ઔષધિ ના રૂપ માં રહેલી મૂલેથી ના ઘણા ફાયદા છે જાણો કયા કયા ફાયદા થાય છે મૂલેથી ના..

ઔષધિ અને માઉથ ફ્રેશનેર ના રૂપ માં ઉપયોગ માં આવતી મૂલેથી ના બીજા ઘણા ફાયદા છે. આને જેઠીમધ, મધુક,અને મધુયીસ્ટ પણ કહે છે. અંગેજી માં તેને લિકોરિસ પણ કહે છે. વિભિન્ન પ્રકાર ના રોગો માટે મૂલેથી ખૂબ જ ઉપયોગી છે. તે સ્વાદ માં મધુર, શીતળ અને પચવા માં પણ સરળ હોય છે.

Image Source

ચાલો જાણીએ તેના ફાયદા..

ખાંસી શરદી થી થયેલા કફ ને ઓછો કરવા માટે મૂલેથી નો ઉપયોગ વધુ કરવા માં આવે છે. કફ ના કારણે ગળા માં બળવું, તેમજ નાક અને છાતી માં પણ બળતરા થવા લાગે છે. એટલે મૂલેથી ને મધ સાથે મિક્સ કરી ને લેવાથી રાહત મળે છે.

Image Source

મૂલેથી થી મગજ તેજ થાય છે. નાના બાળકો માટે તેનો ઉપયોગ નિયમિત રીતે કરી શકો છો.

મૂલેથી થી ચહેરા ની ખૂબસૂરતી પણ વધે છે. તેને ઘસી ને ચહેરા પર લગાંવાથી ખીલ માં રાહત મળે છે.

Image Source

મોઢા માં ચાંદી પડી હોય તો મૂલેથી નુ પાણી પીવું, અથવા તેના કોગળા કરવા થી રાહત મળે છે.

મૂલેથી થી પિત્ત નો નાશ થાય છે. અમાશાય ની અંદર રહેલા અલ્સર અને પિત્ત ને શાંત કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment