આપણા બધાને ક્યારેક તો શિયાળામાં નાક સૂકાઈ જ ગયું હશે.ઘણા લોકો ને તેના થી ખૂબ જ તકલીફ થાય છે. આ સમસ્યા ને દૂર કરવા માટે અહીં કેટલાક ઉપાય આપ્યા છે જે તમે જાણી શકો છો.
શિયાળામાં ઠંડા પવનથી શરદી અને તાવ ઉપરાંત અનેક રોગો થઈ શકે છે. શિયાળામાં એવા ઘણા લોકો છે જેમને આખી રુતુમાં શરદી રહે છે અને તેમના નાક હંમેશા ભરેલા અથવા વહેતા રહે છે. આ સિવાય તાવ, ખાંસી, માંસપેશીઓમાં દુખાવો જેવી બીજી કેટલી સમસ્યાઓ પણ થાય છે.
નાક હંમેશાં ભરાયેલુ હોવાને કારણે તેને રૂમાલથી સાફ રાખવુ એ ક્યારેક તમને અસહજ લાગે છે. આ સિવાય સુકા નાકને લીધે લોકોને ખંજવાળ, લાલાશ અને બળતરા પણ થાય છે.
સુકુ નાક હાનિકારક હોઈ શકે છે.
ચાલો આપણે તમને જણાવી દઈએ કે શુષ્ક નાક સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો ઉભા કરી શકે છે. જેના કારણે, સાઇનસની સમસ્યાઓ અથવા માથાના દુખાવા જેવી સમસ્યાઓ થવાની સંભાવના થાય છે. એટલું જ નહીં, શ્વસન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને ઉનાળામાં જોવા મળે છે. જો કે, અહીં અમે તમને કેટલીક આવી ઘરેલું અને સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ જે શિયાળાની ઋતુ માં ઠંડી ને દૂર કરી શકે છે. તેને દૂર કરવાની રીતો જાણો.
સ્ટીમ લેવું
સ્ટીમ લેવાથી શુષ્ક નાકને રાહત મળી શકે છે. વરાળ(સ્ટીમ) માટે તમે સ્ટીમરથી વરાળ લઈ શકો છો અથવા તમે મોટા વાસણમાં પાણી ગરમ કરીને વરાળ લઈ શકો છો. વરાળ લેતા પહેલા, માથાને ટુવાલ થી ઢાંકી દો અને જ્યાં સુધી સહન કરવામાં આવે ત્યાં સુધી વરાળ ને સહન કરો.
નેજલ સ્પ્રે
જો તમે સુકા નાકની સમસ્યાથી પરેશાન છો, તો નેજલ સ્પ્રે તમારા માટે ઘણું સારું હોઈ શકે છે. તેનો ઉપયોગ નાક ના માર્ગ ને ભીના કરવા માટે થાય છે, પરંતુ તેનો વધુપડતો ઉપયોગ ન કરવો. જો તમે વધારે ઉપયોગ કરો છો, તો પછી નાક સૂકવવા લાગશે અને મ્યુકસ મેમ્બ્રેન ને નુકસાન પહોંચાડી શકે છે.
બદામનું તેલ
બદામનું તેલ નાક ની શુષ્કતા ને દૂર કરવા માટે નો એક ઉત્તમ ઉપાય છે. જો કે ફક્ત બદામનું તેલ લગાવીને આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે, પરંતુ એલોવેરા જેલ ને મિક્સ કરવાથી તે વધુ સારું કામ કરે છે. નાકની શુષ્કતા ને દૂર કરવા માટે, રુ ના મદદ થી આ બંનેનું મિશ્રણ તમારા નાક ની અંદર નાંખો.
વધુ પાણી પીવું
સુકા નાકની સમસ્યાઓ ઘણીવાર પાણીના અભાવથી પણ થાય છે. ગરમીને લીધે શરીરમાં પાણીનો અભાવ હંમેશાં રહે છે, જેના કારણે નાકમાં શુષ્કતા આવે છે. આવી સ્થિતિમાં પાણી પીવું ખૂબ જરુરી છે. પુષ્કળ પાણી પીવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. તમે આ સીઝનમાં હુંફાળું પાણી પી શકો છો.
નાળિયેર તેલ
નાળિયેર તેલ થી થતાં ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ. નાકમાં નાળિયેર તેલ લગાવવાથી શુષ્કતા દૂર થાય છે અને કોષો વચ્ચેનુ અંતર ભરીને દુખાવો દૂર કરવામાં મદદ કરેછે. પરંતુ યાદ રાખો બીજા કોઈ ઉપાયની જેમ તેનો વધુપડતો ઉપયોગ ન કરો. નાળિયેર તેલ ના થોડા ટીપાં સુકા નાક માં નાખવા થી રાહત મળે છે.
વિટામિન ઇ તેલ
નાળિયેર તેલની જેમ વિટામિન ઇ તેલ પણ મળે છે જે નાક ની શુષ્કતા માટે ખૂબ જ ઉપયોગી છે. બજારમાં વિટામિન ઇ તેલ ની કેપ્સ્યુલ્સ પણ મળે છે. તમે તેનો ઉપયોગ તમારા નાકની આસપાસ અને નાક પર પણ કરી શકો છો. તમે ત્વચા પર ઉપયોગ કરતા પહેલા તમારે ત્વચા વિશેષજ્ઞ ની સલાહ લેવી.
પેટ્રોલિયમ જેલી
પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ શિયાળાની ઋતુ માં થાય છે. ત્વચાને મોઇશ્ચરાઇજ રાખવા અને પોષણ આપવામાં પણ મદદ કરે છે. તમારા નાક ની શુષ્ક ત્વચાને ભેજયુક્ત અને હાઇડ્રેટ કરવા માંટે ની આ એક શ્રેષ્ઠ રીત છે. તમારી આંગળીઓનો ઉપયોગ કરીને તમારા નાકમાં પેટ્રોલિયમ જેલી લગાવો. જો કે, તેનો વધુ પડતો ઉપયોગ ન કરવો. તેને રોજ ન લગાવો, ફક્ત નાકની સૂકી સમસ્યા દરમિયાન જ તેનો ઉપયોગ કરો. રોજ બરોજ ના ઉપયોગ થી તમારા ફેફસાં માટે ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે.
ભીના વાઇપ્સ
આ દિવસોમાં લોકો નાહવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતાં હોય છે. આ કિસ્સામાં, જો તમને શુષ્ક નાકની સમસ્યા હોય, તો પછી તમે ગરમ પાણીમાં પલાળેલા બેબી વાઇપ્સનો ઉપયોગ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. ગરમ પાણીના ભીના વાઇપ્સથી નાક સાફ કરો. ભીના વાઇપ્સ માર્કેટમાં અને ઓનલાઇન સરળતાથી મળી શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team