વૈવાહિક જીવન ખુશી થી ભરપુર રહે તે માંટે ની કેટલીક વાસ્તુ ટિપ્સ

Image source

જો તમે પણ તમારા વૈવાહિક જીવન માં ખુશી ઇચ્છતા હોવ તો કેટલીક વાસ્તુ ટિપ્સ તમે અપનાવી શકો છો.

  • જો તમારા રૂમ માં અરીસો હોય તો એ વાત નુ ધ્યાન રાખવું કે રાતે પતિ અને પત્ની નું મોઢું અરીસા માં ના દેખાય. જો અરીસો તમે હટાવી નથી શકતા તો રાતે તેના પર પડદો ઢાંકી દો.
  • બેડરૂમ માં મંદિર ક્યારે પણ ન રાખવું. કેટલાક લોકો ઘર નાનું હોવાને કારણે બેડ રૂમ માં મંદિર રાખે છે. આવું કરવું સારું નથી માંટે તમારે મંદિર રસોડા માં રાખવું.
  • સંબંધ માં ક્વાર્ટઝ અને સફેદ ક્વાર્ટઝ ને દક્ષિણ પશ્ચિમ દિશા માં રાખો. સાથે તે સાફ હોય તેનું ધ્યાન પણ રાખવું.

  • પતિ પત્ની ની ફોટો દક્ષિણ પશ્ચિમ દિશા માં લગાવો. આમ કરવાથી સંબંધ માં પ્રેમ વધે છે.
  • સંગીત શાંતિ આપે છે. અને સંબંધ માં પ્રેમ પણ વધે છે. એટલે જ્યારે પણ ટાઇમ મળે ત્યારે સોફ્ટ સંગીત સાંભળવું.
  • તમારા સંબંધ માં પ્રેમ વધતો રહે તે માંટે સાથે બેસી ને ખાવું. આમ કરવાથી બંને માં પ્રેમ વધશે.

Image source

  • સંબંધ માં મધુરતા, સમાનતા, અને ઉર્જા રહે તે માંટે બેડરૂમ માં દક્ષિણ પશ્ચિમ દિશા માં બે ગુલાબી કેન્ડલ અને રોઝક્વાર્ટઝમૂકવા. આ કેન્ડલ ને રોજ 10 મિનિટ સુધી એક સાથે ચાલુ કરવી અને એક સાથે ઓલવી નાખવી. આવું 43 દિવસ સુધી કરવું.
  • જો તમને ફૂલ પસંદ છે તો ઘર માં તાજા ફૂલ રાખો. અને તેને સમય સમય પર બદલતા રહો. ક્યારેય પણ સુકેલા ફૂલ ન રાખો.
  • ભૂલ થી પણ કાંટા વાળો છોડ બેડરૂમ માં ન રાખવો.

  • બેડરૂમ માં ટીવી, કમ્પ્યુટર, લેપટોપ કે બીજી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ન રાખવી.
  • ભગવાન કે પૂર્વજ ના ફોટા બેડરૂમ માં ન લગાવા. તેનાથી વૈવાહિક જીવન માં દૂરી આવે છે.
  • ખુશહાલ જીવન માંટે બેડ માં ગંદી કે ફાટેલી ચાદર ન નાખવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment