દ્વારકા ગુજરાતમાં આવેલું પવિત્ર તીર્થ સ્થળ છે, તેની આસપાસ આવેલા પ્રાચીન તીર્થસ્થળો વિશે જાણીએ

સ્કંધ પુરાણ મુજબ દ્વારકા નગરીને ઐતિહાસિક રૂપે પ્રભાસ ક્ષેત્રનો જ એક ભાગ માનવમાં આવે છે. પ્રભાસ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે, દીપિત્વાન, જ્યોતિર્મય, પ્રકાશવાન એટલે જે પ્રકાશ ઉત્પન્ન કરે. પૂર્વ દિશામાં સોમનાથ સુધી ફેલાયેલા આ ક્ષેત્રમાં ઘણા નાના-મોટા પ્રાચીન તીર્થસ્થળ આવેલા છે જેને તમે દ્વારકા દર્શન વખતે સરળતાથી જોઈ શકો છો. ચાલો દ્વારકાની આજુબાજુના તે તીર્થ સ્થળો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ

Image Source

બેટ દ્વારકા:

દ્વારકાની આજુબાજુના તીર્થ સ્થળોમાં સૌથી વધારે પ્રસિદ્ધ સ્થળ છે, બેટ દ્વારકા. બેટ એટલે ગુજરાતી ભાષામાં દ્વીપ. ઓખા સમુદ્રકિનારે આવેલ બેટ દ્વારકા એક દ્વીપ છે જે મુખ્ય દ્વારકાથી લગભગ ૩૪ કિલોમીટરના અંતરે આવેલું છે. મુખ્ય દ્વારકા કિનારાથી આ દ્વીપ સુધી પહોંચવાનો હેતુ તમારે એક નૌકાયાત્રા કરવી પડશે. હું તમને જણાવવા માગું છું કે આ નૌકાયાત્રા પણ કંઈ ઓછી આનંદદાયક નથી.

ઘણા અલગ મંદિરોથી સુશોભિત બેટ દ્વારકાથી કૃષ્ણ સુદામા બેટ અને મીરાબાઈની સ્મૃતિઓ પણ જોડાયેલી છે. બેટ દ્વારકાના વિષય પર મે મારું એક બીજુ સંસ્મરણ વિસ્તારપૂર્વક લખ્યું છે. તેના વિશે મારું સંસ્મરણ બેટ દ્વારકા વાચો.

મૂળ દ્વારકા:

Image Source

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે તેમના યદુવંશી પરિવારજનો સાથે દ્વારકા આવ્યા હતા ત્યારે તેમણે પહેલો પડાવ મૂળ દ્વારકામાં જ નાખ્યો હતો. પોરબંદરની નજીક વિસાવાડા માં આવેલુ તે સ્થળ દ્વારકાથી લગભગ 76 કિલોમીટર દૂર છે.

અહી તમને એક નાનું મંદિર પરિસર જોવા મળશે. આ પરિસરમાં ભગવાન શિવને સમર્પિત ઘણા મંદિર છે જેમાં મુખ્ય છે, નીલકંઠ મહાદેવ મંદિર અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ રણછોડરાયના નામે પણ ઓળખવામાં આવે છે. આજ રણછોડરાયનું એક મંદિર તમે અહીં પણ જોઈ શકો છો. આ મંદિરની વિશેષતા ઓએ મને આકર્ષિત કર્યો હતો, તે હતી તેની નાગર શૈલી અંતર્ગત પંચરત્ન ઉપશૈલીની વાસ્તુકળા. મંદિરની પાસે ભક્તોને બેસવા યોગ્ય સ્થાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મને મૂળ દ્વારકા અત્યંત નાનું પરિસર હોવા છતાં પણ અત્યંત શાંત મંદિરોનો સમૂહ લાગ્યો.

Image Source

મૂળ દ્વારકાની એક અનોખી વિશેષતા છે, ૧૩ મી સદીમાં બની બાવડી, જ્ઞાનવ્યાપી. તેનું નામ સાંભળીને તમારામાંથી ઘણા લોકોને વારાણસીના જ્ઞાન વાપી કુવાની યાદ આવી ગઈ હશે. મૂળ દ્વારકાની આ બાવડીની ચારે બાજુ છાવણીઓ બનેલી છે. બાવડી તરફ જતા ગલિયારેની પાંખ પર મને બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્ય દેવની મૂર્તિઓ જોવા મળી. ઉપર આવેલ મંડપને વાવ એટલે બાવડીના પાણીને ઠંડુ રાખી શકાય છે.

Image source

બાવડી જોઈને મનમાં એક ઉમંગ આવી ગયો કે આ બાવડીની સ્વચ્છતા અને જાળવણી કરવી જોઈએ.

એક જાણકારી તમને જરૂર આપી દઉં કે સોમનાથની નજીક પણ એક મૂળ દ્વારકા છે. મારી દ્રષ્ટિએ એમ ધારી શકીએ કે આ હજારો વર્ષોમાં આ તટીય ક્ષેત્રના ભૂગર્ભમાં ઘણા ફેરફારો થયા હશે જેના પરિણામે મૂળ દ્વારકા એ તેનું સ્થાન બદલ્યું હોવું જોઇએ. સિક્કાની બીજી બાજુ જોતા એવું માની શકાય કે ભક્તોએ તે બધા સ્થળો પર મૂળ દ્વારકાની સ્થાપના કરી હશે જ્યાં જ્યાં વ્રજભૂમિથી આવતા શ્રીકૃષ્ણ એ પડાવ નાખ્યો હતો.

નાગેશ્વર જ્યોતિર્લિંગ:

Image Source

ભારત દેશના ૧૨ જ્યોતિર્લિંગ માંથી એક, આ નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાથી લગભગ ૧૬ કિલોમીટરના અંતરે આવેલું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ નામ સાથે જ એક જ્યોતિર્લિંગ ઉત્તરાખંડના જાગેશ્વર ધામમાં પણ છે. તેમાં કયું નાગેશ્વર જ્યોતિર્લિંગ વાસ્તવિક છે,એ હું કોઈ તીવ્રતા સાથે કહી શકતી નથી. જોકે મે બંનેના દર્શન કર્યા હોવાથી, શાંતિ માટે ને જ્યોતિર્લિંગની સુચિમાંથી તેનું નામ લીધું છે.

ટી – સીરીઝના ગુલશન કુમાર દ્વારા નિર્મિત આ નાનકડું મંદિર અપેક્ષાકૃત નવું છે. મૂળ પ્રાચીન મંદિર કદાચ ખૂબ નાનુ હશે. લાલ રંગમાં રંગાયેલ આ સાદા મંદિરને એક બાજુ એક પ્રાચીન કુંડ છે જે તે સમયે કાચબાઓથી ભરેલું હતું. જોકે કુંડના પાણી સુધી પહોંચવા માટે પ્રાચીન પગલાંઓ દેખાયા હતા.

પરંતુ તેને જોઈને લાગ્યું કે ઘણા સમયથી તેનો ઉપયોગ થયો નથી. મંદિરની નજીક એક જૂનું વૃક્ષ છે. આ વૃક્ષે લગભગ પ્રાચીન મંદિરને પણ છત્રછાયા પ્રદાન કરી હશે. આ મંદિરની પરિક્રમા કરતી વખતે મને એક અદ્ભુત ઊર્જા નો અનુભવ થયો.

Image Source

મંદિરની બહાર ભગવાન શિવની બેસેલી મુદ્રામાં એક વિશાળ મૂર્તિ છે. આ પેહલા મે તેવી વિશાળ શિવની મૂર્તિ સિક્કિમ રાજ્યના નમચી વિસ્તારમાં આવેલા ચારધામમાં જોઈ હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગની બહાર આવેલી શિવની આ વિશાળ મૂર્તિ યાત્રીઓને મંત્રમુગ્ધ કરે છે કારણ કે મંદિરની અંદર ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ હોવાને લીધે ઘણીવાર આ વિશાળ મૂર્તિની સામે ફોટા પાડીને તેમની મનોકામના પૂર્ણ કરે છે.

ગોપી તળાવ:

Image Source

નાગેશ્વર જ્યોતિર્લિંગથી ૫ કિલોમીટર અંતરે આવેલા આ નાના તળાવ સાથે ઘણી પ્રસિદ્ધ દંતકથાઓ જોડાયેલ છે.

એક દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે વૃંદાવન છોડીને દ્વારકા આવ્યા હતા, તેના ભ્રમમાં બંધાયેલી ગોપીઓ તેનો પીછો કરવા લાગી હતી. કેહવામાં આવે છે કે અહીં જ તેઓ કૃષ્ણને મળી અને તેમનામાં ભળી ગઈ. આ તળાવની માટી તેમને ગોપીઓનું પ્રતિનિધિત્વ કરાવે છે. તેથી આ તળાવની આજુબાજુની પીળી માટી ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર પીળી માટી તમે ગોપી તળાવની ચારે બાજુ ક્યાંય પણ અને દ્વારકાથી પણ ખરીદી શકો છો.

બીજી દંતકથા મુજબ આ તેજ સ્થળ છે, જ્યાં અર્જુનના ગર્વ ને કચડી નાખ્યો હતો. દંતકથાઓ મુજબ જ્યારે કૃષ્ણએ પોતાનું શરીર છોડવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે અર્જુનને તેમની રાણીઓ અને બાળકોનું રક્ષણ કરવાનો આગ્રહ કર્યો હતો. દુર્ભાગ્યે રાણીઓ અને બાળકો પર કાબા નામના એક સ્થાનિક જાતિના સભ્યોએ હુમલો કર્યો હતો. ઘણી રાણીઓએ પોતાના રક્ષણ માટે આ તળાવમાં કૂદીને જીવ આપ્યો હતો. અર્જુને તેમના પરાક્રમ અને ગાંડીવ હેઠળ આક્રમણકારો પર હુમલો કર્યો , પરંતુ તેઓ તેમને નિયંત્રિત કરી શક્યા નહીં. મને ગોપી તળાવની ભિતો પર આ કથા સબંધિત ઘણા કોતરણીય શ્લોકો પણ જોવા મળ્યા.

આ તળાવમાં મે જ્યારે દર્શન કર્યા ત્યારે તળાવ પૂર્ણ રૂપે સુકાયેલ હતું. કેટલાક સ્થાનિક લોકોએ મને જણાવ્યું કે ક્યારેક ૩-૪ વર્ષમાં અપૂરતો વરસાદ એ તેનું મુખ્ય કારણ છે. ગોપી તળાવ પર તમે ઘણા વિશાળ પથ્થર તરતા જોઈ શકો છો. દ્વારકામાં પણ દરેક જગ્યાએ આ પથ્થરો જોઈ શકો છો.

ગોપી તળાવમાં રુક્મિણી અને ગોપીનાથ મંદિર ઉપરાંત વધારે કઈ જોવાલાયક યોગ્ય ન મળ્યું. તે બીજી બાબત કે આ સ્થળ ભક્તોના પ્રસિદ્ધ તીર્થસ્થાન, દ્વારકાધીશ મંદિર, રુક્મિણી મંદિર, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ નું છે.

સુવર્ણ તીર્થ:

Image Source

દ્વારકા અને મીઠાપુરની વચ્ચે આવેલુ સુવર્ણ તીર્થ પણ મંદિરોનો એક સમૂહ છે. મુખ્ય મંદિર સૂર્ય દેવતાને સમર્પિત છે. જગન્નાથ રૂપી ભગવાન વિષ્ણુનું પણ એક મંદિર આ સમૂહમાં શામેલ છે.

