આપણા જીવનમાં રંગોનું ઘણું મહત્વ હોઈ છે. દરેક રંગની એક અલગ જ વિશેષતા હોઈ છે. અને તે આપણા જીવનનમાં ઘણું મહત્વ ધરાવે છે, રંગો એ આપણે કેવું વિચારીએ છીએ, આપણો કાર્યવ્યવહાર કેવો છે એ બધું જ આપણા રંગ પર નિર્ભર છે. રંગો ઘણી વાર આપણી મનોદશા વ્યક્ત કરવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારી લાઈફમાં થોડી તકલીફ હોય અને તેમાંથી બહાર નીકળવા માંગતા હોવ તો, તમે જ્યાં રહો છો ત્યાંનો રંગ બદલીને જૂઓ. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે કયા રંગની શું વિશેષતા છે ?
કાળો
કાળો રંગ જોવામાં સારો લાગે છે પરંતુ સામાન્ય રીતે લોકો તેને રહસ્યવાદી, નિરાશાવાદી, રૂઢિવાદી લોકો પસંગ કરે છે. તેના અપવાદ પણ છે.
લાલ
લાલ રંગ ઉત્સાહનો રંગ છે અને સફળતાનો પણ. પરંતુ આજકાલ રંગનો અર્થ બદલાઈ ગયો છે. તેને ગુસ્સાના પ્રતિકના અર્થમાં લેવામાં આવે છે.
સફેદ
સફેદ રંગ દોસ્તી, શાંતિ અને સ્વતંત્રતાનું પ્રતિક છે. આ રંગ એકતા, સદ્ભાવ અને સમાનતાનું પ્રતિક છે.
લીલો
જેને લીલો રંગ પસંદ આવે છે તેના મન અને મગજ વચ્ચેનું સંતુલન ઘણું ઓછું હોય છે. આ લોકો કૂલ માઈન્ડેડ હોય છે અને પોતાના પરિવારને પ્રાથમિકતા આપે છે.
ભૂરો
ભૂરો રંગ વિશ્વાસ, ઈમાનદારી, શાંતિ અને ધૈર્યનું પ્રતિક છે. ભૂરો રંગ જેને પસંદ આવે છે તે ઘણાં દયાળુ સ્વભાવના હોય છે.
પીળો
પીળો રંગ પસંદ કરવાવાળા લોકો થોડાં ડરપોક હોય છે. તેવા લોકો થોડા નિરાશાવાદી હોય છે.
નારંગી
જેમને રોમાંચ પસંદ હોય છે તેમને આ રંગ ઘણો લોભાવે છે. આ રંગ પસંદ કરવાવાળા લોકો ઘણાં આશાવાદી હોય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team