કાલ્પનિક ફોટો
આ કોઈ સંજોગ છે કે માલિક સાથે નો પૂર્વ જનમ નો કોઈ સંબંધ.. એક પાલતુ વાંદરા એ પોતાના વૃદ્ધ શિક્ષક ના મૃત્યુ પછી પોતાના પ્રાણ નો ત્યાગ કર્યો. આ ઘટના ફતેહપુર જિલ્લાના કિશનપુર ગામ ના પાંખરતર મહોલ્લા ની છે. પરિવારજનો એ બંને ના શવ ને એક જ ચિતા માં રાખી ને અંતિમસંસ્કાર કરી દીધા.
વૃદ્ધ શિક્ષક શિવરાજ સિંગનું (75) બીમારી ને કારણે મુત્યું થયું હતું. ઘર માં બધા ના રડવાના નો આવજ સાંભળી ને પાલતુ વાંદરું પણ એકાએક શવ ની પાસે જઈ ને બેસી ગયું. અને શવ ની પાસે જ એનું મૃત્યુ થઈ ગયું. શિક્ષક અને વાંદરા ના શવ ને એક જ ચિતા માં અગ્નિદાહ આપ્યું.
કાલ્પનિક ફોટો
મૃત શિક્ષક ના ભત્રીજા દેવપાલ એ જણાવ્યું કે એમના કાકા એ આ વાંદરા ને પાળ્યો હતો. એમ ને કોઈ સંતાન ન હતી, એટલે જ એમને વાંદરા ને પોતાની છોકરા ની જેમ પ્રેમ કરતાં હતા. પરંતુ, ઘણાં વર્ષ થી શિક્ષક બીમાર રહેતા હતા એટલે વાંદરા ની દેખભાળ રાખી શકતા ન હતા. તેથી તેને ખાંગાં જિલ્લા માં મૂકી આવ્યા હતા. વાંદરું દસ દિવસ પહેલા જ પોતાના માલિક પાસે આવી ગયું. કાકા ના મૃત્યુ થી આખું પરિવાર દુખી હતું. તેમાં જ વાંદરું પણ છાપરા પર થી ઉતરીને શવ ની નજીક બેસી ગયુ.અને થોડાક જ સમય માં તેની પણ મૃત્યુ થઈ ગઈ. ભત્રીજા એ કહ્યું કે કાકા માટે બનાવેલ ચિતા માં વાંદરા ના શવ ને સુવડાવી ને બંને સાથે જ અગ્નિદાહ આપ્યો હતો. અને કાકા નું તેરમું કર્યું એજ રીતે વાંદરા નું પણ કરવામાં આવ્યું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team