શિરડી ના સાઈબાબા અને દશેરા વચ્ચે છે વિશેષ સંબંધ જાણો આ ત્રણ વાર્તાઓ પરથી…

મિત્રો, એવુ માનવામાં આવે છે કે. જ્યારે પણ કોઈ ભક્ત શિરડીના સાંઈબાબાની સાચા હૃદયથી પૂજા કરે છે અથવા તેમનુ નામ આખો દિવસ મુખ પર હોય તો બાબા તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. સાઈબાબા ના પૂજન માટે ગુરુવાર નો દિવસ શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે, ભક્તો બાબાને પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે વ્રત રાખે છે.

કોઈપણ જાતિ કે ધર્મની વ્યક્તિ શિરડીના આ સાંઈબાબાની પૂજા કરી શકે છે. બાબા જાતિ અને ધર્મ ને ધ્યાનમા લીધા વિના દરેક ભક્તની પ્રાર્થનાઓ સાંભળે છે. એવું માનવામાં આવે છે કે સાંઇબાબા એક ચમત્કારિક સંત હતા. એવું કહેવામાં આવે છે કે, જે કોઈપણ તેમની સમાધી તરફ જાય છે, તે ક્યારેય પણ ખાલી હાથ પાછો નથી આવતો. શું તમને ખ્યાલ છે કે, સાઈબાબા એ દશેરા સાથે એક વિશેષ પ્રકારનુ જોડાણ ધરાવે છે. ચાલો આ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

તાત્યાનું મૃત્યુ :

અમુક માન્યતાઓ મુજબ સાંઇબાબાએ દશેરા ના થોડા દિવસ પહેલા રામચંદ્ર પાટિલ નામના તેમના ભક્તને જણાવ્યુ હતું કે, તાત્યાની મૃત્યુ વિજયાદશમી પર નિશ્ચિત છે. બાઇજાબાઈ એ બાબાના સર્વોચ્ચ પ્રિય ભક્ત હતા. તાત્યા તેમનો પુત્ર હતો. બાબાને ‘મામા’ કહીને તાત્યા બોલાવતો. આ જ કારણ હતુ કે,બાબાએ તેને ફરી જીવન આપવાનું નક્કી કર્યું હતું.

રામવિજય પ્રકરણ :

જ્યારે બાબાને ખ્યાલ પડ્યો કે વિદાય લેવાનો સમય નજીક આવી ચુક્યો છે, ત્યારે તેમણે શ્રી બઝે ને રામવિજય પ્રકરણ કહેવા જણાવ્યુ હતું. તેમણે એક અઠવાડિયા માટે દૈનિક પાઠ સંભળાવ્યો. તે પછી બાબાએ તેમને આઠ પ્રહરનો પાઠ કરવાનો આદેશ આપ્યો. તે પ્રકરણનો બીજો અધ્યાય તેમણે ત્રણ દિવસમાં પૂર્ણ કર્યો અને અગિયાર દિવસ આ રીતે પસાર થયા.

ત્યારબાદ પણ તેમણે વધુ ત્રણ દિવસ સુધી વાંચ્યું. તે હવે કંટાળી ગયા હતા તેથી, તેમણે આરામ કરવાની પરવાનગી માંગી અને બાબા હવે સાવ શાંતિથી બેસી ગયા અને સમાધાનની અંતિમ ક્ષણની રાહ જોવાની શરૂઆત કરી.

બાબા એ સમાધિ લીધી :

બાબાએ વર્ષ ૧૯૧૮ મા દશેરા ૧૫ ઓક્ટોબરે શિરડીમાં સમાધિ લીધી હતી. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૧૮ ના રોજ બાબાના શરીરનુ તાપમાન વધવાનુ શરૂ થયું. તેમણે ખોરાક અને પાણી બધું છોડી દીધું હતું. થોડા દિવસો પહેલા, જ્યારે બાબા તેમનું ધ્યાન સમાપ્ત કરવાના હતા ત્યારે તાત્યાનુ સ્વાસ્થ્ય લથડ્યુ હતુ અને જીવંત રહેવું પણ મુશ્કેલ બન્યું હતું પરંતુ, ૧૫ તારીખ ના રોજ બાબાએ તાત્યાની જગ્યાએ સ્વયં બ્રહ્મલીનમાં તેમના નશ્વર દેહનો ત્યાગ કર્યો. વિજયાદશમી એટલે કે દશેરા આ જ દિવસે હતો, તેથી સાઈબાબા અને દશેરાના પર્વ વચ્ચે એક અતુટ જોડાણ છે.

અમે આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય માહિતી પર આધારિત છે. https://www.faktgujarati.com/ આની પુષ્ટિ કરતું નથી. જો તમે આનું પાલન કરી રહ્યાં છો, તો પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો અને તેની પુષ્ટિ કરવા વિનંતી

Leave a Comment