પેટમાં દુખાવો થવો એટલે અત્યારના સમયમાં સામાન્ય કહી શકાય કે દરેક વ્યક્તિ એક બિંદુ ઉપર એને અનુભવ કરતો હોય છે,ઘણા બધા કારણો છે કે જેનાથી તમારા પેટમાં દુખાવો થઈ શકે,ઘણીવાર પેટના દુખવાના કારણ એટલા ગંભીર નથી હોતા, દુખાવા ના લક્ષણો ઘણીવાર ફટાફટ નીકળી જતાં હોય છે.પેટના દુખાવાને દૂર કરવા માટે તમરે રસોડા ની આગળ જવાની જરુર નથી.
૧. બિટ્સ અને સોડા
આના ઉપયોગ થી ઘણી રાહત મળે છે પણ ઘણીવાર લોકો કોકટેલ બિટ્સ ના પાંચ કે છ ટીપાં ને ટોનિક,ક્લબ સોડા કે આદું ની અંદર ભેગા કરે છે.વધારે પડતાં બ્રાન્ડ માં દાલચીની,વરિયાળી,ફૂદીનો, આદું જેવી જડીબુટ્ટીઓનું મિશ્રણ જોવા મળે છે.
૨. આદું
પ્રાચીન કાળ થી લોકો એ આદું ને ઈલાજ ના રૂપ માં બદલી નાખ્યું છે,આદું એ પેટના ઘણા પ્રકારો ના દુખાવા માટે પ્રભાવી ઉપચાર છે,આદું ના રસ ને પ્રાકૃતિક રૂપે થી લઈ શકાય છે.
આદું ચાવવું એ સરળ છે પણ ઘણા લોકો એને પ્રવાહી રૂપ માં પણ લેતા હોય છે,પ્રકૃતિક રીતે આદું નો ઉપયોગ કરો નહીં તો એની જળો કાપી ને એની ચા બનાવીને પી શકો છો.આદું નો રસ તમને પેટમાં થતાં દુખાવા માં ઘણી રીતે આરામ આપી શકે એમ છે તેથી તેનું જરુર થી સેવન કરવું જોઈએ.
૩. ક્રેમોમાઇલ ચા
કેમોમાઇલ ચા નો એક કપ એક વિરોધી તત્વ ના રૂપમાં કામ કરીને પેટના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.આ વિરોધી તત્વ ગુણ તમારા પેટની માસપેશીઓને આરામ આપવામાં મદદ કરે છે.
૪. બ્રટ આહાર
પેટ ના દુખાવા ને શાંત કરવા માટે કેળાં,ચોખા,સફરજન વિશે જાણીએ છે આ ઝાડા માટે મદદ કરી શકે છે,બરાત માં ઓછું ફાઈબર હોય છે. આમાં થી કોઈપણ ખાધ પદાર્થ માં મીઠું કે મસાલા હોતા નથી.જે લક્ષણો ને વધારી શકે છે,જ્યારે તમે પોતાને બીમાર મહેસૂસ કરો છો તો પણ તમારે કઈ ને કઈ ખાવું પડે છે,તો આ નિરામિષ આહાર છે,ટોસ્ટ ને ઓવેરકૂક કરવાની કોશિશ કરો.
૫. ફુદીના
ફુદીના ને પેટના રોગ ના રામબાણ ઈલાજ માટે મહત્વનો માનવામાં આવે છે,કેમ કે આના પાંદડાઓમાં મેંથોલ એક પ્રકૃતિક દર્દ નિવારક છે.ફુદીનાને તમે ગરમ પાણી માં ઉકાળીને તેના રસનું સેવન કરી શકો છો,ફૂદીનો પોતાના સ્વભાવ પ્રમાણે શરીર માં, પેટમાં ઠંડક આપવાનું કામ કરે છે.
૬. એપ્પલ સાઇડર વિનેગર
પેટના દુખાવા ને દૂર કરવા માટે આ એપ્પલ સાઇડર વિનેગર એક કપ પાણી સાથે એક ચમચી મધ મેળવીને ધીરે ધીરે પીવો.સફરજન સાઈડર વિનેગર માં એસિડ સ્ટાર્ચ પાચન કરવામાં મદદરૂપ થાય છે, છે.જેનાથી સ્ટાર્ચ આતરડા સુધી આરામ થી પહોચી શકે છે,અને બેક્ટેરિયા ને આતરડામાં સ્વસ્થ રાખે છે ઘણા લોકો રોજ નિવારક ઉપાય ના રૂપ માં રોજ એક ચમચી લેતા હોય છે.
૭. હીટિંગ પેડ
જ્યારે તમે પોતાને બીમાર મહેસૂસ કરી રહ્યા છો,તો તમારે તે વખતે એક હીટિંગ પેડ અને એક ગરમ પાણી ની બોટલ ની જરૂર પડી શકે છે,તમારા પેટની ગરમી તમને ગમે ત્યારે વિચલિત કરી શકે એમ છે,અને ગરમી તમારી માંસપેશીઓને આરામ આપવાનું કામ કરી શકે છે,પરંતુ આ પ્રયોગ તમારે તમારા શરીર સાથે વધુ ના કરવો જોઈએ કારણ કે આનો અતિ પ્રયોગ નુકશાન પહોચાડી શકે છે.
ડોક્ટરને ક્યારે બતાવવા જવું
પેટની સમસ્યા ઘણીવાર વધારે ગંભીર સમસ્યાઓનો સંકેત આપતી હોય છે. લાંબા સમય સુધી ઉલ્ટી તમને નિર્જીલીકરણ માટે જોખમ માં મૂકી દે છે ,જો તમને ૬ કલાક થી વધુ પાણી રાખવામા તકલીફ થતી હોય તો તમે ડોક્ટર નો સંપર્ક કરી શકો છો.૪૮ ક્લાક થી વધુ પેટના દુખાવા ઉપર તમારે તમારા ડોક્ટરને સત્વરે ફોન કરી દેવો જોઈએ,તમને એવું લાગે કે અમુક વસ્તુ ખાધા પછી પેટની ગતિવિધિઓ બદલાયેલી જોવા મળે છે ને સતત પેટમાં દુખાવો થઈ રહ્યો છે,તો પોતાની આગળની યાત્રા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લો.ત્વરિત ડોક્ટરની સલાહ લેવાથી એક ખોરાક એલર્જી થી કે આની ચિંતાઓથી બચી શકાય છે.
આમ પેટના દુખાવાને ઘણીવાર સામાન્ય ના ગણતાં તેને ગંભીર લઈ રસોડા ની અંદર ના પ્રયોગ કરવાથી જ તમે સામાન્ય દુખાવા થી બચી શકો એમ છો,પરંતુ અતિ ગંભીર પેટના દુખાવા માટે તમારે ડોક્ટરની સલાહ લેવી અતિ આવસ્યક છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team