દિવાળી પર રો – રો ફેરી ચાલુ: હજીરાથી ઘોઘા ફક્ત ૪ કલાક મા, રસ્તા પર લાગે છે૧૨ કલાક, એક મુસાફરીમાં ૫૦૦ મુસાફરો; ૩૦ ખટારા અને ૧૦૦ ગાડી લઈ જવાની ક્ષમતા

૮ નવેમ્બરે પીએમ મોદી કરશે ઓનલાઇન ઉદ્દઘાટન.

Image source

હજીરા – ઘોઘા રો રો ફેરી ૯ મહિના પછી ફરીથી દિવાળી પર ફરી રહી છે. ૮ નવેમ્બરે પ્રધાનમંત્રી તેનું ઓનલાઈન ઉદ્દઘાટન થઈ શકે છે. તેનાથી સુરત થી સૌરાષ્ટ્ર ની મુસાફરી ફક્ત ૪ કલાકમાં પૂરી થઈ શકશે. રસ્તા દ્વારા સુરત થી સૌરાષ્ટ્ર જવા માટે ૧૨ કલાક લાગે છે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયા એ જણાવ્યું કે સુરતમાં વસનારા સૌરાષ્ટ્રના લાખો લોકો તહેવારો પર પોતાના ઘરે જવા માંગે છે.

સૌરાષ્ટ્રવાસીઓ ને મોટરસાઇકલ કે ગાડી દ્વારા ઘરે પહોંચતા ૧૨ કલાકની મુસાફરી કરવી પડે છે. આ જોઈને સુરત અને ભાવનગર વચ્ચે રો રો ફેરી ની સેવાની શરૂઆત થવા જઈ રહી છે. હજીરા – ઘોઘા રો રો ફેરી આ પહેલા ૯ ડિસેમ્બર ૨૦૧૮માં શરૂ થઇ હતી. હજીરા થી રો રો ફેરી માત્ર ૪ કલાકમાં મુસાફરી પૂરી કરશે.

રો રો ફેરી દિવસ દરમિયાન ૩ ચક્કર લગાવશે. તેમાં હજારો મુસાફરો, સેંકડો મુસાફરો વાહનો, ગાડી અને ખટારા પણ જઈ શકશે. હજીરા થી ઘોઘા વચ્ચે નો રસ્તો ૩૭૦ કિમી લાંબો છે, જ્યારે જળમાર્ગ ફક્ત ૯૦ કિમી લાંબો છે. તેનાથી દરરોજ ૯૦૦૦ લિટર ઇંધણ ની બચત પણ થશે.

ઘોઘા થી દીવ ૬ કલાકે, સોમનાથ ૩.૩૦ કલાકે, રાજકોટ ૪ કલાકે અને સાસણ ૬ કલાકે પહોંચી શકીએ છીએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment