ભાંગનો નશો ઉતારવા કરો આ ઘરગથ્થુ ઉપાય, મિનિટોમાં ઉતરી જશે આ નશો

આજે મહાશિવરાત્રીના દિવસે લોકો શિવજીને પ્રસન્ન કરવા શું નથી કરતા. લોકો શિવજીને ધતુરો અને ભાંગ શિવજીને અર્પણ કરે છે. સાથે જ ભાંગનો પ્રસાદ પણ લેતા હોઈ છે. આ ભાંગને જો વધારે પ્રમાણ માં લેવાઈ જાય તો તેનો નશો ખુબ જ ચડે છે. તે લોકોને બેભાન પણ કરી શકે છે. જો તમારાથી પણ ભાંગ નો નશો વધારે પ્રમાણ માં થઈ જાય તો તેનો એક ઘરગથ્થુ ઉપાય છે જે આજે અમે તમને જણાવીશું. આવું કરવાથી તમારા ભાંગનો નશો ઓછો થઈ જશે.

 સૌથી પહેલા તો ભાંગ ઉતારવા માટે ખટાશનું સેવન કરવું બેસ્ટ માનવામાં આવે છે. જેના માટે તમે લીંબુ, છાશ, દહીં કે આંબલીનો પના બનાવીને સેવન કરી શકો છો. જેથી તમે ભાંગનો નશો ઉતારી શકો છો.

ભાંગ પીધા બાદ વધારે નશો થવાથી વ્યક્તિ બેહોશીમાં હોય છે, તો સરસિયાનું તેલ હળવું નવશેકુ કરીને સંબંધિત વ્યક્તિના કાનમાં નાખો. આ ઉપાય કરવાથી તમને રાહત મળી શકે છે.

ઘણા લોકો ઘીના સેવનને પણ ભાંગનો નશો ઉતારવા માટે કરે છે જેના માટે શુદ્ધ દેશી ઘીનું વધારે પ્રમાણમાં સેવન કરવું ખૂબ જરૂરી છે. જેથી ભાંગનો નશો ઉતારવો સહેલું થશે.

તુવેરની કાચી દાળનો પ્રયોગ પણ ભાંગ ઉતારવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. જેના માટે તુવેરની કાચી દાળને પીસીને પાણીની સાથે સંબંધિત વ્યક્તિને આપો કે પછી તેને પાણી સાથે પીસીને પીવડાવો.

શેકેલા ચણા અને નારંગીનું સેવન ભાંગનો નશો ઓછો કરવા માટે એક બેસ્ટ વિકલ્પ છે. તે સિવાય ખાંડ કે મીઠા વગરનું લીંબુ પાણી 4-5 વખત પીવડાવવાથી પણ ભાંગનો નશો ઓછો થઇ જાય છે.

આ રીતે અલગ અલગ ઉપાયોનું સેવન કરી તેને અનુસરવાથી તમારા ભાંગ નો નશો દુર કરી શકો છો. જેમ બને તેમ ખટાશવાળી વસ્તુ નું સેવન કરવાથી લાભ જલ્દી મળશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment