પપ્પા બનતા પહેલા ડરી રહ્યો છે વિરાટ, ઘરમાં આ વસ્તુઓ બિલકુલ નહી રાખે😳❌

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી લગ્ન બાદ પણ ફેન્સની વચ્ચે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ વિરાટે અનુષ્કાને ઓફ ફિલ્ડ કેપ્ટન ગણાવી હતી. વિરાટે એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, અનુષ્કાના તેના જીવનમાં આવ્યા છે સકારાત્મક બદલાવ થયા છે. વિરાટે ઈંટરવ્યૂમાં પ્રથમવાર ફેમિલી પ્લાનિંગ અંગે ચર્ચા કરી. વિરાટે જણાવ્યું કે પિતા બન્યા બાદ એવી કઈ વસ્તુનો ડર છે, જેને તે પિતા બન્યા બાદ ઘરમાંથી હટાવી લેશે.

”મારો પરિવાર મારા સમયનો હકદાર”


એક ઈંટરવ્યૂમાં વિરાટે કહ્યું કે, “અનુષ્કા ખૂબ ધાર્મિક છે. તેની સાથે રહીને મારી અંદર પણ ઘણાં ફેરફાર થયા છે. હું પહેલાં કરતાં વધારે શાંત થઈ ગયો છું. હું જાણું છું કે આજે હું જ્યાં પણ છું એ તમામ વસ્તુ જિંદગીમાં હંમેશા મારી સાથે નહીં રહે. મારો પરિવાર મારા સમયનો હકદાર છે.”

બાળકો અંગે કહ્યું કે…

વિરાટે જણાવ્યું કે, “હું ઈચ્છું છું કે જ્યારે મારા બાળકો મોટા થાય ત્યારે હું ઘરમાં ઘણી વસ્તુઓ બદલી નાખું. હું નથી ઈચ્છતો કે જ્યારે મારા બાળકો મોટા થાય ત્યારે મને મળેલી સિદ્ધિઓ સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ રાખું. મને મળેલી ટ્રોફી તે વખતે મારા ઘરમાં ન હોવી જોઈએ. એવી બધી જ વસ્તુઓ હટાવી દેવા માંગું છું જે મારા કરિયરને ફ્લેશ કરે.”

અનુષ્કા છે કેપ્ટન


તાજેતરમાં જ કોહલીએ અનુષ્કાનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને ખુશી વ્યક્ત કરી હતી. વિરાટે કહ્યું હતું કે, “અનુષ્કા દેશમાં હોય કે વિદેશમાં તે મેચ જરૂર જોવે છે. અનુષ્કા મેદાનમાં પ્લેયર્સની ભાવનાઓને બરાબર સમજે છે.” વિરાટને જ્યારે પૂછવામાં આવ્યું કે ઓફ ફિલ્ડ કેપ્ટન કોણ છે, તો થોડીવાર ચૂપ રહ્યા બાદ જવાબ આપ્યો કે, “અનુષ્કા. તે હંમેશા સકારાત્મક વિચારે છે. તેણે કરેલા નિર્ણયો સાચા હોય છે. એટલે જ ઓફ ફિલ્ડ તે મારી કેપ્ટન છે.”

અનુષ્કા શર્માએ બેબી પ્લાન કરવા માટે રાખી આવી શર્ત, શું વિરાટ કોહલી પૂરી કરશે આ શર્ત

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ ગયા વર્ષે ઇટલીમાં લગ્ન કર્યા હતા. ટીમ ઈન્ડિયાના સુકાની (કેપ્ટન ) વિરાટ કોહલી હાલમાં ઈંગ્લેન્ડની પાંચ ટેસ્ટની શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તે જ સમયે અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ “સુઈ ધાગા “ને પ્રોત્સાહન (પ્રમોશન) આપી રહી છે.

૪ વર્ષના લાંબા રીલેશનશીપ માં રહ્યા બાદ ગયા વર્ષે આ બન્ને પ્રેમીઓ લગ્ન ના બંધન માં બંધાયા હતા. હવે કોહલી અને અનુષ્કા ના ફેંસ તેમના પહેલા બાળક ની રાહ જોઈ રહ્યા છે.

પણ તે દરમ્યાન અભિનેત્રી અનુષ્કાએ પોતાના પતી વિરાટ સામે બાળક માટે એક અજીબ શર્ત રાખી છે. બોલીવૂડ ખબરો અનુસાર, અનુષ્કાએ કહ્યું છે કે તે બાળકનું ભરણ પોષણ એક સામાન્ય બાળકની જેમ કરવા માંગે છે. તે તેના બાળકોને એક સામાન્ય ઉછેર આપવા માંગે છે, અનુષ્કા નથી ચાહતી કે તેમના બાળક નો જન્મ એવી રીતે થાય જેમકે આજક્લના સેલીબ્રીટી ના થાય છે.

આ સિવાય અભિનેત્રી અનુષ્કા કહે છે કે હું નથી ઇચ્છતી કે અમારા બન્ને ના કામ નો પ્રભાવ બાળક પર કોઈ પણ રીતે અસર કરે. આની સાથે-સાથે ભારતીય કપ્તાન વિરાટે પત્ની અનુષ્કા સાથે મળીને નિર્ણય લીધો છે કે અમારું બાળક એક સેલીબ્રીટી ના સ્પોટ લાઈટ થી દુર રહે.

અનુષ્કા શર્મા ની પહેલા ટીમ ઇન્ડિયા ના કેપ્ટન વિરાટ કોહલી પણ બાળકના મુદ્દા વિષે આ વાત પહેલા કરી ચુક્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે વિરાટ અને અનુષ્કા મોટા સેલીબ્રીટી છે.

હવે જોવાનું રહશે કે બન્ને પોતાના બાળકનું પાલન-પોષણ કઈ રીતે કરશે. અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મ સુઈ ધાગા મુવી ની સફળતા એન્જોય કરી રહી છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment