વિવિધ ગુણો થી ભરપૂર તલમાં રહેલા છે આ સ્વાસ્થ્ય લાભ

તલ ના સ્વાસ્થ્ય લાભ :

  • તલ વિટામિન બી અને આયરન થી ભરપૂર હોય છે. જે લોકો માં વિટામિન બી કે આયરન ની કમી હોય છે તે લોકો ના વાળ સફેદ થવા, સાંભળવામાં તકલીફ,યાદશક્તિ ઓછી થવી જેવા લક્ષણ દેખાય છે એટલે જ તલ ના સેવન થી આ બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.
  • તેમા રહેલ સેસમીન ફ્રી રેડિકલ થી લીવર ને બચાવે છે. તે સિવાય આ બીજ ફાઇબર થી ભરપૂર હોય છે. તેનાથી કોલન કેન્સર થી બચી શકાય છે.
  • કાળા અને સફેદ તલ મેગ્નેસિયમ થી ભરપૂર હોય છે.  જે હાયપરટેન્શનને રોકવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે તલ ના તેલમાં રહેલા પોલીઅનસેચ્યુરેટેડ ફેટ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • તલ માં કેલ્શિયમ અને ઝીંક વધુ પ્રમાણમાં હોય છે. તે  હાડકાંને મજબૂત બનાવે છે.

 

  • તલ ના સેવન થી સોજા ઓછા  થાય છે. લાંબા સમય સુધી રહેતા સોજા અને ક્રોનિક બીમારી થાય છે. તેમા મેદસ્વીપણા, હ્રદયરોગ અને યકૃત ના રોગ થઈ શકે છે.
  • લાલ રક્તકણો બનાવવા માટે, આપણા શરીરને જરૂરી પોષક તત્વો ની જરૂર પડે છે તે તલ માંથી મળી રહે છે.
  •  તલ માં કાર્બ્સ ઓછા હોય છે જ્યારે પ્રોટીન અને હેલ્થી ફેટ વધારે હોય છે. આ પોષક તત્વોને કારણે બ્લડ સુગર કંટ્રોલ માં રહે છે.
  •  તલ નું સેવન કરવું એ હાયપરટેન્શન ઘટાડવાની જૈવિક રીત છે. તલમાં હાજર  તેલ અને ફેટી એસિડ એ ઘણી હર્દય સંબંધિત રોગો ને દૂર થાય  છે.
  •  તલ નું સેવન કરવાથી મોઢા નું સ્વાસ્થ્ય સારું રહે છે. તલ ને ચાવી ને ખાવા થી દાંત મજબૂત રહે છે.

ધ્યાન રાખવા જેવી બાબત

  • તલ થી બ્લડ પ્રેશર ઓછું થાય છે. એવા લોકોમાં બ્લડ પ્રેશર ઓછું કરશે જેના માં પહેલે થી બ્લડ પ્રેશર ઓછું હોય.
  • તે સર્જરી પહેલા અને પછી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં બાધા નાખે છે. જો કોઈ સર્જરી કરવી હોય તો, ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા થી જ તલ નો ઉપયોગ બંધ કરો
  • જે લોકોનું લીવર નબળું હોય અથવા લીવરમાં પથરી હોય, તેઓએ તલનું સેવન ન કરવું જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment