એલોવેરા એક એવો છોડ છે જે આરોગ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ત્વચાની તકલીફ હોય અથવા જો તમને પેટની તકલીફ હોય તો તમે સવારે ઉઠી ને એલોવેરા જ્યુસ નું સેવન કરી શકો છો.
ખાસ વાત
- એલોવેરામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે.
- એલોવેરા આરોગ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે.
- એલોવેરાને આયુર્વેદમાં સંજીવની કહેવામાં આવે છે.
એલોવેરા એક એવો છોડ છે જે આરોગ્ય અને સુંદરતા બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને સવારે ઉઠ્યા પછી ત્વચાની સમસ્યા હોય અથવા પેટ સાફ ન થાય તો તમે એલોવેરા નો જ્યુસ લઈ શકો છો.
એલોવેરાનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરાને આયુર્વેદમાં સંજીવની કહેવામાં આવે છે. તેમાં પુષ્કળ એમિનો એસિડ હોય છે. તેમાં વિટામિન 12 ની હાજરી થી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. માનવામાં આવે છે કે એલોવેરા ત્વચાની સંભાળ, વાળની સુંદરતા, જખ્મોને મટાડવામાં અને કેન્સરની સમસ્યાથી રાહત આપવામાં મદદગાર છે.
એલોવેરાનો રસ પીવાથી શરીરને અનેક આરોગ્યની સમસ્યાઓ થી બચાવી શકાય છે. એલોવેરામાં વિટામિન એ, સી અને ઈ, વિટામિન બી12 અને ફોલિક એસિડ ખૂબ સારી માત્રામાં જોવા મળે છે.
આ સિવાય એલોવેરામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચા માં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.
એલોવેરા જ્યુસ બનાવવાની રીત:
સામગ્રી
- એલોવેરા
- આદુ
- આમળા
- તુલસી
- લીંબુ
એલોવેરા જ્યુસ બનાવવાની રીત
- એક નાનું એલોવેરા લઈ તેને વચ્ચેથી કાપી તેનો પલ્પ એક વાસણમાં બહાર કાઢી લો.
- હવે તે પલ્પને એક મિક્સર જારમાં નાખીને તેમાં આદુના ટુકડા, આમળા તુલસી અને લીંબુ ઉમેરી ને તેને ક્રશ કરો.
- ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ફરીથી ક્રશ કરો.
એલોવેરા જ્યુસ તૈયાર છે
એલોવેરા જ્યુસ પીવાના ફાયદા:
બળતરા :
જો કોઈનું શરીરમાં આગ થી બળી ગયું છે અથવા કોઈ અન્ય રીતે દાઝી ગયું છે, તો તમે તે જગ્યાએ એલોવેરા નો પલ્પ લગાવો, તે બળતરાથી રાહત આપશે અને ઘા પણ ઝડપથી રૂઝાવમાં મદદ કરી શકે છે.
પાચન:
એલોવેરાનો રસ પાચનમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરાનો રસ પીવાથી પાચક સિસ્ટમ મજબૂત થઈ શકે છે. તેમજ પેટ ની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.
સોજો :
એલોવેરા શરીર ના સોજા ઘટાડવા માટે મદદગાર છે. તેમાં મળતા એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો શરીર ના સોજા ઘટાડવામાં મદદ કરી શકે છે.
ખીલ:
એલોવેરામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ હોય છે, તેથી તે ખીલ પેદા કરનારા બેક્ટેરિયાને ઘટાડવામાં અને ખીલની બળતરા ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
જાડાપણું
એલોવેરાનો રસ મેદસ્વીપણું ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. મેથીના તાજા પાનને 10-15 ગ્રામ એલોવેરાના રસમાં પીસીને મિક્સ કરીને સેવન કરવાથી જાડાપણું ઓછું થાય છે.
વાળ:
કુંવારપાઠું આમળા અને રસ ઝરતાં ફળોની સાથે ખાવાથી વાળ મજબૂત થાય છે, ઉપરાંત આંખો સ્વસ્થ પણ રહે છે.
હૃદય માટે ફાયદાકારક
તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે એલોવેરા અથવા તો એલોવેરાનું જ્યુસ બનાવી તેનું સેવન કરવું જોઈએ. એલોવેરાનું સેવન કરવાથી તે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે.
થાઇરોઇડ માં મદદરૂપ
દરરોજ નિયમિત રૂપે એલોવેરાનું સેવન કરવાથી અથવા તેના રસમાં હળદર અને મીઠું નાખીને પીવાથી થાઇરોઇડ જેવી બીમારી માં રાહત મળે છે.
એસીડીટી માં મદદરૂપ
એલોવેરાના રસમાં ખડી સાકર નાખીને દિવસમાં ત્રણવાર સેવન કરવાથી એસિડિટી માં તરત જ ફાયદો થાય છે.
શરદી અને કફ
એલોવેરાના જ્યૂસમાં હળદર મીઠું અને સંચળ નાખીને પીવું. હળદર અને સંચળ સરખા પ્રમાણમાં લેવું અને મીઠું થોડું ઓછું લેવું. આ જ્યૂસ પીવાથી તમને શરદી અને કફમાં રાહત મળશે.
પેટ સંબંધી સમસ્યા
જો તમને પેટમાં ગેસ અને અપચાની સમસ્યા હોય તો ઘણી વાર તે તમને પરેશાન કરે છે. તો સવારે ખાલી પેટ પર એલોવેરા નો રસ લો. જો શરીરમાં પેટને લગતી કોઈ બીમારી છે, તો તમારે સવારે 15-25 ગ્રામ એલોવેરાનો રસ મધ અને લીંબુ સાથે મેળવી લેવો જોઈએ, તે પેટની સમસ્યાઓ ની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવી શકે છે.
આ સામાન્ય માહિતી, સલાહ સહિત પૂરી પાડે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી મંતવ્ય નો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટર ની સલાહ લો. “ફક્ત ગુજરાતી” “આ માહિતી માટે જવાબદારીનો દાવો કરતી નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team