નાના બાળકો માટે માલિશ ખૂબ જ જરુરી છે. આવો જાણીએ માલિશ ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ??

આયુર્વેદ અનુસાર નવજાત બાળકો ની માલિશ તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરુરી છે. માલિશ થી બાળકો ની માશપેશીઓ મજબૂત થાય છે. શરીર માં બ્લડ નું circulation  થાય છે અને મોસમી બીમારીઓ થી બાળક  દૂર રહે છે.

Image Source

નવજાત બાળકો પર માલિશ માટે તેલ કે પછી ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. બાળક ના  માથા માટે ઘી નો અને શરીર માટે તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. માલિશ માટે ઘર માં વપરાતા તેલ નો ઉપયોગ કરી શકાય છે.તે ઉપરાંત બાળકો ની માલિશ માટે આયુર્વેદ ના તેલ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. ૩ વર્ષ સુધી ના બાળકો ને દરરોજ માલિશ કરવી જોઈએ. જો તમે ઈચ્છો તો તેના થી વધુ પણ કરી શકો છો.

માલિશ કરતી વખતે રાખવું આ બાબત નું ધ્યાન:

બાળક ની માલિશ ભૂખ્યા પેટે જ કરવી. ભરેલા પેટે માલિશ કરવા થી બાળક ને  તકલીફ થઈ શકે છે.

માલિશ કરતાં સમયે અને તે પછી ના  એક કલાક સુધી તેને ઠંડી હવા ન લાગે તેનું ધ્યાન રાખવું.

Image Source

માલિશ માટે ઉપયોગ લેતા તેલ ની કોઈ સુગંધ ન હોવી જોઈએ. ખાવા માં વપરાતા તેલ જેમ કે નારિયળ નું તેલ, તલ નું તેલ, જૈતૂન નું તેલ, વગેરે તેલ થી માલિશ કરી શકાશે. સરસવ ના  તેલ થી પણ માલિશ કરી શકાશે.

Image Source

માથા માં હમેશા દેશી ઘી થી માલિશ કરવી.

તાવ, ઊલટી, જાડા કે બીજી તકલીફ હોય તો બાળક ને  માલિશ ન કરવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment