આ ભવાની મંદિરના કુંડનું પાણી કાંચીડાની જેમ ‘રંગ’ બદલે છે…

ભારત ધર્મ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ છે સાથે અહીં ઘણા બધા એવા મંદિરો છે જે જગવિખ્યાત છે. આજે આપણે એક એવા અચરજ પમાડે એવા ભવાની મંદિર કુંડની માહિતી જાણવાના છીએ. આ મંદિરમાં આવેલ કુંડ રંગ બદલે છે. કાશ્મીરના આ મંદિરના હજારો લોકોની દર્શનાર્થે ભીડ જામે છે. આવી છે આ મંદિરની કહાની…,

ઉતર કાશ્મીરના ગાંદરબલ જીલ્લામાં આવેલું ‘તુલમુલ’ ગામમાં રાગ્નિ માતા ક્ષીર ભવાની મંદિરમાં આ ઘટના બની રહી છે. અહીં એક કુંડ આવેલ છે, જે અચરજ પમાડે એવી ઘટનાથી લોકોનું આકર્ષણ ખેંચે છે. અહીંના કુંડમાં પાણી જાતે જ રંગ બદલે છે. કાશ્મીરમાં વસતા પંડિતો માટે આ મંદિર આસ્થાનું સ્થાન છે. અહીં કાશ્મીરના પંડિતોનો જમાવડો થાય છે અને આ મંદિરના દર્શન કરવા પણ ઘણા ભક્તો આવે છે. કદાચ આજ સુધી તમે ઈતિહાસમાં આવું કોઈ મંદિર નહીં જોયું હોય.

આ મંદિરે વાર્ષિકોત્સવ થાય છે ત્યારે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરને લઈને ઘણી એવી પૌરાણિક કથાઓ છે કે, અહીં રાવણના ભક્તિ ભાવથી મા ભવાની પ્રસન્ન થઇ હતી. એ સમયમાં રાવણે માતા ક્ષીર ભવાનીની સ્થાપના કુળદેવી રૂપે કરી હતી. પૌરાણિક સમયની ચર્ચા એ પણ જણાવે છે કે, માતા ક્ષીર ભવાનીની સ્થાપના બાદ રાવણના કુકર્મ અને રાવણના ખરાબ વ્યવહારથી માતાજી નારાજ થયા હતા પરિણામે દેવીશક્તિ આ નગરી છોડીને ચાલ્યા ગયા હતા.

એ પછી જયારે રામ દ્વારા રાવણનો વધ થયો ત્યારે રામે, હનુમાને કહેવામાં આવ્યું હતું કે, ક્ષીર ભવાની માતાનું મંદિર ફરીથી યોગ્ય જગ્યાએ સ્થાપન કરો. એ સમયે હનુમાનની મદદથી કાશ્મીરના તુલમમુલમાં ફરીથી દેવીની સ્થાપના કરવામાં આવી.

અમરનાથ ગુફાને કારણે કાશ્મીર બધાના હૈયે અને હોઠે રહે છે. એ જ કાશ્મીરમાં આ ક્ષીર ભવાની માતાજીનું મંદિર આવેલું છે. અમરનાથ ગુફા પછી બીજા નંબરે આ પવિત્ર મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. ૧૯૮૯માં આંતકી ઘટના બની હતી ત્યારે અહીં વસતા કાશ્મીરી પંડિતની વસ્તી લુપ્ત થઇ ગઈ હતી. જેને કારણે આ મંદિરનો મહિમા લુપ્ત થતો જતો હતો. ફરીથી સર્વે પંડિતો માતાજીને અચાનક માનવા લાગ્યા અને માતાએ પણ ભક્તિથી રાજી થઈને સઘળા કામ પાર પાડ્યા.

એ પછી ૨૦૦૭ની સાલમાં ભક્તો ફરીથી આ મંદિરના દર્શનાર્થે આવવા લાગ્યા. એ સમયથી આ મંદિરની મુલાકાત લેતા માણસોની સંખ્યામાં વધારો થઇ ગયો. આ મંદિર વિશે એવું માનવામાં પણ આવે છે કે, પ્રાચીન સમયમાં કાશ્મીરી પંડિતોને સપનામાં માતાએ જણાવ્યું હતું કે, મંદિરનું નામ “ક્ષીર ભવાની” રાખવામાં આવે. કદાચ એ બાબતને કારણે જ આ મંદિરનું નામ એ જ રાખવામાં આવ્યું અને દર વર્ષે અહીં યોજાતા મેળા દરમિયાન કુંડમાં દૂધ અને ખીરની આહુતિ આપવામાં આવે છે. એક એવી માન્યતા પણ છે કે, અહીં કુંડમાં રહેલું પાણી રંગ બદલે છે. આ એક એવું કારણ છે કે જેને લીધે આ મંદિરને જગવિખ્યાતી મળી છે.

કાશ્મીરમાં ફરવા માટે જાવ અથવા અમરનાથ યાત્રા માટે જાવ ત્યારે તમે પણ આ ક્ષીર ભવાનીના પવિત્ર મંદિરે જવાનું ભૂલતા નહીં. અહીં મંદિરમાં માતાજીની સાક્ષાત્ શક્તિનો અનુભવ થાય છે.

દેશ-વિદેશની રોચક માહિતીનો ખજાનો તમારી સમક્ષ લાવતા રહીશું. એ માટે તમારે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલવાનું નથી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment