સ્વસ્થ રહેવા માટે આ અલગ અલગ બીજ ને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો 

Image Source

સ્વસ્થ રહેવા માટે લગભગ લોકો ફળ અને તેના જ્યૂસનું સેવન કરે છે.પરંતુ અમુક એવા બીજ પણ હોય છે.જેનું સેવન કરવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. બીજ ભલે દેખાવમાં નાના હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.તો ચાલો જાણીએ અમુક એવા બીજ વિશે જે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.

Image Source

ચિયા ના બીજ

ચિયાના બીજને સુપર ફુડના રૂપમાં જાણવામાં આવે છે.તે દેખાવમાં નાના અને કાળા રંગના હોય છે.માત્ર બે મોટી ચમચી ચિયાના બીજમાં લગભગ ૧૦ ગ્રામ ફાઈબર ચાર ગ્રામ પ્રોટીન ૯ ગ્રામ ચરબી હોય છે. ચિયાના બીજનો ઉપયોગ લગભગ દહી અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે વધુ કરવામાં આવે છે. જ્યારે આ બીજો ને બદામના દૂધમાં પલાળવામાં આવે છે.ત્યારે તે નરમ અને ખાવા યોગ્ય બની જાય છ. તેમાં ઝીંક,વિટામીન બી3, વિટામિન બી6 અને વિટામિન b2 પ્રચુર માત્રામાં જોવા મળે છે.

Image Source

કોળાના બીજ

કોળાના બીજ પોષક તત્વોથી ભરપુર હોય છે.કોળાના બીજનું સેવન કરવાથી મેગ્નેશિયમ મળે છે.જે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થાય છે.તે શરીરને ઉર્જા આપવામાં પણ મદદ કરે છે.તથા સ્નાયુઓને મજબૂત બનાવે છે.તેને શુભ ના ગ્રુપમાં પણ સેવન કરી શકાય છે.તે સિવાય તેને સલાડની ઉપર નાખીને અથવા અનાજની સાથે પણ ખાવામાં આવે છે.

Image Source

જંગલી ચોખા

આ નામ છે તમને લાગી રહ્યું હશે કે આપણે ચોખા ની વાત કરી રહ્યા છીએ પરંતુ એવું નથી તે વાસ્તવમાં ઘાસના બીજ છે.જંગલી ચોખાની મુખ્યત્વે ચાર જાત છે.તેમાં એક એશિયામાં જોવા મળે છે.જ્યારે બીજી ત્રણ ની ખેતી ઉત્તરી અમેરિકામાં કરવામાં આવે છે.તેમાં અન્ય ચોખાની તુલનામાં પ્રોટીનની માત્રા વધુ જોવા મળે છે.તે સિવાય તેમાં સફેદ ચોખા ની માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ વધુ જોવા મળે છે. તેમાંથી મેગ્નેશિયમ, ફોસ્ફરસ,ઝીંક, વિટામિન B6અને નિયાસિન પણ પ્રાપ્ત કરી શકાય છે.

દાડમનાં બીજ

દાડમ ને સૌથી સ્વાસ્થ્યપ્રદ ફળોમાંથી એક માનવામાં આવે છે.તેનો સ્વાદ ખૂબ જ મિઠો હોય છે.અને તેમાં ફાઈબર વિટામિન સી તથા એન્ટીઓક્સીડેન્ટ ની માત્રા વધુ જોવા મળે છે. તેની નાસ્તાના સ્વરૂપમાં પણ ખાઈ શકાય છે.પણ ના બીજ થી ભરેલા એક કપમાં માત્ર 130 કેલેરી જોવા મળે છે.તેને સલાડની ઉપર પણ નાખીને ખાઈ શકાય છે.અધ્યયનપોથી જાણવા મળ્યું છે.કે શરીર માટે દાડમનાં બીજ ઘણા પ્રકાર કે લાભ કારક હોઈ શકે છે.તે અલગ-અલગ બીમારીઓ ના જોખમને ઓછું કરવામાં સહાયક થાય છે.

Image Source

અળસીના બીજ

અળસીના બીજનું સેવન સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે.તેનો ઉપયોગ ઘણા વર્ષથી કરવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ માછલી નથી ખાતું તેમને અળસીના બીજનું સેવન કરવું જોઇએ તેનાથી હૃદય માટે ફાયદાકારક ઓમેગા-૩ ફેટી એસિડ મળે છે. તેમાં ફાઈબરની માત્રા પર્યાપ્ત જોવા મળે છે.તેને આહારમાં સામેલ કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.અળસીના બીજ થી બનેલા પાવડરમાં માત્ર એક મોટી ચમચી પ્રોટીન ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડની ઉણપને પૂરી કરવા માટે સહાયક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment