મંગળવારે કરો આ સરળ ઉપાય, આર્થિક સંકટ થશે દુર

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોઈ છે, જ્યોતિષ મુજબ મંગળવાર ના દિવસે અમુક અચૂક ઉપાય કરવાથી શાની દોષ, મંગળ ગ્રહ, તથા આર્થિક સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ દિવસે હનુમાનજી ની પૂજા આરાધના અને ઉપાસના કરવામાં આવે છે, જેનાથી હનુમાનજી ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને માણસને બધા જ કષ્ટોથી મુક્તિ પણ મળે છે. તે સિવાય તમને ધન પ્રાપ્તિ અને અન્ય સમસ્યાઓ નું સમાધાન પણ મંગળવાર ના દિવસે વિશેષ ઉપાય કરવાથી મળે છે. આવો જાણીએ આ ઉપાયો વિષે …

હનુમાનજીને રામજીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. એટલા માટે તમે દર મંગળવરે હનુમાનજીની પૂજા કરો અને પૂજા કર્યા પછી રામજીને જરૂર યાદ કરો. હનુમાનજી સાથે સાથે રામજીની પૂજા કરવાથી હનુમાનજી ખુશ થઇ જાય છે અને તમને તમામ સંકટ માંથી બહાર કાઢી દે છે.

મંગળવારના દિવસે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવો.

આ સાથે જ મંગળવારના દિવસે હનુમાનજીને બીડાનું પાન અને તેની સાથે જ લાલ રંગનું ફૂલ ચડાવો.

ત્યાં જ બીજી બાજુ મંગળ દોષને દૂર કરવા, મંગળવારના દિવસે હનુમાનની પૂજા અર્ચના કરો અને તેમનું ધ્યાન કરવાથી દોષ દૂર થશે.

બજરંગબલીને પ્રસન્ન કરવા માટે 108 વાર નીચે આપેલા મંત્રનો જાપ કરો. જેમાંથી કોઈ પણ એક મંત્રની માળા તમે દર મંગળવારે જપી શકો છો.

મંત્ર-

ઓમ શ્રી હનુમાનતે નમઃ’ અથવા ‘રામદુતાયે નમઃ’,

બની શકે તો મંગળવારે લાલ કલરના વસ્ત્રો પહેરવા જોઈએ,અને જો એવું ના બની શકે તો લાલ કપડું હંમેશા તમારી સાથે રાખવું.

ઘરથી બહાર નીકળતા પહેલા મધ ખાઈને જ બહાર નીકળવું.

મંગળવારના દિવસે કાંટા, છરી, કાતર, નેઇલ કટર અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓ ના ખરીદવી, નુકસાન થઈ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment