રહે.
રસોડું રાખો ક્લીન –
રસોડામાં ભેજ એકઠો થવા ન દો. આ માટે, રસોડાની સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જેથી કીડા મકોડા આવી ના શકે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે રસોડાના ખૂણાઓ અને જમીન પર ભેજ જમા ના થાય. રસોડામાં પોતું લગાવતી વખતે પાણીમાં ફિનાયલ મેળવી પોતું મારવું. ફીનએલ થી બેક્ટેરિયા મરી જાય છે.
ફક્ત પસંદ કરેલા મસાલા જ સંગ્રહિત કરો –
વધારે માત્રામાં મસાલા સ્ટોર કરવાથી બચવું, જેથી તમે સરળતાથી તેને બચાવી શકશો અને જો મસાલાઓ ખરાબ થઈ પણ જાય તો વધુ નુકશાન નહી થાય.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team