ઈલાયચીની છાલ માંથી બનાવો આ બે ખાસ પ્રકારના ચૂર્ણ, શરીર ડીટોક્સ કરવાથી લઈને એસિડિટીમાં છે મદદરૂપ

Image Source

દરેક ઘરમાં ઈલાયચી જરૂરથી જોવા મળે છે. ઈલાયચીનો ઉપયોગ કોઈ પણ મીઠાઈમાં કરવામાં આવે છે. ઈલાયચી લગભગ લોકોને પસંદ હોય છે. તે એક એવી વસ્તુ છે. જેને ખાઈ ને અમુક જ સમયમાં મૂડ ફ્રેશ થઈ જાય છે. પરંતુ જ્યાં લોકો ઈલાયચીના દાણાનું સેવન કરે છે. ત્યાં જ લોકો તેની છાલને ફેંકી દે છે. પરંતુ આજે અમે તમને ઈલાયચીના છાલના ફાયદા વિશે જણાવી છે. ખરેખર ઈલાયચીના છાલ ડાયજેસ્ટિવ એન્જિનના પ્રોડકશનને વધારો આપે છે. પાચનક્રિયાને તીવ્ર કરે છે. તે સિવાય ઈલાયચીની ચાલતી શરીરને અંદરથી કરવામાં પણ મદદ મળે છે. તથા લોહી શુદ્ધ કરવા માટે પણ મદદરૂપ છે. આ પ્રકારે ઈલાયચીની હાલ આપણા શરીર માટે ઘણી બધી રીતે ઉપયોગી છે. આવો જાણીએ તેના છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને તેના ફાયદા શું છે.

ઈલાયચીના છાલથી બનાવો પેટ સાફ કરનાર ચૂર્ણ : ઈલાયચીની છાલથી તમે ખાસ પ્રકારનો ચૂર્ણ બનાવી શકો છો. ખરેખર ઇલાયચીના દાણામાં જ નહીં પરંતુ તેના છાલમાં પણ ખુબ જ ખાસ ગુણ જોવા મળે છે. તે ખુબ જ સુગંધથી ભરપૂર હોય છે અને તેમાં રેચક ગુણ જોવા મળે છે. એટલે કે તે પેટ સાફ કરવા માટે મદદ કરે છે. તેથી તમે ઈલાયચીના છાલથી પેટ સાફ કરવાનું ચૂર્ણ બનાવી શકો છો. આ ચૂર્ણ બનાવવા માટે સૌપ્રથમ ઈલાયચીની છાલને જમા કરો, ત્યાર બાદ હીંગ, અજમો, મોટી ઈલાયચીનાં બીજ અને સંચળ પાવડર લો. હવે આ દરેક વસ્તુને તવી ઉપર થોડું ગરમ કરો. હવે ખાંડણીમાં તેને નાખીને વાટો. હવે આ ચૂર્ણને એક ડબ્બામાં બંધ કરીને મુકો. દરરોજ ભોજન કર્યા બાદ તેની એક ચમચીનું સેવન કરો.

ઈલાયચીના છાલના ફાયદા

પેટ માટે

ઈલાયચીના છાલથી બનેલા બે વસ્તુઓ પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. ખરેખર તો આ ચૂર્ણ પહેલા એની લાડની માત્રા વધારે છે. જેનાથી ડાયજેશન તીવ્ર થાય છે. તેનાથી તમે જે કંઈ પણ ખાવ છો તે સૌથી સારી રીતે પચી જાય છે. આ સિવાય ઈલાયચીના છાલથી બનેલો આ વસ્તુઓ મળમાં જથ્થા ઉમેરવાનું કામ કરે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સુતી વખતે તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે.

ઉબકા આવે ત્યારે

ઘણી વખત અપચાના કારણે અથવા તો વધુ પડતું જમી લેવાના કારણે આપણને ઉબકા આવવા લાગે છે. તેવામાં ઈલાયચીના છાલથી બનેલા ચૂર્ણ તમારી ખાસ મદદ કરી શકે છે. આ ચૂર્ણ બનાવવા માટે ઈલાયચીના છાલને ઉતારીને તેને ઘસો. ત્યાર બાદ તેમાં અડધો ગ્રામ જાવંત્રી ચૂર્ણ, અડધી ચમચી મિશ્રી ઉમેરીને મૂકો, હવે જ્યારે પણ તમને ઉબકા આવે ત્યારે તમે તેનું સેવન કરી શકો છો.

એસીડીટી માટે

ઈલાયચીની છાલ એસીડીટી માટે રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. ખરેખર આ બંને ચૂર્ણમાં મળતી વસ્તુઓ એસીડીટીને શાંત કરે છે અને ભોજન પચાવવામાં પણ મદદ કરે છે. ચંચળ અને મિશ્રી બંને મૂળભૂત પ્રકૃતિના છે. તે પેટમાં પ્રોડ્યૂસ થતાં એસિડને ન્યુટ્રીલાઈઝ કરીને શાંત કરવાનું કામ કરે છે. તે સિવાય તેમાં ધાણાના બીજ જાવંત્રી હિંગ અને અજમો દરેક વસ્તુ એસીડીટીને ઓછું કરવા માટે મદદરૂપ છે.

ઉબકા

ઈલાયચીના છાલ ઉપર કારગર રીતે કામ કરે છે. તે મૂડ ફ્રેશર ની જેમ કામ કરે છે. તથા તે તમારા મૂડને તૈયારીમાં જ બદલે છે. તેની સાથે જ બદહજમીના કારણે ઉબકા આવવાથી આ બંને ચૂર્ણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તે સિવાય ઈલાયચીની છાલનું તમે પાણી પણ પિય શકો છો તેની માટે તમારે ઈલાયચીના છાલને પાણીમાં નાખીને ઉકાળવાં આ છે. ત્યાર બાદ તેને ગાળો હવે ઠંડુ થવા માટે મુકો અને તેમાં મધ ઉમેરીને આ પાણીનું સેવન કરો આ રીતે ઈલાયચીનું પાણી પાચનતંત્રથી લઈને વજન ઓછું કરવા માટે ખુબ જ મદદરૂપ છે. તો તમે કોઈ પણ વસ્તુમાં ઇલાયચીનો ઉપયોગ કરો છો અને તેના છાલને ફેંકી દો છો તો આ આદતને છોડીને ઈલાયચીના છાલનો આ રીતે ઉપયોગ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment