ફળોના રસના આ ઘરેલુ ઉપચાર તમને ખબર નહિ હોય, તો આજે આપણે તેના ઉપચારો વિશે જાણીએ

ફળોનો રસ સ્વાસ્થય અને સુંદરતા બંનેની દ્રષ્ટિએ ખૂબ લાભકારી હોય છે, પરંતુ લગભગ જ તમને આ ખબર હશે કે જુદા જુદા ફળોના સેવનથી ઘણી બીમારીઓનો ઈલાજ ઘરે જ કરી શકાય છે. તો ચાલો જાણીએ.

 

૧. વજન વધારવા માટે –

વજન વધારવા માટે દુગ્ધ કલ્પ ખૂબ ફાયદાકારક હોય છે. સૂકા મેવા, ઘઉં કે જુવારના રસ આ બધા પ્રકારના ફળોના રસથી વજન વધી શકે છે.ફળોના રસ ના સેવનથી કબજિયાત થી પણ છુટકારો મેળવવા માં મદદ મળે છે.


૨. એસિડિટી માટે –

એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગાજર, કોબી, કોળું, મિશરી તેમજ સફરજન – પાઈનેપલ નો રસ એક સારો વિકલ્પ છે. તમે ઇચ્છો તો એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને અડધી ચમચી મિસરી ઉમેરીને બપોરના જમવાથી અડધો કલાક પહેલા લો. આમ કરવાથી પણ એસિડિટી થી છુટકારો મેળવવા માં ફાયદો મળશે.

૩. ગેસ માટે –

આંબળાનું ચૂરણ સવાર અને સાંજે લો, બે વખત ના ભોજનની વચ્ચે સરખું અંતર રાખો, તણાવમુક્ત રહો, પ્રાણાયામ અને ધ્યાન કરો. તેનાથી ગેસ અને એસિડિટીમાં ફાયદો થાય છે

૪. તાવ –

હુફાળા પાણીમાં લીંબુનો રસ નાખીને તેના કોગળા કરી શકાય છે. ઘુટ ઘૂટ કરીને પી શકાય છે. તુલસીના પાંદડા – ફુદીનાના  પાંદડા, અડધી મોટી ચમચી આદુ અથવા ગોળ બે કપ પાણીમાં ઉકળેલો. ગાળીને તેમા એક લીંબુનો રસ નાખીને ઉપયોગ કરો.

ઉપરોક્ત ઉપચાર એ ઘરેલુ ઉપચાર છે પરંતુ આપને યોગ્ય લાગે તો જ કરવા વિનંતી અને વધુ તકલીફ હોય તો ડોક્ટર ની સલાહ લેવા વિનંતી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment