મિત્રો આજે તમને જણાવશુ કે માટી ના વાસણોથી માણસો ને કયો કયો ફાયદો થઈ શકે છે. શું તમે જાણો છો કે માટી બધા માઈક્રો ન્યુટ્રીએન્ટ્સ ની માં છે અને દુનિયા ના બધા જ માઈક્રો ન્યુટ્રીએન્ટ્સ માટી માંથી જ મળે છે. વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે માટીના વાસણ સુખ, સૌભાગ્ય અને સારુ સ્વાસ્થ્ય લાવે છે. આવો જાણીએ માટીના વાસણોના કેટલાક એવા ફાયદા જેને વાસ્તુમાં બતાવ્યા છે.
- માટીના વાસણમાં પકવેલુ અન્ન ઈશ્વરીય તત્વ માનવામાં આવે છે.વાસ્તુ મુજબ દરેક વ્યક્તિને માટી કે ભૂમિ તત્વ પાસે જ રહેવુ જોઈએ. માટીથી બનેલી વસ્તુઓ સૌભાગ્ય અને સમુદ્ધિકારક હોય છે.
- જે લોકો મંગળના ક્રોધથી પ્રભાવિત છે તેઓ કોઈપણ પેય પદાર્થ માટીના વાસણમાં જ પીવુ જોઈએ.
- રોજ તુલસીના છોડ પાસે માટીનો દિવો પ્રગટાવો. દરેક તહેવાર પર ઘરમાં માટીના દિવા પ્રગટાવો.
- દરેકના ઘરમાં માટીનો ઘડો જરૂર હોવો જોઈએ. ઘડાનુ પાણી પીવાથી બુધ અને ચંદ્રમાનો પ્રભાવ શુભ થાય છે આ ઘડાને ઘરના ઉત્તર પૂર્વ દિશામાં મુકો.
- માટીના ઘડાથી છોડને પાણી આપો.
- દરિદ્રતાથી મુક્તિ મેળવવા માંગો છો તો શનિવારના દિવસે માટીના નાના ઘડામાં પાણી ભરીને તેને પીપળાના ઝાડ નીચે મુકી આવો, આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.
- માટીના વાસણમાં પાણી ભરીને ઘરની અગાશી પર પક્ષીયો માટે જરૂર મુકો.
- માટીથી બનેલી ભગવાનની મૂર્તિને ઘરમાં લાવવાથી ઘન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે..
- માટીથી બનેલી વસ્તુઓ કે રમકડાથી તમારો ડ્રોઈંગ રૂમ સજાવો, તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે.
- ઘરમાં માટીના વાસણ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
- જે દંપતિને સંતાનની ઝંખના હોય તેમણે શ્રીકૃષ્ણ સામે માટીના કોડિયામાં ચાર વાટનો દિવો કરવો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team