શું તમે પણ સ્ટીલ અથવા પ્લાસ્ટિકના વાસણમાં દહીં જમાવો છો? તો થોભી જાવ,માટીની હાંડીમાં જમાવો દહીં, થઇ જશે ‘અમૃત’

Image Source

માટીની હાંડી કે પછી માટીના વાસણમાં દહીં જમાવવા ના ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભ છે,અને આ વાસણમાં બનાવવામાં આવતા દહીં નો સ્વાદ એકદમ અલગ જ હોય છે પરંતુ ઘણા એવા નેચરલ મિનરલ્સ પણ આપણને તેમાંથી મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

તમે દહીં હાંડી વિશે તો સાંભળ્યું જ હશે તે જન્માષ્ટમી ઉત્સવ નો એક પ્રમુખ અને મુખ્ય હિસ્સો છે જે ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને કાર્યોને દર્શાવે છે. અને આ અવસર પર માટીનું વાસણ અથવા ઠંડીમાં માખણ ભરેલું હોય છે જે લગભગ ૩૦ ફૂટની ઊંચાઈ પર લટકાવવામાં આવે છે. ચાલો આ તો વાત થઈ દહીંહાંડી ના ઉત્સવની,પરંતુ તો શું તમને ખબર છે કે હાંડીમાં જો દહીં બનાવવામાં આવે તો તેનો સ્વાદ તદ્દન અલગ થઈ જાય છે.

 શરૂઆતથી જ રહીને માટીના વાસણમાં જમાવવાની પરંપરા રહી છે પરંતુ આજકાલ લોકો પ્લાસ્ટિક અથવા તો તેમના વાસણમાં દહીં જમાવવા લાગ્યા છે. પરંતુ લોકો તે જાણતા નથી કે આ વાસણમાં દહીં જમાવવું હાનિકારક છે તેમાંથી આપણને યોગ્ય ગુણવત્તાનો દહીં મળતું નથી અને તે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે તો આવો અમે તમને જણાવીએ છીએ કે દહીં હંમેશા માટે નાના વાસણમાં અથવા તો હાંડીમાં જ કેમ જમાવવું જોઈએ.

Image Source

આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમનો ભંડાર

માટીના વાસણ માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે માટીમાં ઘણા બધા નેચરલ મિનરલ જોવા મળે છે. જો વાસણ બનાવવા માટે ઉપયોગમાં લીધેલી માટી ની સંરચના યોગ્ય છે તો તેમાં તમને પ્રાકૃતિક રૂપથી આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ સલ્ફર અને અન્ય કાર્બનિક પદાર્થ સારી માત્રામાં મળે છે એવામાં જ્યારે તમે હાંડી અથવા તો માટીના વાસણમાં દહીં જમાવો છો તો પોષક તત્વો નો સ્વાદ પણ ખૂબ વધી જાય છે અને તેનું કોમ્બિનેશન તમને દહીમાં જરૂરથી જોવા મળશે.

Image Source

ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે હાંડી નું દહીં

તમે જોયું જ હશે કે જ્યારે તમે ચા અથવા તો પાણી માટીના વાસણમાં પીવો છો તો તેનું ફ્લેવર ખૂબ જ સારો થઈ જાય છે,અને તેનો સ્વાદ આપણને ખૂબ જ સારો લાગે છે આસ્વાદ આપણને માટીના વાસણને લીધે મળે છે. દેવ સંજીવ કપુરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાત શેર કરી છે કે દહીં નો સ્વાદ કેટલો અલગ હોઈ શકે છે તે જાણવા માટે માટીના વાસણમાં દહીં જમાવો.

Image Source

એકદમ ગાઢું જામે છે દહીં

આપણને નહીં જ્યાં સુધી અડધું ન દેખાય ત્યાં સુધી દહીં ખાવામાં મજા આવતી નથી અને આ ગાઢું દહીં આપણને માટીના વાસણમાં જ જોવા મળે છે ખરેખર તો માટીના વાસણમાં નાના નાના કાણા હોય છે જેમાં દહીમાં ઉપસ્થિત પાણી માટીના વાસણમાં શોષી લે છે. તેથી જ માટીના વાસણમાં દહીં ખૂબ જ સરસ જામે છે કોઈપણ ગ્લાસ અથવા સ્ટીલના વાસણમાં પાણી અંદર જ રહે છે જેનાથી દહી ગાઢ થવાની જગ્યાએ પાતળું થઈ જાય છે અને તેને ખાવામાં પણ એટલો સ્વાદ આવતો નથી.

Image Source

તાપમાન યોગ્ય રાખવામાં મદદ કરે

 દહી જમાવવા માટે આપણે તેને એક નિશ્ચિત તાપમાન પર રાખવું ખૂબ જ જરૂરી છે માટીનું વાસણ એક સામાન્ય તાપમાને બનાવી રાખવામાં મદદ કરે છે તેથી અન્ય કોઈપણ વાસણમાં દહીં જમાવતી વખતે તાપમાનમાં નબળી થઈ શકે છે અને દહીંમા ખટાશ ખૂબ જલ્દી પકડાઈ જાય છે પરંતુ હાંડી ના વાસણ માં બનાવેલું દહીં ક્યારેય ખાટું થતું નથી.

Image Source

આલ્કલાઇન પ્રકૃતિ

દૂધ ઉત્પાદન અને દહીં અલ્કાલાઈન પ્રકૃતિના હોય છે પરંતુ જ્યારે તમે દહીં માટીના વાસણમાં જમાવો છો, તો અમ્લતા તમારી સંતુલિત થઈ જાય છે અને તેનાથી દહીં ઓછું ખાટુ અને મલાઈદાર બને છે.

જો તમે પણ એવા લોકો માંથી છો જે સ્ટીલ અથવા પ્લાસ્ટિકના વાસણમાં દહીં જમાવે છે તો આજથી જ તમારી આદત માં સુધારો લાવો અને હાંડીમાં દહીં જમાવવાનું શરૂ કરો. આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માટીના વાસણમાં દહીં જમાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment