કોઈ પણ બ્યુટિ પ્રોડક્ટસ વગર તમે આ 5 રીતે બનાવી શકો છો તમારી આંખો ને સુંદર

આંખો ની ખૂબસૂરતી વધારવા માંટે જરુરી છે કે તમે તેની થોડી કાળજી લો. રિસર્ચ પણ એવું  કહે છે કે આંખો પર સ્ટ્રેસ આવવા થી આંખો ડલ થઈ જાય છે.

Image Source

કોઈ નો પણ ચહેરો જોતાં સૌથી પહેલા તારું ધ્યાન કયા જાય છે? કેટલાક લોકો નું ધ્યાન સીધું જ આંખો પર જાય છે. ઉમર વધતાં ની સાથે સાથે કેટલાક લોકો ની આંખો ફીકી પડી જાય છે. સાથે જ ઉમર ના લક્ષણ જેવા કે કરચલીઓ વગેરે તો ચહેરા પર દેખાય જ છે. આંખો આપણાં ચહેરા નો અરીસો છે. અને આંખો ની  ખૂબસૂરતી વધારવા માંટે આપણે ઘણું બધુ કરતાં હોઈએ છીએ. પણ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે નેચરલ રીતે  આંખો ને ખૂબસૂરત કેવી રીતે બનાવી શકાય છે.

આજે આપણે કોઈ દેશી નુસખા કે કોઈ હોમ રેમીડી કે કોઈ બ્યુટિ પ્રોડક્ટસ ની વાત નથી કરવાના. અહી આપણે વાત કરીશું કે આપણી લાઇફ સ્ટાઇલ માં થોડા બદલાવ થી આપણી આંખો ને થતાં નુકશાન જેમ કે કાળા ડાઘ, ડાર્ક સર્કલ, કરચલીઓ વગેરે સમસ્યા થી છુટકારો મેળવી શકાશે.  તમારી પાસે અંડર આઇ ક્રીમ પણ હોય પણ તેની અસર પણ ત્યારે જ શક્ય છે જ્યારે તમારી આંખો નેચરલી ખૂબસૂરત હોય.

શું કહે છે રિસર્ચ

Image Source

આંખો ની ખૂબસૂરતી એટલા માંટે પણ ઓછી થઈ જાય છે કારણકે તેના પર સ્ટ્રેસ વધુ આવે છે.National Center of Biotechnology Information(NCBI) ની એક રિસર્ચ કહે છે ડિજિટલ સ્ટ્રેંન થી આજકાલ આંખો માં ફિકાપણું અને કરચલીઓ થવાનું મુખ્ય કારણ બન્યું  છે.

આવામાં આંખો  સ્વસ્થ અને ખૂબસૂસરત દેખાય તે માંટે કેટલીક ટિપ્સ બતાવી છે.

ન્યુટ્રીયન્સ નું રાખવું ધ્યાન

આંખો ની ખૂબસૂરતી અને તેનુ સ્વાસ્થ્ય સારું રહે તે માંટે ન્યુટ્રીયન્સ ખૂબ જરુરી છે. ચાર ખાસ ન્યુટ્રીયન્સ વિટામિન સી, ઈ,એ અને જિંક આપણી માંટે ખૂબ જરુરી છે જો તે આપણાં શરીર માં ભરપૂર માત્રા માં રહેશે તો આંખો ની 35% જેટલી સમસ્યા દૂર થઈ જશે.

આવા માં વિટામિન સી થી ભરપૂર ફળો નું સેવન કરવું જરુરી છે. તેની સાથે જે શાકભાજી માં વિટામિન એ હોય તેનું પણ સેવન કરવું. તેમા ગાજર, પિચ, પપૈયું,પાલક,અને કેરી નો સમાવેશ થાય છે.  જિંક માંટે ચિકન, દહી,વગેરે જેવી વસ્તુ ઓ સામેલ કરવી. વિટામિન ઈ માંટે બદામ,નટ્સ, સરસવ ના બીજ વગેરે ખાવા જોઈએ.

આંખો ને મસાજ કરવું

 

એવું જરુરી નથી કે તમે આંખો ની કોઈ અંડર આઇ થી જ મસાજ કરો. તે નોર્મલ રીતે પણ થઈ શકે છે. તમે વિટામિન ઈ ની કેપ્સૂલ ના તેલ ને નારિયેળ તેલ માં મિક્સ કરી ને તેના થી મસાજ કરી શકો છો. અથવા તો ફક્ત બદામ ના તેલ થી પણ મસાજ કરી શકો છો. બસ ધ્યાન રાખવું કે તે આંખ ની અંદર ના જાય.

મસાજ થી આંખો ની આજુ બાજુ બ્લડ સેક્યુલેશન સારું થાય છે. જે આંખો ની આજુ બાજુ જામેલું એકસ્ટ્રા ફ્લૂઇડ ને દૂર કરે છે.

આંખો ને મસળવું નહીં

Image Source

આંખો ની કોઈ પણ સમસ્યા હોય અથવા તો આંખો લાલ થઈ જતી હોય તો આ બધુ આંખો ને મસળવા થી થાય છે. આવી આદત ને છોડી દેવી જોઈએ. આંખો ને મસળવાથી આંખો ને નુકશાન થાય છે. સાથે તેની આજુ બાજુ ની સ્કીન પણ ઢીલી થઈ જાય છે.

સનગ્લાસ નો ઉપયોગ કરવો

આંખો પર સૂરજ ના પ્રકાશ ની ખૂબ અસર થાય છે. જે ખૂબ ખરાબ પણ સાબિત થાય છે. તમારી આંખો ને સનગ્લાસીસ થી ઢાંકો. જો તમે ભર બપોરે બહાર જાવ છો તો અંડર આઇ એરિયા માં ક્રીમ લગાવો અને સનગ્લાસ પહેરો. જો તમને એવું લાગે છે કે સૂરજ ના કારણે તમને નુકશાન થઈ રહ્યું છે તો તમે ઘરે આવી ને કાકડી કે બટાકા ની સ્લાઇસ આંખો પર મૂકી શકો છો.

ઊંઘ ને પૂરતા પ્રમાણ માં લો.

આ એક જરુરી ટીપ છે જેને લોકો ગણતાં નથી. તમારી આંખો ને આરામ ની પણ જરૂર છે. એક સરખું સ્ક્રીન ની સામે જોવાથી પણ આંખો ને નુકશાન થાય છે. આવા માં તમે ઊંઘ ને ન ભૂલો. અને તમારી ઊંઘ નું ધ્યાન રાખો. 24 કલાક માં ઓછા માં ઓછી 6-8 કલાક ની ઊંઘ લો. જેનાથી આંખો ની ઘણી સમસ્યા દૂર થઈ જશે.

તમારી આંખો માં કોઈ સિરિયસ સમસ્યા થઈ રહી છે તો કોઈ સારા ડોક્ટર નો સંપર્ક કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment