ભારત જ નહીં પરંતુ આપણે વાત કરીએ દુનિયાની સૌથી ભૂતિયા જગ્યાની તો કુલધરા નું નામ સૌથી ઉપર આવે છે. રાજસ્થાનના જેસલમેર થી લગભગ 14 કિલોમીટર દૂર આવેલ કુલધરા ગામ જે છેલ્લા 200 વર્ષથી નિર્જન પડ્યું છે. અને ભૂતિયા જગ્યામાં તેને માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ગામમાં વર્ષ 1300 માં પાલીવાલ બ્રાહ્મણ સમાજ એ સરસ્વતી નદીના કિનારે આ ગામને વસાવ્યું હતું. અમુક સમયે આ ગામમાં ખૂબ જ ચહલ પહલ રહેતી હતી પરંતુ આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે અહીં કોઈ વ્યક્તિ આવતા પણ ડરે છે અને 200 વર્ષથી આ જગ્યા ઉપર કોઈ જ વસવાટ કરતું નથી ચાલો તમને આ ગામની અમુક રસપ્રદ માહિતી જણાવીએ.
કુલધરા ગામ મૂળ રૂપથી બ્રાહ્મણોએ વસાવ્યું હતું. જે પાલી ક્ષેત્રના જેસલમેર જતા રહ્યા હતા અને કુલધરા ગામમાં વસી ગયા હતા. આ ગામના પુસ્તકો અને સાહિત્યક વૃતાંતમાં કહેવામાં આવે છે કે પાલીના એક બ્રાહ્મણ કધાને સૌથી પહેલા આ જગ્યા ઉપર પોતાનું ઘર બનાવ્યું હતું અને તેની સાથે જ એક તળાવ પણ ખોદ્યું હતું તેનું નામ તેમને ઉધનસર રાખ્યું હતું. પાલી બ્રાહ્મણોને પાલીવાલ પણ કહેવામાં આવે છે.
એક રાતમાં ગામવાળાની ગાયબ થવાની કહાની
લોકપ્રિય માન્યતા અનુસાર 1800 ના દશકમાં ગામના મંત્રી સલીમ સિંહના આધીન એક જાગીર રાજ્ય હતું જે કર ભેગું કરવા માટે લોકોની સાથે વિશ્વાસઘાત કરતું હતું. ગામના લોકો ઉપર લગાવવામાં આવતા કરના કારણે અહીંના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને એવું કહેવામાં આવે છે કે સલીમ સિંહને ગ્રામ પ્રધાનની દીકરી ખૂબ જ પસંદ આવી ગઈ હતી અને ગામના લોકોએ તેની ઉપર ધમકી આપી હતી કે જો તેમને આ વાતનો વિરોધ કરવાની કોશિશ કરી અથવા તો જો રસ્તામાં આવ્યા તો તેઓ કર્ વસૂલવા લાગશે અને પોતાના ગામના લોકોનો જીવ બચાવવાની સાથે સાથે પોતાની દીકરીની ઈજ્જત બચાવવા માટે પણ આ મુખ્ય સહિત સંપૂર્ણ ગામ રાતોરાત ફરાર થઈ ગયો હતો, અને ગામના લોકો ગામને ઉજ્જડ વેરાન છોડીને બીજી જગ્યા ઉપર જતા રહ્યા હતા. એવું કહેવામાં આવે છે કે ગામ લોકોના જતા વખતે ગામને એ શ્રાપ આપવામાં આવ્યો હતો કે અહીં આવનાર કોઈ જ વ્યક્તિ દિવસે રહી શકશે નહીં.
કુલધરા ગામમાં ફરવું હરવું
કુલધરા ગામ હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત કરીને રાખનાર એક ઐતિહાસિક સ્થળ બની ગયું છે પર્યટક અહીં ફરવા આવી શકે છે અને તે સમય દરમિયાન તેવું કેમ થયું હતું? તેની ઝલક પણ જોવા મળશે કુલધરા ક્ષેત્ર એક વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે જેમાં લગભગ ૮૫ નાના ઘર સામેલ છે, ગામના દરેક ઝુંપડા તૂટી ગયા છે, અને ખંડેર થઈ ગયા છે. અહીં એક દેવીનું મંદિર છે તે પણ ખંડેર થઈ ગયું છે. મંદિરની અંદર શિલાલેખ છે જેના કારણે પુરાતત્વવિદોએ ગામ અને તેના પ્રાચીન નિવાસીઓ વિશે જાણકારી ભેગી કરવામાં મદદ મળી હતી.
કુલધારા ગામનો સમય અને એન્ટ્રી ફી
ગામમાં તમે દરરોજ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ત્યાં ફરવા જઈ શકો છો. આમ તો આ જગ્યા ભૂતિયા માનવામાં આવે છે તેથી જ સ્થાનિક લોકો સુર્યાસ્ત પછી ત્યાંના દ્વાર બંધ કરી દે છે જો તમે કારથી જઈ રહ્યા છો તો કુલધરા ગામ માટે એન્ટ્રી ફી ₹10 પ્રતિ વ્યક્તિ છે અને જે તમે અંદર ગાડી લઈને જઈ રહ્યા છો તો ₹50 ફી છે.
કુલધરા ગામમાં ફરવાનો સૌથી સારો સમય
આ જગ્યા રાજસ્થાનમાં હોવાના કારણે ત્યાં વધુ ગરમી રહે છે તેથી જ તમે અહીં ફરવા માટે યોગ્ય અને સારો સમય ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો પસંદ કરી શકો છો જ્યાં ગરમી થોડી ઓછી થઈ જાય છે તમે તાપથી પરેશાન થયા વગર જ રણમાં ફરવા જવાનો આનંદ માણી શકો છો.
કુલધારા ગામમાં કઈ રીતે પહોંચવું
કુલધરા ગામ જેસલમેર ના મુખ્ય શહેરથી લગભગ 18 થી 20 કિલોમીટર દૂર આવેલું છે. તેથી જ રાજસ્થાનમાં યાત્રા કરતી વખતે જ્યારે તમે જેસલમેર પહોંચો છો ત્યારે તમે શહેરમાંથી કેબ લઈ શકો છો અને આ કેબ તમને કુલધરા ગામ લઈ જશે..
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “રાજસ્થાનનું એક એવુ રહસ્યમય ગામ જ્યાં એક જ રાતમાં ગાયબ થયા હતા 5 હજાર લોકો”