અહી ઉપસ્થિત પુજારીએ મને જણાવ્યું કે મૂળ પ્રાચીન મંદિર હાલના મંદિરના એક ખૂણામાં સ્થાપિત થયેલ છે. સૂર્યદેવની મૂળ મૂર્તિને અગ્રેજો ઈ.સ. ૧૯૨૦માં અહીથી કાઢીને લઈ ગયા હતા. હાલમાં સ્થાપેલી સૂર્ય ભગવાનની મૂર્તિ મને પ્રમાણમાં નવી અને આધુનિક શૈલીમાં બનાવવામાં આવી હોય તેવું લાગ્યું. ખુલ્લા આંગણામા મે એક શ્રી ચક્ર પણ જોયું.

સુવર્ણ તીર્થ સામે એક સુકુ તળાવ છે જે કોઈ સમયે વિશાળ તળાવ રહ્યું હશે.

મીઠાપુર:

Image Source

મીઠાપુર બીજું કંઈ નહીં, પરંતુ ટાટા કેમિકલ્સ કારખાનાની ચારે બાજુ વસેલું શહેર છે. આ કારખાનામાં મૂખ્યરૂપે મીઠાનું ઉત્પાદન થાય છે. આમતો કારખાનાની અંદર જવાની પરવાનગી યાત્રીઓને નથી,તેમ છતાં પણ મીઠાપુર શહેર જોઈને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો. ચારે બાજુ મીઠાના ઢગલાં જ પડેલા છે.

ચારે બાજુ ફેલાયેલા મીઠાના ઢગલાં રંગીન છાંટાઓ ફેલાઇ છે. આ ઢગલાં પર ઘણા પ્રકારના પક્ષીઓને પણ ફરતા જોયા. કદાચ તેઓ પોતાના પોષણમાં મીઠાની ઉણપને પૂર્ણ કરવા માટે અહી આવે છે.

દ્વારકાની આજુબાજુ બીજા મંદિર અને ફરવા લાયક સ્થળો:

ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર જ્યાંથી અર્જુને સુભદ્રાની હત્યા કરી હતી. તે એક અત્યંત નાનુ રંગબેરંગી મંદિર છે જેની વચ્ચે શિવલિંગ સ્થાપિત છે. મૂળ પ્રાચીન મંદિર આજ મંદિર પરિસરમાં ક્યાંય હતું. તેની નજીક એક ગુફા પણ હતી જ્યાં સખત રીતે અર્જુને તપસ્યા કરી હતી.

કેહવામા આવે છે કે અહી નજીક જ એક કુંડ હતો જ્યાં અર્જુને સુભદ્રા સાથે લગ્ન થયા હતા. ઈન્દ્રેશ્વર મંદિર પર એક સૌમ્ય સ્ત્રીએ અમને ત્યાં પહોંચવાનો રસ્તો પણ બતાવ્યો હતો, પરંતુ અમે તેને શોધી શક્યા નહીં.

ઋણ મુક્તેશ્વર મહાદેવ જ્યાની માન્યતા છે કે મનુષ્ય તેમના સર્વ ઋણો ની મુક્તિ મેળવી શકે છે. જેમકે નામથી ઓળખાય છે, તે એક શિવ મંદિર છે જેની ચારે બાજુ ઘણા નાના નાના પ્રાચીન મંદિર છે.

પિંડારકા જ્યાં ઋષિ દુર્વાસાનું ગુરુકુળ હતું. મારી આ યાત્રામાં હું આ મંદિરના દર્શન કરી શક્યો નથી. આશા છે ભવિષ્યમાં તે અવસર પ્રાપ્ત થાય.

ચરણ ગંગા જ્યાંરે દુર્વાસા ઋષિને દ્વારકા લઈ જતી વખતે કૃષ્ણએ રુક્મિણી માટે જલ સ્ત્રોત ઉત્પન્ન કર્યો હતો.

મારું હંમેશા એવું માનવું છે કે ભારત આપણને આશ્ચર્યચકિત કરવામાં ક્યારેય નિષ્ફળ થયું નથી.

ખાસ નોંધ : અમે ઉપરોક્ત દરેક માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો “ફક્તગુજરાતી” અને “ફક્તફૂડ” આની  પુષ્ટિ નથી કરતી. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment